હાલમાં સોશ્યલ મિડીયા પર ગુજરાતના અમદાવાદમાં રહેતી 23 વર્ષની આયશાની ચર્ચા થઈ રહી છે. તેણે 25 ફેબ્રુઆરીએ સાબરમતીમાં કૂદીને આત્મહત્યા કરી. પોલીસે તેના પતિ આરિફ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરી છે અને તેને અમદાવાદ લવાયો છે.
આયશાના મામાના આધારે જાલૌરમાં આયશાનું નૈનિહાલ છે. અહીં તે આવતી રહે છે. આ સમયે તેમની મુલાકાત આરિફ ખાન સાથે થઈ અને તે પ્રેમમાં બદલાઈ. બંનેની વચ્ચે પ્રેમને લઈને પરિવારે રાજી ખુશી 2018માં તેમના લગ્ન કરાવ્યા.
આયશાના પતિ આરિફ ખાન તેના પિતા બાબૂ ખાનની સાથે જાલૌરના ગ્રેનાઈટ ફેક્ટ્રીમાં કામ કરતા હતા. તેના પુશ્તૈની ઘરની બહાર 2 દુકાન પણ ભાડે લીધેલી હતી. આરિફ ખાન નિધિ ગ્રેનાઈટ ફેક્ટ્રીમાં સુપરવાઈઝરના પદ પર કામ કરે છે.
આયશાના મામાએ આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદથી જ આરિફ અને સાસરીવાળા લોકો આયશાને હેરાન કરી રહ્યા હતા. અનેક વાર આયશાએ પોતાના પરિવારને આ વાત પણ કરી હતી. તેમના અનુસાર લગ્નના દોઢ વર્ષ બાદ જ પ્રેમ નફરતમાં ફેરવાઈ ગયો. આ પછી બંને વચ્ચે રોજ ઝઘડા થવા લાગ્યા. આયશાના પતિ આરિફ ખાસ કરીને તેની સાથે મારપીટ કરતો. આ કારણે આયશા તેને જાલૌરમાં છોડીને પિયર અમદાવાદ આવી હતી.
આટલું થયા બાદ પણ આયશાએ દરેક રીતે પોતાના પરિવારને ફરીથી જોડવાની કોશિશ કરી. પણ તેનો પતિ તેને નકારતો રહ્યો. આયશાએ પતિની સાથે છેલ્લી વાર ફોન પર વાત કરી હતી તેમાં તેના પતિએ મરી જવાની વાત કહી હતી. આ પછી આયશાએ મોતને વ્હાલુ કર્યું હતું.
મોતને વહાલું કરતા પહેલાં તેણે પતિ આરિફને વાયદો પણ કર્યો અને તેને નિભાવ્યો. તેણે મોતનો વિડિયો તેને અને પરિવારજનોને મોકલ્યો. તે વીડિયોમાં તેણે કહ્યું કે આ કેસમાં આરિફને પરેશાન ન કરાય અને હવે આરિફની આ કેસમાં ધરપકડ કરાઈ ચૂકી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!