દેવામાં પરિવાર એટલો ડૂબી ગયો કે આ રીતે પિતાએ જ સામૂહિક આપઘાતનો બનાવ્યો પ્લાન, વડોદરા આખું ધ્રુજી ઉઠ્યું

હાલમાં એક એવો કેસ સામે આવ્યો છે કે જેના વિશે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે અને હૃદય ચિરાઈ જશે. આ કેસ વડોદરાનો છે અને ત્યાં એક પરિવારે સામૂહિક હત્યા કરી છે. આ હત્યાબાદ એવા એવા ખુલાસા થઈ રહ્યા છે કે આપણે એમ થાય કે આવી હિમત્ત કેમ ચાલતી હશે. તો આવો વિગતે વાત કરીએ કે આખરે આ ઘટના કેમ આટલી બધી ચર્ચાઈ રહી છે.

એવું બન્યું તે વડોદરાના સમા સ્પોટ્સ કોમ્પ્લેક્સ સામે આવેલી C-13, સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં બુધવારે સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સામૂહિક આપઘાતમાં મૃત્યુ પામેલા પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમની દીકરી રીયા અને પૌત્ર પાર્થનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ તેમની યાત્રા નીકળી હતી. જેમાં મામાએ બાળકના મૃતદેહને ઉઠાવીને એમ્બ્યુલન્સમાં મૂક્યો હતો. આ સમયે પાર્થના માતા વૈશાલીબેન, પિતા મહેન્દ્રભાઇ, બહેન ખુશ્બૂ, ભાઇ હર્ષે હૈયાફાટ રુદન કર્યું હતું.

image source

કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર સોની ઘણા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. આવક ઓછી હોવાથી તેમણે પોતાના મકાન પર અંદાજે 45 લાખની લોન અને વેચાણ પેટે મેળવ્યા હતા. જો કે તેમના મકાન પર 15 લાખની લોન હોવાથી તેમણે જેને મકાન વેચ્યું હતું તેમને દસ્તાવેજ પણ કરી શક્યા ન હતા.

આવા બધા અનેક કારણોના લીધે તેઓ સતત તણાવ અનુભવી રહ્યા હતા અને તેમને કંઈ જ સુજતું ન હતું કે શું કરવું અને શું ન કરવું. પોતાના મકાનનો સોદો કરી તેઓ તેની સામે જ ભાડેથી રહેવા જવા મજબૂર બન્યા હતા. તેમણે તેમની કાર, બાઇક અને મોપેડ ઉપરાંત પુત્રીની સાઇકલ પણ વેચી દીધી હતી ત્યાં સુધીની આ વાત હતી.

image source

પુત્ર ભાવિને જણાવ્યું કે સતત તણાવ અનુભવી રહેલા નરેન્દ્ર સોનીએ આખરે પરિવાર સાથે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. આ વિશે વાત કરતાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર સોનીએ 4 દિવસ પહેલાં જ આ નિર્ણય કર્યો હોવાનું જણાયું છે. જો કે પોલીસ હજુ આ વાતની ખરાઇ કરી રહી છે.

બુધવારે તેઓ પોતાના ઘર નજીકની એક દુકાનમાંથી પેસ્ટિસાઇડની બોટલ લાવ્યા હતા અને સાથે કોલ્ડ્રિંક્સની મોટી બોટલ પણ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે બપોરે 3 વાગ્યા બાદ તેઓ પરિવારના તમામ સભ્યો અને પૌત્રને લઇને ઘરની પહેલી રૂમમાં બેઠા હતા અને ત્યાં પેપ્સી અને મિરિન્ડાની બોટલમાંથી ડિસ્પોઝેબલ ગ્લાસમાં કોલ્ડ્રિંક્સ કાઢ્યા બાદ પેસ્ટિસાઇડની 3 બોટલમાંથી દવા કાઢીને તેમાં ભેળવ્યા બાદ દરેક સભ્યે આ ઝેરી પીણું પીધું હતું.

image source

આ કેસમાં સૌથી મોટી વાત એ છે કે પૌત્રને તેના દાદા નરેન્દ્ર સોનીએ જાતે જ આ ઝેરી પીણું પીવડાવ્યું અને પછી પૌત્રને લઇને પલંગ પર સૂઈ ગયા. આ પછીની વાત કરીએ તો દીકરા ભાવિન સોનીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કહ્યું હતું કે આખા પરિવારે ઝેર પી લીધું છે. ઘરને તાળું માર્યું છે અને ચાવી બહાર નાખી છે તો એનાથી ઘર ખોલીને આવજો અને બસ ત્યારબાદ આ ઘટના સામે આવી હતી અને હવે લોકોના મોત પાછળ આંસુ વહાવી રહ્યા છે અને ઘટના ચારેકોર વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!