અમદાવાદમાં દહેજને લઈ આઈશા નામની મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું ત્યારથી બસ તેની જ ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકોમાં પણ આ વાતને લઈ ભારે દુખ છે. મોત પહેલાંનાં તેના અંતિમ વીડિયોમાં તેણે હસતાં મોઢે દુનિયાને અલવિદા કહી દીધું હતું એ વાત આખું ગામ હવે જાણે છે.
માણસનો ચહેરો ફરીથી ક્યારેય ન બતાવવા ખુદાને કહ્યું હતું. તેવામાં આઈશાના મોત બાદ તેના નફ્ફટ પતિએ વોટ્સએપ સ્ટેટસ મુક્યું હતું. જેને લઈને લોકોમાં ભારે આક્રોશ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે માણસાઈની પણ કંઈક હદ હોય છે.
આઈશાએ પોતાના દહેજભૂખ્યા પતિ આરીફ ખાનને કારણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. આપઘાત પહેલાં પણ આઈશાએ આરીફને ફોન કરીને કહ્યું હતું કે તે મરવા જઈ રહી છે. તે સમયે પણ આરીફે તેને મરવું હોય તો મરી જા એવો જવાબ આપીને એક વખત પણ લાગણી દર્શાવી નહોતી. આઈશાના આપઘાત પણ તેના નફ્ફટ પતિએ વોટ્સએપ સ્ટેટસ રાખ્યું હતું.
જેમાં તેણે લખ્યું હતું કે, કોન ચલા ગયા યે ઈમ્પોર્ટન્ટ નહીં હૈ, કૌન અબ ભી સાથ હૈ વો ઈમ્પોર્ટન્ટ હૈ. હવે આ જોઈને લોકોમાં ભારે રોષ છે અને બધા જ તેને સજા મળે એવી માગ કરી રહ્યા છે. આઈશાના મોત બાદ પણ દુઃખના બે આંસુ વહાવવાને બદલે તેના પતિએ નફ્ફટ બનીને વોટ્સએપ સ્ટેટસ મુક્યું હતું.
આઈશાના મોતથી જ્યાં હજારો લોકોની આંખો નમ થઈ ગઈ હતી. પણ આઈશાના મોતથી તેના પતિને કાંઈક ફરક જ ના પડ્યો હોય તેમ તેના વોટ્સએપ સ્ટેટસ પરથી લાગી રહ્યું છે. હાલ તો હજારો લોકો આરીફ પર ફિટકાર વરસાવી રહ્યા છે. અને તેના આવાં સ્ટેટસથી ભારે આક્રોશમાં છે. લગ્ન પછી આરિફખાનના ટિકટોકમાં તે આઈશા પ્રત્યેની નફરત વ્યકત કરતો હોય તેવું પણ બોલે છે. આરિફ ટિકટોક પર વીડિયોમાં કહી રહ્યો છે કે, ‘તુમ્હારી કસમ ખાકે કહેતા હું. યે ચહેરા અબ જિંદગી મેં કભી નહિ દેખોગી. ઔર દેખના, એક ના એક દિન ઐસા આયેગા, જબ તુમ્હારે પાસ દુનિયા કી સારી ખુશી હોગી. પર તુમ ખુશ નહીં હોગી. ઔર તુમ રોઓગી. તડપોગી, પર ખુશી કી ઝલક તક તુમ્હારી જિંદગી મેં નહિ હોગી. લેકિન તબ તક મેં અકેલે ખુશ રહેના શીખ ચૂકા હોઉંગા.
આ સિવાય પણ વકીલે આરીફ વિશે બીજો એક મોટો ઘટસ્ફોટ કર્યો છે કે આરિફના રાજસ્થાનની એક યુવતી સાથેના સંબંધને કારણે જ આઈશા તણાવમાં રહેતી હતી અને છેવટે આ પગલું ભર્યું હતું. લગ્નના બે મહિનામાં જ આરિફનું પોત પ્રકાશ્યું હતું અને આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વીડિયો-કોલ પર પ્રેમાલાપ કરતો હતો. આ પ્રેમિકા સાથે મોજમજા કરવા કારણે આરિફ ઘણીવાર આઈશાને પિતાના ઘરે મૂકી ગયો હતો.
આઈશાના આપઘાત માટે આરિફના લગ્નેતર સંબંધ જ જવાબદાર હતા. આઈશાના પિતાએ આ સમગ્ર બાબતે જણાવ્યું હતું કે સમગ્ર બાબત અંગે તેમણે આરિફના પિતાને જાણ કરવા ફોન કર્યો, પણ તેમણે એક વખત પણ મારો ફોન ઉપાડ્યો નહીં. હાલ હું માગ કરી રહ્યો છું કે મારી આઈશા તો પાછી નહીં આવે, પણ તમે બીજી કોઈ આઈશા સાથે આવું ન થાય, એ માટે મા-બાપને છોડીને ન જાય એ માટે તેના ગુનેગારને સજા થવી જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!