આગામી 5 દિવસોમાં ગુજરામાં ઘેરાશે વાદળ – સર્જાશે વરસાદી માહોલ – હવામાન વિભાગે કરી આગાહી
ગઈ કાલે નિસર્ગ વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ કહો કે પછી પ્રિમોનસુન ઇફેક્ટ કહો સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી ગયો અને અમદાવાદ સાથે સાથે ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપડા પડી ગયા છે. અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વરસાદી માહોલ આવનારા પાંચ દિવસ સુધી રહી શકે છે અને તેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા મળેલા અહેવાલ પ્રમાણે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદના ઝાપડા પડી શકે છે. ક્યાંક છુટ્ટા છવાયા વરસાદ તો ક્યાંક ભારે ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત એટલે કે સાબરકાંઢા, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, વલસાડ,માં પણ વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ મધ્ય ગુજરાતમાં એટલે કે અમદાવાદમાં પણ વરસાદની શક્યતાઓ છે તો પંચમહાલ, સૌરાષ્ટ્ર પ્રાંતના ગીર-સોમનાથ, બોટાદ, રાજકોટ અને પશ્ચિમે કચ્છમાં પણ વરસાદ પડે તેવી આગાહી કરવામા આવી છે. આમ મોટા ભાગના ગુજરાતમાં આ પાંચ દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે.
જોકે આ વરસાદને તમે ચોમાસાનું આગમન ન કહી શકો પણ પણ તે પ્રિમોનસુન એક્ટિવિટ છે. હવામાન વિભાગની આગાહી જે થોડા સમય પહેલા કરવામા આવી હતી તે પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયામાં ચોમાસુ બેસશે તેવું જણાવવામાં આવ્યું હતું.
ખેડૂતો તેમજ સામાન્ય લોકોમાં એક ચિંતા જણાઈ રહી હતી કે નિસર્ગ વાવાઝોડાના કારણે કદાચ તેની અસર ચોમાસા પર પડશે પણ તે ચિંતાને હવામાન વિભાગે નકારી કાઢી છે અને જણાવ્યું છે કે ચોમાસુ સામાન્ય રહેશે અને નિસર્ગ વાવાઝોડાની નિયમિત ચોમાસા પર કોઈ જ અસર જોવા મળશે નહીં.
પ્રિમોનસૂન એક્ટિવિટિના ભાગ રૂપે રાજ્યમાં કેટલીક જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યો છે.
ગયા અઠવાડિયે નિસર્ગ વાવાઝોડું ગુજરાતના સમુદ્રથી થોડે દૂરથી પસાર થયું હોવાથી દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસાનો માહોલ સર્જાયો હતો. તે સમયે રાજકોટ જિલ્લામાં ખેડૂતો વાવણી કરી શકે તેટલો વરસાદ વરસી ગયો હતો. તો વળી ગોંડલ તાલુકાના કેટલાક ગામડાઓમાં વરસાદ થતાં ખેડૂતોને હરખ થયો હતો.
અને ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી પણ શરૂ કરી દીધી હતી. આ ખેડૂતો પોતાના ખેતરમાં મગફળી, કઠોળ, કપાસ તેમજ અન્ય પાકનું વાવેતર કરી રહ્યા છે. બીજી બાજુ સમય પહેલાં વાવણી થતાં ખેડૂતોને પણ લાભની આશા છે. જો કે વાવણીમાં દાડીયા મજૂરોની પણ અછત છે માટે તેમને થોડી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
તો વળી સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના ગઢડા ગામે પણ ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે. નિસર્ગ વાવાઝોડાની અસર રૂપે રાજ્યના કેટલાક જિલ્લામાં સારો એવો વરસાદ પડી ગયો છે. બોટાદ જિલ્લાની વાત કરીએ તો ત્યાં 2.45 ઇંચ વરસાદ પડી ગયો છે. ત્યાર બાદ અહીંના ખેડૂતોએ વાવણી કરવાની શરૂ કરી દીધી છે.
કપાસ માટે વાવણી લાયક વરસાદ પડી ગયો હોવાથી ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે. તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાં ખેડૂતો મહદ્અંશે કપાસનું વાવેતર કરે છે. અને યોગ્ય સમયે કપાસની વાવણી થતાં ખેડૂતો ભારે પ્રફુલીત જોવા મળ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ