અંબાણી પરીવારના આ છે અનમોલ રતન, જાણો તેમની ખાસ વાતો
1. અનિલ અંબાણીના દીકરાઓ અંશુલ અને અનમોલ લાઈમ લાઈટમાં વધારે રહેતા નથી. તાજેતરમાં જ રિલાયન્સ ઈન્ફ્રાના ડાયરેક્ટર્સ બન્યા છે. આ પદ મળ્યા બાદ હવે તેઓ પણ ઈશા, આકાશ અને અનંત અંબાણીની જેમ રિલાયન્સ પરીવારના વારસાને આગળ વધારશે.
2. અંશુલ અને અનમોલ કંપનીના ડિરેક્ટર્સ બન્યા છે જ્યારે તેમના પિતા અનિલ અંબાણી કંપનીના ચેરમેન અને પ્રમોટર છે.
3. 4. અનમોલ અંબાણીએ યૂકેની બિઝનેસ સ્કૂલમાંથી ડિગ્રી લીધી છે અને તેઓ વર્ષ 2016માં રિલાયન્સમાં જોડાયા હતા.
5. અંબાણી પરીવારના મોટા પુત્ર અને અનિલ અંબાણીના મોટાભાઈ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.
6. મુકેશ અને નીતા અંબાણી સાથે તેમના સંતાન ઈશા, આકાશ અને અનંત.
7. મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા પણ સફળ બિઝનેસ વુમન છે. તેની નેટ વર્થ 4710 કરોડ જેટલી છે.
8. ઈશા સાયકોલોજીમાં ગ્રેજ્યુએટ છે અને તેણે વર્ષ 2014થી રિલાયન્સ રિટેઈલ અને જિયોનું ડિરેક્ટર પદ સંભાળ્યું છે.
9. ઈશા અને આકાશ ટ્વિન્સ ભાઈ બહેન છે. બંનેએ 2015માં જિયોને લીડ કર્યું હતું. તેઓ આઈપીએલ ટીમના સહમાલિક પણ છે.
10. આકાશ અંબાણીએ બ્રાઉન યુનિ.માંથી ગ્રેજ્યુએશન કર્યું અને 2014થી તે કંપની સાથે જોડાયા હતા. વર્ષ 2019માં તેણે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા હતા.
11. મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર છે અનંત અંબાણી. તેણે પણ બ્રાઉન યુનિ.માંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.
12. અનંત અંબાણી સૌથી વધારે જામનગરમાં સમય પસાર કરે છે. તે સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ