મિત્રો, લીંબુ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક અને લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત લીંબુ પાણી પણ આપણા શરીર માટે ખુબ જ મદદગાર અને લાભદાયી સાબિત થઇ રહ્યુ છે. તેમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવામા સહાયરૂપ સાબિત થાય છે.

સવારે ભૂખ્યા પેટે લીંબુપાણીનુ સેવન કરવાથી આપણા શરીરને અનેકવિધ પ્રકારના લાભ પહોંચે છે. તેના નિયમિત સેવનથી આપણુ પાચનતંત્ર તો મજબુત રહે છે અને તેની સાથે જ આપણી રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબુત બને છે. આ સિવાય પાણીમા લીંબુ નીચોવી તેને પીવાથી શરીરને આવશ્યક વિટામીન-સી, પોટેશિયમ અને ફાઈબર ભરપૂર પ્રમાણમા મળી રહે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા વિશે.
ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર થશે :

નિયમિત વહેલી સવારે આ પાણીનુ સેવન કરવાથી તમારી ત્વચામા એક અલગ પ્રકારની ચમક આવે છે. નિયમિત આ પાણીના સેવનથી ચહેરા પરના બધા જ ડાઘ દૂર થાય છે અને વધતી ઊંમરના કારણે કરચલીઓની સમસ્યાને પણ દૂર કરી શકાય છે.
રોગપ્રતિકારક શક્તિ મજબુત બનશે :
આ લીંબુમા પુષ્કળ માત્રામા વિટામીન-સી સમાવિષ્ટ હોય છે, જેનાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામા મદદ મળી રહે છે. જો તમે નિયમિત ભૂખ્યા પેટે આ પાણીનુ સેવન કરો છો તો તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
પાચનતંત્ર મજબૂત બને :

આ સિવાય આ પાણી પાચન સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે પણ મદદરૂપ થાય છે. નિયમિત વહેલી સવારે આ પાણીનુ સેવન કરવાથી તમારી પાચનક્રિયા મજબૂત બને છે અને તમને એસીડીટીની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે.
શરીરમા તાજગી લાવે :

ગરમીની ઋતુમા લીંબુનો આ ગુણ ખુબ જ વધારે મહત્વનો બની જાય છે. ગરમીથી કંટાળીને થાકી ગયા બાદ જો તમે તમારા શરીરમા ફરીથી તાજગી લઇ આવવા ઈચ્છતા હોવ તો આ લીંબુ પાણી તમારા માટે એક રામબાણ ઈલાજ સાબિત થઇ શકે છે. નિયમિત વહેલી સવારે લીંબુ પાણીનુ સેવન કરવાથી તમારા શરીરમા એક અલગ જ પ્રકારની તાજગી આવી જાય છે અને મૂડ પણ સારો બની જાય છે.
મોટાપાની સમસ્યા દૂર થાય :

જે લોકો વધારે પડતા વજનથી કંટાળી ચુક્યા હોય તેમણે લીંબુ પાણીનો પોતાના રૂટીનમા અવશ્યપણે સમાવેશ કરવો જોઈએ. વાસ્તવમા લીંબુમાં સમાવિષ્ટ પેક્ટિન ફાઈબર એ શરીરને ભૂખનો અુનુભવ કરવા દેતા નથી. જેના કારણે વ્યક્તિ કટાણાનો નાસ્તો ખાઈ શકતી નથી અને તેનાથી વજન નિયંત્રણ રાખવામા પણ મદદ મળી રહે છે.