રાજકોટ: વૃદ્ધા અને તેમના પુત્ર કોરોના સામે જંગ જીતતા હોસ્પિટલના સ્ટાફે તાળીઓના ગડગડાટથી વધાવ્યા

એક કોરોના દર્દી કે જેને સાજા થઇ ગયા હોવા છતા ઘરે જવુ નથી ગમતું . . ., આઇસોલેશન વોર્ડ્ની બહાર ફરજ પર ના ડોક્ટર્સ ના ગ્રુપે બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટ્થી વિમળાબેન અને તેના પુત્ર કૌશલભાઇ ને વિદાય આપતાં વાતાવરણ ભાવુક, રાજકોટમાં વધુ બે કોરોના પોઝીટીવ દર્દી નેગેટીવ થઇ જતાં હોસ્પીટલમાંથી રજા અપાઇ

રાજકોટ તા. ૫ એપ્રિલ , “ કોરોના જેવી મહામારીમાંથી સાજા થઇ ગયાનો આનંદ ચોક્કસ છે પરંતુ હવે ઘરે જવુ નથી ગમતું, અને જો મને પરવાનગી આપવામાં આવે તો મારે અહીં અન્ય દર્દીઓની સારવારમાં મારાથી બનતી સેવા આપવી છે. આ ૧૩ દીવસમાં અહીં જે સારવાર આપવામાં આવી છે એ માટે હું સમગ્ર હોસ્પીટલ સ્ટાફનો આભાર માનુ છું. કોરોનાનો મને ભય હતો અને ભગવાન અને ડોક્ટર પર મારો ભરોસો પણ હતો તેમાં બા બા કરતો અહીનો સ્ટાફ જાણે મારો પરીવાર બની ગયો છે.”

આ શબ્દો છે વિમળાબેન હર્ષદભાઇ કાનાબારના , તેમને તથા તેમના પુત્ર કૌશલભાઇને કોરોના પોઝીટીવ આવતાં ૧૩ દીવસ પહેલા સીવીલ હોસ્પીટલ રાજકોટ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ વિમળાબેન ને તો ડાયાબીટીસ, હાઇપર ટેન્શન અને બ્લડ પ્રેશરની કાયમી તકલીફ પણ ખરી અને ઉંમર પણ ૭૫ જેવી તેને રીકવરી આવવી અને તે પણ આટલી ઝડપથી તે માટે રાજકોટ સીવીલ હોસ્પીટલના તબીબો દ્વારા થયેલ ચમત્કાર જ તેઓ ગણાવે છે.

ડો. આરતી ત્રીવેદીના માર્ગદર્શન હેઠળની આજ ફરજ પરની ડોકટર્સની ટીમે આજે વિમળાબેન ને હોસ્પીટલમાંથી અપાયેલ રજાને યાદગાર બનાવી દીધી હતી ફરજ પરનાં ડોકટર્સ સર્વશ્રી પ્રફુલ દુધરેજીયા, હિરલ મકવાણા, તપન પારેખ, એક્તા આરતીવાણી, યોગેશ કટારીયા, ઉજ્જવલ યાદવ, સચીન કંદાકોર અને ચંદ્રજીત સોલંકીની ટીમે આઇસોલેશન વોર્ડ્ની બહાર બે કતાર બનાવી તાળીયોનાં ગડગડાટ્થી વિમળાબેન અને તેના પુત્ર કૌશલભાઇ ને વિદાય આપતાં વાતાવરણ ભાવુક બની ગયું હતું.

માહિતી ખાતા સાથે વાત કરતા તેમણે આ ડોક્ટર્સની ટીમને પોતાનો પરિવાર ગણાવ્યો હતો અને ઉમેર્યુ હતુ કે સરકારી હોસ્પીટલ માટેનો મારો ખ્યાલ બદલાઇ ગયો છે. નાની મોટી કોઇપણ તકલીફ માટે આખી જિંદગી પ્રાઇવેટ હોસ્પીટલમાં દોડી જતાં પણ આવા ડોક્ટર્સ અને આટલી સુવિધાઓ તો કોઇ મોટી હોસ્પીટલમાં પણ ના મળે વિદેશમાં પણ આવી સરકારી હોસ્પીટલ નહીં હોય.

વિમળાબેનનાં પુત્ર કૌશલભાઇ પણ સાથે જ સારા અને ફીટ થઇ ગયેલ હોય બન્ને ને સાથે જ રજા આપવામાં આવી હતી તેમણે માહિતી ખાતાના પ્રતિનિધી સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે અહીં વિશ્વની શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. અહીં ની ચોખ્ખાઇ અને સ્ટાફ્ની ડીસીપ્લીન સરાહનીય છે. સ્વીપર થી લઇ ને ડોકટર સુધીના તમામ પોતાની ફરજ ખુબજ શ્રેષ્ઠ રીતે બજાવે છે આ માટે તેમણે સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

હોસ્પીટલમાંથી રજા આપ્યા બાદ તેઓને તેમની ઇચ્છા મુજબ તેમના પરીવારના બે સભ્યો શ્રી હર્ષદભાઇ તથા અભીગ્નાબેન કે જેઓ રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ ત્રીમંદીર ખાતે ક્વોરોન્ટાઇન કરવામાં આવેલ છે ત્યાં જવાની વાત કરતાં સરકારી એમ્બ્યુલન્સમાં રાજકોટ મહાનગરપાલીકાના નાયબ આરોગ્ય અધિકારી ડો મનીષ ચુનારા અને આરોગ્ય અધિકારી ડો. નિશીતા સૌમૈયાના વડપણ હેઠળ ત્યાં પહોચાડવામાં આવેલ જ્યાં તેઓને પણ અલાયદો રુમ ફાળવી આપવામાં આવેલ. તેમનો પરીવાર લાંબા સમય પછી મળેલ હોઇ સહુ કોઇએ આનંદની લાગણી પ્રગટ કરેલ.

માતાએ જયારે હોસ્પિટલમાંથી રજા લીધી ત્યારે તેઓ ભાવુક થઇ ગયા હતા, તેઓ આગળ જણાવે છે હોસ્પિટલમાં દરેક ડોક્ટર મને બા કહેતા હતા આજે જયારે હું અને મારો દીકરો રજા લઈને જઈ રહ્યા છીએ ત્યારે હું માનું છું કે હવે મારે એક દીકરો નથી આ હોસ્પિટલના ડોક્ટર પણ મારા દીકરા બની ગયા છે. આમ વાત કરતા કરતા તેઓ ભાવુક થઇ ગયા હતા.

સાભાર : કેતન દવે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ