ટેલિવિઝન જગતનો સૌથી પ્રખ્યાત ફેમિલી કોમેડી શો છેલ્લા 12 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે. શોના દરેક પાત્રની પોતાની અલગ ઓળખ છે. જેઠાલાલ, દયાબેન અને બબીતા જી લોકોના દિલ પર રાજ કરે છે. દયાબેન ઘણા સમયથી આ શોમાંથી ગાયબ હતા, પરંતુ જો તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના ચાહક છો, તો આ સમાચાર તમારા માટે છે. આ દિવસોમાં નવી એક જોડી જેઠાલાલ-દયાબેનના રૂપમાં ચર્ચાનો વિષય છે.
જો તમે વિચારી રહ્યા છો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા દયાબેનની એન્ટ્રી થઈ છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. ખરેખર, ટીકટોક સ્ટાર રોનિત આશ્રાનો એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં તે આ કલાકારોની નકલ કરતો નજરે પડી રહ્યો છે.
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને રોનિતનો આ વીડિયો ખૂબ જ પસંદ છે. શો વિશે વાત કરતા દયાબેન એટલે કે દિશા વાકાણીન માટે કહેવામાં આવી રહ્યું હતું કે તે આ વર્ષે ચોક્કસપણે શોમાં પરત ફરશે, પરંતુ તેના શોમાં પાછા ફરવા અંગે કોઈ સંકેત નથી.
View this post on Instagram
આપને જણાવી દઈએ કે ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને યાહૂ પર સૌથી વધુ સર્ચ કરેલા મૂવીઝ અને ટીવી શોની વાર્ષિક યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ‘તારક મહેતા શોએ બિગ બોસ અને મિર્ઝાપુર જેવા શોને પણ ટક્કર આપીને હરાવી દીધા છે.
તાજેતરમાં જ આ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ત્રણ હજાર એપિસોડ પૂર્ણ થયા છે. આ વર્ષે આ શોને તેના 12 વર્ષ પૂરા થયા છે. શોની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેના પાત્ર અને સમકાલીન મુદ્દાઓ છે, જે સીધા જ સામાન્ય માણસ સાથે સંબંધિત છે. અહીંના લોકો ગોકુલધામને મિનિ ઈન્ડિયા કહે છે કારણ કે અહીં દરેક ધર્મ અને ક્ષેત્રના લોકો છે, અહીં મરાઠી, બંગાળી, પંજાબી, ગુજરાતી, તમિલ, હિન્દી ભાષી બધા જ એક સાથે છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે અનલૉક બાદથી દેશમાં 24 જૂનથી મોટાભાગની સિરિયલના શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યા હતાં. હવે ચેનલ પાસે પણ એપિસોડ બેંક બની ગઈ છે. આથી જ 13 જુલાઈથી નવા એપિસોડ ટેલિકાસ્ટ કરી દેવામાં આવ્યાં હતા.
View this post on Instagram
જો કે, કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ 10 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું હતું અને આ શોના નવા એપિસોડ 22 જુલાઈથી શરૂ કરવામાં આવ્યા હતા. હાલમાં આસિત મોદીને પણ કોરોના પોઝિટીવના સમાચાર સામે આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ