પેલું કહેવાય છે ને કે આ તો કળિયુગ છે. આમાં કઈ પણ થઈ શકે છે અને કંઈ પણ સાંભળવા મળી શકે છે. ત્યારે આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. આ ઘટના તમિળનાડુના મયિલાદુથુરાયના મયુરનાથ સ્વામી મંદિરમાં બની હતી. જ્યાં એક વોટ્સએપ ફોટો વાયરલ થયા બાદ એક પુજારીને કાઢી મૂકવામાં આવ્યો હતો. પૂજારીએ છ મહિના પહેલા તેના પિતાની મદદ માટે તે મંદિરમાં સેવા આપવાનું શરૂ કર્યું, પરંતુ એક દિવસ તેણે મંદિરની દેવી અભયમાબલની તૈયારી અને સજાવટ કરતી વખતે સલવાર-કમીઝ પહેર્યું હતું. પછી એવું થયું કે બધા ભક્તો ગુસ્સે થયા અને સલવાર-કમીઝને કારણે 1000 વર્ષ જૂની મૂર્તિની ‘શુદ્ધતા’ કલંકિત થઈ ગઈ છે એવું કહેવામાં આવ્યું.
આ ઘટના બન્યા પછી મંદિરના સંચાલકે પૂજારી અને તેના પિતા બંનેને મંદિરમાંથી કાઢવાનો નિર્ણય કર્યો અને તે પછી મંદિરની સમિતિએ મૂર્તિના પવિત્રતા માટે ચંદનના લાકડાથી શણગારવામાં આવ્યા. તે પહેલી વાર હતું જ્યારે મૂર્તિને સજાવટ કરતી વખતે તેણે સાડીની જગ્યાએ સલવાર કમીઝ પહેર્યું હતું અને તેના ઉત્સાહમાં મૂર્તિની તસવીર લીધી હતી અને તેને વોટ્સએપ પર શેર કરી હતી. આ પછી જ્યારે મંદિરના મેનેજમેન્ટ પક્ષમાંથી ગણેશનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મૂર્તિને સજાવવા સાડીમાં જે ચમકદાર કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પૂજારી દ્વારા અલગ પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તેણે આ કામ તેના પિતાના મદદ માટે કર્યું હતું. પરંતુ શુક્રવારે તેણે દેવીની મૂર્તિ વાદળી કલરની સલવારથી અને ગુલાબી કલરની કમીજથી શણગારી દીધી હતી. જેના કારણે મંદિરના લોકો અને અન્ય ભક્તો ગુસ્સે થયા હતા. આ પછી તિરુવદ્દીન એડિનમ (મઠ) દ્વારા પિતા અને પુત્રને હાંકી કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણયમાં તામિલનાડુમાં વહીવટી નિયંત્રણ હેઠળના લગભગ 27 મંદિરો શામેલ છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અનેક મંદિરોના પૂજારીઓ તેમની કળા દર્શાવતા પહેલા જ આવા સજાવટથી સર્જનાત્મકતા કરે છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં નવા વર્ષ પર કોઈમ્બતુરના એક નાનકડા મંદિરમાં દેવતાઓને 2 હજારની નોટોથી શણગારવામાં આવ્યા હતા.
એકાદ વર્ષ પહેલાં ગુજરાતમાં આ પુજારી પણ ચર્ચામાં આવ્યા હતા. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિરમાં 15 ફુટનો ફુવો પડતા પૂજારી ખાબક્યા હતા. પૂજારી મંદીરમાં પૂજા કરી રહ્યાં હતા ત્યારે અયાનક ધડાકાભેર જમી ધસી પડી હતી અને પૂજારી તેમાં ખાબક્યા હતા. સ્થાનિક હર્ષદ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદના હાટકેશ્વર ભાયપુરાના 132 મોડલ રિંગ રોડ પર સવારે 8.30 થી 9.30ની વચ્ચે જમીન ધસી પડી હતી. આ ઘટનાના પગલે દાર્શનીકોએ પૂજારી સિલ્વા કુમારને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ ગયા હતા. મંદિરની નજીક ગટરનું કામ શરૂ હતું જેના કારણે માટી કાઢવામાં આવી હતી. ભૂવો પડવાની સાથે મંદિરની દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ