આ રાશિના લોકોએ વર્ષ 2020માં ન કરવું કોઈપણ પ્રકારનું રોકાણ નહીં તો થશે મોટું નુકસાન
નવું વર્ષ એટલે કે 2020 આવતી કાલથી શરૂ થનાર છે. લોકો નવા વર્ષની શરૂઆત ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે કરવા તૈયારી કરતા હોય છે.
તેનું કારણ હોય છે કે નવા વર્ષની શરૂઆત સારી થાય તો વર્ષ દરમિયાન પણ સમય સુખરૂપ પસાર થાય.
દરેક વ્યક્તિ ધન લાભ માટે નવા રોકાણ કરી આર્થિક સ્થિતિ વધારે મજબૂત કરવા માટે પણ પ્લાનિંગ કરતાં હોય છે. જો કે વર્ષ 2020માં એક રાશિના જાતકોએ રોકાણની બાબતમાં સમજી વિચારીને આગળ વધવા જેવું છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકોએ કોઈપણ જગ્યાએ ધનનું રોકાણ કરતાં પહેલા સતર્ક રહેવું જરૂરી છે. આ રાશિના જાતકોને આગામી વર્ષમાં કરેલું રોકાણ મોટું નુકસાન કરાવી શકે છે.
કર્ક રાશિ
12 રાશિઓમાંથી કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ સાવધાન રહેવાનું સૂચન કરે છે. આ રાશિના જાતકોએ રોકાણ કરવું લાભકારી નથી જણાતું.
ખાસ કરીને વર્ષના પહેલા માસમાં એટલે કે જાન્યુઆરી માસમાં નાણાનું રોકાણ કોઈપણ જગ્યાએ ન કરવું. કારણ કે કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2020 નાણાકિય દ્રષ્ટિએ ઉતાર-ચઢાવ ભરેલું રહેશે.
જાતકોનો સ્વભાવ
આ રાશિનો સ્વામી ચંદ્ર છે. રાશિચક્રમાં તેનું સ્થાન ચોથું છે. આ રાશિના જાતકોનું મન ચંચળ હોય છે તેથી તેમના કામ અને વિચારોમાં પણ ચંચળતા જોવા મળે છે.
જો કે તેઓ પોતાના પર આવતાં સંઘર્ષને ટાળવા માટે સક્ષમ હોય છે. તેમને આઝાદી પ્રિય હોય છે. જો કે તેમના જીવનમાં અનિયમિતતા હોય છે.
તેઓ સ્વભાવે જીદ્દી હોય છે તેથી તેમને સહન કરવું પણ પડે છે. આ રાશિમાં ગુરુ શ્રેષ્ઠ હોય છે. તેમ છતાં તેમનું સ્વાસ્થ્ય નરમગરમ રહે છે.
કર્ક રાશિના જાતકો વ્યર્થ કામો કરવામાં અને નકામી વાતો કરવામાં રસ નથી દાખવતા. આ રાશિ માટે ગુરુ પ્રબળ હોય છે.
કર્ક રાશિના જાતકો એવા હોય છે કે તે જ્યાં જાય ત્યાં તેમના પર મહત્વની જવાબદારીઓ આવે છે.
તેઓ સંસ્થાના કે સામાજિક કાર્યોમાં જવાબદારીપૂર્વક વર્તન કરે છે. જો કે કર્ક રાશિના જાતકોનું સ્વાસ્થ્ય થોડું નબળું રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ