જીવનમાં સુખ શાંતિ માટે કરવામાં આવતી નવગ્રહ પૂજન વિધિ વિશે જાણીએ.
આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્માંડમાં રહેલા ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ જન્મ સમયની સ્થિતિ સાથે જોડાયેલી હોય છેઆ નવ ગ્રહોની સ્થિતિને આધારે જન્મ તારીખ ,સમય અને જન્મ સ્થળને સાંકળીને જન્મકુંડળી બનાવવામાં આવે છે.
જાતકના જન્મ સમયે બ્રહ્માંડમાં રહેલા આ નવ ગ્રહની સ્થિતિ જાતકની કુંડળી પર અસર કરે છે જેને આધારે જીવનની ગતિ નિર્માણ થાય છે.જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કુંડળી પર અસર કરતા નવ ગ્રહો અને નવ ગ્રહના સ્થાનને અંતર્ગત ભવિષ્ય કથન કરવામાં આવે છે.
કુંડળી પર ગ્રહ સૂર્ય, ચંદ્ર ,મંગળ ,બુધ ,ગુરુ ,શુક્ર ,શનિ ,રાહુ અને કેતુ છે.દોષના નિવારણ માટે અને ભવિષ્યની મંગલ કામના માટે આ નવગ્રહ નું પૂજન કરવામાં આવે છે જેને આપણે નવગ્રહ પૂજન અથવા તો ગ્રહશાંતિ તરીકે ઓળખીએ છીએ.
દરેક ગ્રહના અલગ-અલગ બીજ મંત્ર હોય છે અને નવગ્રહ પૂજા સમયે આ તમામ ગ્રહ ને અનુરૂપ મંત્ર જાપ કરવામાં આવે છે.
નવગ્રહ પૂજન સમયે સૌથી પહેલા ગ્રહો નું આહવાન કરી તેને પૂજામાં સ્થાપિત કરવામાં આવે છે.
સૂર્ય
સૂર્યને નવગ્રહ નો રાજા કહેવામાં આવે છે. સૂર્ય દોષના નિવારણ અર્થે ઓમ હાં હ્રીં સ: સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવામાં આવે છે. સૂર્ય ગ્રહને પ્રસન્ન કરવા માટે ઘઉં ગીત જાંબુ તેમજ ફળનું દાન કરવામાં આવે છે. સૂર્યને જળનો અભિષેક કરવાથી પણ સૂર્યની કૃપા મેળવી શકાય છે.
ચંદ્ર
જાતકની કુંડળીમાં નબળો ચંદ્ર હોવાને કારણે કાર્ય સફળતા માં અવરોધ આવે છે.ચંદ્રને મજબૂત બનાવવા માટે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ ઉપરાંત ઓમ શ્રાં શ્રીં શ્રો ચંદ્ર આય નમઃ મંત્રનો જાપ કરવો.
મંગળ
લગ્નની કુંડળીમાં મંગળ અતિ મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. મંગળ ગ્રહથી સર્જાતી સમસ્યાના નિવારણ માટે ઓમ ક્રાં ક્રીં ક્રોમ્ સ: ભૌમાય નમઃ મંત્રનો જાપ કરવો ઉપરાંત લાલ રંગની વસ્તુઓનું દાન કરવું.
બુધ
બુધ ગ્રહને પ્રસન્ન રાખવા બુધવારે મગ લીલા વસ્ત્ર અને કપૂર જેવી વસ્તુઓનું દાન કરવું ઉપરાંત ઓમ બ્રાં બ્રીં બ્રો સ: બુધાય નમઃમંત્રનો જાપ કરવાથી પણ બુધનું નડતર દૂર થાય છે.
ગુરુ
કાર્યની સફળતા માટે ગુરુ પણ મહત્વનો ગ્રહ માનવામાં આવે છે.ગુરૂ ગ્રહની ખરાબ દશા હોય તો પીળી દાળ,હળદર જેવા પીળા રંગની વસ્તુઓનું દાન કરવું. કેળાના છોડની પૂજા અર્ચના કરવાથી પણ કેટલેક અંશે ગુરુમાં રાહત મળે છે ઉપરાંત ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ: ગુરુવે નમઃ મંત્રની ઉપાસના કરવી.
શુક્ર
ઓમ દ્રાં દ્રીં દ્રોં સ: શુક્રાય નમઃ મંત્રના જાપ કરવાથી તેમજ ચોખા, દૂધ, ચાંદી જેવી સફેદ વસ્તુઓનું દાન કરવાથી શુક્ર ગ્રહ દોષ નું નિવારણ થઇ શકે છે.
શનિ
શનિ પાપનો કારક ગ્રહ માનવામાં આવે છે. જાતકને તેના કર્મ અનુસાર ફળ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. શનિની પનોતી અને શનિનો દોષ વ્યક્તિના જીવનમાં હંમેશા અશાંતિ સર્જતું રહે છે.
શનિને શાંત રાખવા તેલ,તલ,કાળા વસ્ત્રો ,બ્લેન્કેટ,ચંપલ જેવી ચીજ વસ્તુઓનું દાન શનિવારના દિવસે કરવું જોઈએ. ઓમ પ્રાં પ્રીં પ્રોં સ: શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી પણ શનિ મહારાજ શાંત રહે છે.
રાહુ
રાહુ નો દોષ પણ જાતક માટે ઘાતક નીવડે છે.રાહુની શાંતિ અર્થે ઓમ ભાં ભીં ભો સં: રાહવે નમઃ મંત્રનો જાપ કરવો ઉપરાંત ભૂરા રંગની વસ્તુઓનું દાન શનિવારના દિવસે કરવું.
કેતુ
કેતુની પ્રસન્નતા મેળવવા અનાજ ,તેલ તથા ગરમ કપડાંનું દાન કરવું જોઈએ. ઓમ સાં સીં સોં સ:કેતવે નમઃ મંત્રનો જાપ કરવાથી કેતુના ગ્રહ દોષને શાંત કરી શકાય છે.
તમામ ગ્રહની શાંતિ અર્થે કરવામાં આવતા નવગ્રહ પૂજન વિધિનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ અને પુરાણોમાં પણ પ્રાપ્ય છે.દેવાધિદેવ મહાદેવની પૂજા ની સાથે નવ ગ્રહની પૂજા કરવામાં આવે છે.
નવગ્રહ પૂજન વિધિ અનુસાર બાજોઠ પર લાલ રંગનું કપડું બિછાવી તેની પર નવગ્રહનું આહવાન કરી તેની સ્થાપના કરવામાં આવે છે.ગ્રહોના આહવાન સમયે દરેક ગ્રહ સાથે જોડાયેલ આ મંત્રની ઉપાસના કરવામાં આવે છે ઉપરાંત મંત્ર જાપ સમયે તેમને અક્ષત એટલે કે ચોખા અર્પિત કરવામાં આવે છે.
બાજોટ પર ગ્રહ સ્થાપના સમયે પણ દરેક ગ્રહનું એક ચોક્કસ સ્થાન હોય છે તે મુજબ જ તેમનું આહ્વાન કરી તેમની સ્થાપના કરવી જોઈએ.
ગ્રહોના આહવાન અને સ્થાપના સમયે કરવામાં આવતો મંત્ર પાઠ.
સૂર્ય
સૌથી પહેલાં સૂર્ય ગ્રહનું આહવાન કરવામાં આવે છેસૂર્યદેવના આહવાન સમયે લાલ ચોખા અને લાલ રંગના ફૂલો હાથમાં લઇ મંત્રોચ્ચાર કરવામાં આવે છે.
मंत्र
ચંદ્ર
સૂર્યદેવના આહ્વાન બાદ ચંદ્ર ની સ્થાપના કરવામાં આવે છે.ચન્દ્ર દેવ ના આહવાન સમયે સફેદ ચોખા અને સફેદ ફૂલ હાથમાં રાખવામાં આવે છે.
मंत्र
મંગળ
ત્રીજા સ્થાન પર મંગળ ગ્રહનો આહવાન કરવામાં આવે છે મંગળ ગ્રહના આહવાન સમયે લાલ પુષ્પ અને લાલ ચોખા મંત્રોચ્ચાર સાથે મંગળ ગ્રહને અર્પિત કરવામાં આવે છે.
मंत्र
બુધ
બુધ ગ્રહના આહવાન સમયે હળદરવાળા ચોખા અને ફૂલ અર્પણ કરતા મંત્રોચ્ચાર કરવામાં આવે છે.
मंत्र
ગુરુ
ગુરુ ગ્રહના આહવાન સમયે પીળા ચોખા અને પીળા રંગના ફૂલ સાથે મંત્રોચ્ચાર દ્વારા ગુરૂ ગ્રહને આમંત્રિત કરવામાં આવે છે.
मंत्र
શુક્ર
સફેદ ચોખા તેમજ સફેદ રંગના પુષ્પ સાથે શુક્ર ગ્રહનું આવાહન કરવામાં આવે છે.
मंत्र
हिमकुन्दमृणालाभं दैत्यानां परमं गुरुम् ।
શનિ
શનિ મહારાજને આમંત્રણ આપતી વખતે કાળા રંગથી રંગેલાં ચોખા અર્પણ કરવામાં આવે છે.
मंत्र
રાહુ
રાહુના આહવાન સમયે પણ કાળા રંગના ચોખા તેમજ ફુલ હાથમાં રાખવામાં આવે છે ઉપરાંત મંત્રોચ્ચાર દ્વારા રાહુ નું આહવાન કરી તેની પર ચોખા તથા પુષ્પ અર્પણ કરવામાં આવે છે.
मंत्र
કેતુ
કેતુના આહવાન સમયે ધૂમિલ અક્ષત અને ફૂલ અર્પિત કરવામાં આવે છે ઉપરાંત કેતુનો આહવાન મંત્ર નો મંત્રોચ્ચાર પણ કરવામાં આવે છે.
मंत्र
ત્યારબાદ નવગ્રહ મંત્ર નું પારાયણ કરવામાં આવે છે
નવગ્રહ ના આહ્વાન બાદ તેમની વિધિવત સ્થાપના કર્યા બાદ તેમનું વિધિ અનુસાર પૂજન કરવામાં આવે છે .ઉપરાંત શિવની પૂજા પણ કરવામાં આવે છે.નવગ્રહ શાંતિ તેમજ શિવપૂજનથી ગ્રહ દોષનું નિવારણ થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ