શું ફરી લોકોને હસાવવા દીશા વાકાણી પાછી ફરી રહી છે ? સોશિયલ મિડિયા પર આ તસવીર થઈ વાયરલ.
View this post on Instagram
છેલ્લા લગભગ બે વર્ષથી દયાબેન વગર જાણે ગોકુલધામ સુનુ થઈ ગયું છે. એવું પણ સાંભળવા મળ્યું છે કે શોની ટીઆરપી પણ ઘણી બધી નીચી આવી ગઈ છે. અને દયા બેનની એટલે કે દીશા વાકાણીની જગ્યા પૂરવા માટે ઘણી બધી એક્ટ્રેસીસના ઓડીશન છતાં કોઈ જ દીશા વાકાણીની જગ્યા લઈ શકે તેવું મળ્યું નથી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે દીશા વાકાણીના લગ્ન બાદ તેણીએ તારક મહેતામાં ધીમે ધીમે કરીને કામ કરવાનું ઓછું કરી દીધું અને પ્રેગ્નન્સી દરમિયાન અને દીકરીને જન્મ આપ્યા પાદ તેણીએ તારક મહેતાકા ઉલ્ટા ચશ્માને ટાટા બાય બાય કહી દીધું છે.
View this post on Instagram
સીરીયલના ચાહકો તરફથી સતત દીશા વાકાણીને દયાબેન તરીકે સિરિયલમાં પાછા લાવવાની ડીમાંડ થઈ રહી છે જે કોઈ કારણસર પૂરી થઈ શકાતી નથી અને છેલ્લા લાંબા ગાળાથી દયાબેનના કેરેક્ટરને કોઈને કોઈ બહાને સ્ક્રીન પર ગેર હાજર રાખવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
પણ હાલ એક ફોટો સોશિયલ મિડિયા પર શેયર કરવામાં આવ્યો છે જેમાં તે પોતાની નાનકડી દીકરી સાથે જોવા મળી છે વિધાઉટ મેકઅપ. પણ તેથી પણ વધારે ખાસ વાત એ છે કે બેકગ્રાઉન્ડમાં જાણે ગોકુલધામનું લોકેશન હોય તેવું લાગી રહ્યું છે.
View this post on Instagram
તો શું દીશા વાકાણી ખરેખર દયાબેનનું ચરિત્ર નિભાવવા પાછી ફરી રહી છે ? શું આવનારા એપિસોડમાં ફરી દયા બેન સોની ટીવીનો સ્ક્રીન ગજવતા થઈ જશે ?
અગાઉ પણ તેણીના પાછા આવવાના ઘણા બધા સમાચાર ઉડ્યા હતા જો કે હજુ સુધી તેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં “હે મા માતાજી કહેતી જોવા મળી નથી.” આશા રાખીએ કે આ વખતે સમાચાર પાક્કા હોય.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે લગભગ છેલ્લા 11 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું પ્રસારણ ચાલુ છે. અને લોકોના હૃદયે હૃદયે આ ડેઈલી સોપના ચરિત્રોએ જગ્યા બનાવી લીધી છે.
View this post on Instagram
અને દયા અને જેઠાની જોડીએ રંગ જમાવી દીધો છે. લોકો દયાને જેઠા વગર અને જેઠાને દયા વગર જોઈ શકતા નથી. લગ્ન અને ત્યાર બાદ બાળકના જન્મ કારણે દીશા વાકાણી છેલ્લા ઘણા સમયથી સીરીયલથી દૂર રહી છે. અને સ્ક્રીન પર પરત ફરવા માટે બાળકના મોટા થવાની રાહ જોઈ રહી છે.
ઘણી રીતે દીશાનો સંપર્ક કરવા તેમજ તેને શોમાં પાછા લાવવાના પ્રયાસો છતાં તેણી હજુ શો પર પરત ફરી શકી નથી. અને અવારનવાર ઉડતી અફવાઓથી લોકોના દીલ પણ અવારનવાર ટુટ્યા છે. આશા રાખીએ કે આ વખતે લોકોની આશા પર પાણી ન ફરી વળે અને દીશા વાકાણી ફરી પાછી લોકોને હસાવવા લાગે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ