અંદરથી આટલું ભવ્ય છે નીતા અને મુકેશ અંબાણીના ઘરનું મંદિર, હીરાના ઘરેણાથી સજાવેલી છે ભગવાનની મૂર્તિઓ.
દેશના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીની લકઝરી લાઇફસ્ટાઇલ વિશે તો બધા જાણે જ છે. પણ લકઝરી લાઇફસ્ટાઇલની સાથે સાથે અંબાણી પરિવારની ભગવાનમાં પણ અપાર શ્રદ્ધા છે.
અંબાણી પરિવાર ઘણીવાર ગુજરાતના અંબાજી મંદિર કે પછી દેશના બીજા મંદિરોમાં માથું નમાવવા પહોંચી જાય છે. આમ તો અંબાણીએ આલિશાન ઘર એન્ટેલિયાની અંદર પણ એક ભવ્ય મંદિર બનાવ્યું છે.
આ મંદિર એન્ટીલિયાના આખા એક ફ્લોર પર બનાવેલું છે અને એને ઘણી મોટી સ્પેસ આપવામાં આવી છે. આજે અમે તમને બતાવીશું અંબાણીના ઘરના મંદિરના ફોટા.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પોતાનું ઘર બનાવતી વખતે બજેટનો એક મોટો ભાગ મંદિર માટે ખર્ચ કર્યો છે. તમને જણાવી દઈએ કે અંબાણીના 27 માળના ઘર એન્ટેલિયાની સાફ સફાઈ અને દેખરેખ માટે 600 કર્મચારીઓ 24 કલાક કામ કરે છે.
રિપોર્ટ્સ અનુસાર એન્ટેલિયામાં જે મંદિર છે એમાં મૂર્તિઓથી લઈને દરવાજા અને બધી જ વસ્તુઓ ફક્ત સોના અને ચાંદીની છે. એ સાથે જ ભગવાનની મૂર્તિઓ પણ હીરાના ઘરેણાથી સજાવેલી છે.
નીતા અંબાણીને પોતે પણ હીરાનો ઘણો શોખ છે. એવામાં એમને પોતાના મંદિરને ખાસ બનાવવા માટે એને કિંમતી રત્નોથી સજાવ્યું છે.
નીતા અંબાણીની આઇપીએલ ટીમ મુંબઈ ઇન્ડિયન જ્યારે પણ ટ્રોફી જીતે છે તો નીતા એના સૌથી પહેલા ઘરમાં બનાવેલા મંદિરમાં ભગવાનના ચરણોમાં અર્પિત કરે છે.
લગભગ 4 લાખ સ્કેવર ફૂટમાં બનેલું એન્ટેલિયાના 6 માળ સુધી તો ફક્ત પાર્કિંગ બનાવેલું છે જ્યાં 168 કાર મૂકી શકાય તેટલી જગ્યા છે રિપોર્ટ્સ અનુસાર અંબાણી પાસે પહેલેથી જ 150થી પણ વધુ કાર છે એટલે એમને આટલી મોટી પાર્કિંગ સ્પેસ બનાવડાવી છે.
કહેવામાં આવે છે કે, 4 લાખ સ્ક્વેર ફૂટમાં બનેલાં એન્ટેલિયામાં 600 લોકોનો સ્ટાફ 24 કલાક કામ કરે છે. એવામાં ઘરના મંદિર માટે ખાસ જગ્યા રાખવામાં આવી છે.
એન્ટેલિયામાં ભવ્ય મંદિર સિવાય એક બોલરૂમ છે. જેની સિલિંગ ક્રિસ્ટલથી સજાવેલી છે. એક થિયેટર, બાર, ત્રણ હેલિપેડ પણ છે. મુકેશ અંબાણીને ફિલ્મો જોવી ઘણી જ ગમે છે
એક ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે અડધી રાત્રે ઓફિસથી આવ્યા પછી પણ મુકેશ અંબાણી મુવી જોયા વગર નથી સુતા. એ જ કારણ છે કે એમને એમના ઘરમાં 8માં માળે 50 સીટર મીની હોમ થિયેટર બનાવ્યું છે.
એન્ટીલિયાને શિકાગોમાં રહેતા આર્કિટેક્ટ પરકીન્સએ ડિઝાઇન કર્યું છે અને એને ઓસ્ટ્રેલિયન કન્સ્ટ્રક્શન કંપની લેંગ્ટોન હોલ્ડિંગએ બનાવ્યું છે. કહેવામાં આવે છે કે એન્ટીલિયા 8 રિકટર ભૂકંપના ઝટકા પણ સરળતાથી સહન કરી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,