ભોળાનાથનું આ સ્થાન છે દુર્ગમ – ઘણા ઓછા લોકો કિન્નર કૈલાશની યાત્રા કરી શકે છે..

હિમાલયના પહાડ પર આવેલું શિવજીનું આ ધામ ખુબ મહત્ત્વનું છે પણ અહીંના દર્શન સામાન્ય માણસના બસની વાત નથી. શિવજીના દર્શન માટેની અઘરામાં અઘરી યાત્રા હોય તો તે છે કૈલાશ-માનસરોવરની યાત્રા જે તિબેટમાં આવેલું છે પણ અહીં ભારતમાં જ શિવજી એક એવી જગ્યાએ બિરાજમાન છે કે ત્યાં પહોંવાનું સાહસ કોઈ કાઠા કાળજાની વ્યક્તિ જ કરી શકે.

શિવજીના આ પવિત્ર અને દુર્ગમ સ્થળનું નામ છે કિન્નર કૈલાશ. શ્રાવણ મહિનાની શરૂઆતથી જ આ દુર્ગમ યાત્રા શરૂ થાય છે. એવું કહેવાય છે આ દુર્ગમ સ્થળની યાત્રા સામાન્ય માણસ પોતાના જીવનમાં માત્ર એક જ વાર કરી શેક છે કારણ કે તે તમારી પાસેથી ઘણું બધું સાહસ માગી લે છે.

 

View this post on Instagram

 

A post shared by महादेव के पुजारी (@jai_shankar1) on

કિન્નર કૈલાશ પર્વત હિમાલયમાં આવેલા હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં તિબેટની બોર્ડર નજીક આવેલો છે. આ પર્વતની ઉંચાઈ 6050 મીટર છે. અહીં એક કુદરતી શિવલિંગ આવેલું છે. એવું કહેવાય છે કે આ જગ્યા ભોળાનાથની શિતકાલીન જગ્યા છે. હિન્દુઓ તેમજ બૌદ્ધો માટે આ એક આસ્થાનું કેન્દ્ર છે પણ દુનિયા ભરના ટ્રેકર અહીંના પડકાર જનક ટ્રેક પર ટ્રેકીંગ કરવા આવે છે.

 

View this post on Instagram

 

किन्नौर कैलाश पर्वत की चोटी पर विराजमान यह 79 फिट का शिवलिंगम बार-बार बदलता है अपना रंग 🚩 . 🙏जय भोलेनाथ🙏 . The Kinnaur Kailasha (locally known as Kinner Kailash) is a mountain in the Kinnaur district of the Indian state Himachal Pradesh. The Kinner Kailash Shivlingam is a 79 foot vertical rock in the Kinner Kailash mountain range.This place is believed to be the home of Load Shiva from where he regulates the Universe. . किन्नर कैलाश पर्वत पर 79 फिट का ऊँचा शिवलिंगम सीना ताने खड़ा है। भारत तिब्बत बॉर्डर से सटे किन्नौर को खूबसूरती के लिए जाना जाता है। मानसरोवर के नजदीक कैलाश के चोटियों से जन्मा सतलुज नदी किन्नौर से बहकर निकलता है जो इसकी खूबसूरती को और बढ़ाता है। किन्नर कैलाश स्थित शिवलिंग अपने कई रहस्यों के लिए जाना जाता है। इसे दूसरा सबसे बड़ा कैलाश पर्वत माना जाता है जिसका सफर बहुत कठिन होता है। . हिन्दू मान्यतों के अनुसार भगवान शिव इसी पर्वत पर देवी देवताओं के साथ बैठकें करते थे और इसी कारण इसे शिव का शीतकालीन निवास भी कहा जाता है। किन्नर कैलाश पर आपको ब्रह्मकमल के हज़ारों पौधे दिख जाएंगे जो एक अद्भुत दृश्य है। . . . शिवलिंग बार बार बदलता है अपना रंग 🙏 किन्नर कैलाश स्थित इस विशाल शिवलिंग को लेकर एक चमत्कारी बात कही जाती है की दिन के हर क्षण में ये शिवलिंग अपना रंग बदलता है। सूर्योदय से पहले सफ़ेद ,सूर्योदय होने पर पीला ,मध्यान्ह में ये लाल होता है और फिर डूबते हुए शाम तक काला हो जाता है। हालांकि ऐसा क्यों है ये अब तक एक रहस्य है। किन्नौर के लोग इसे एक चमत्कार के रूप में देखते हैं। . Follow us @ukdevonkibhumi Join us @ukdevonkibhumi Via @himalayan_traveler #ukdevonkibhumi #devbhoomi #devbhoomiuttarakhand #KinnaurKailasha #kinnerkailash #hugeshivlinga #shivlingam #lordshiva #hindupilgrim #hindutva #religiousplace #himachal #devbhoomi #ukdevonkibhumi #nature #mountains #hinduism #beautifulplaces #incredibleindia #incredibleuttarakhand

A post shared by UttarakhanD “देवों की भूमि” (@ukdevonkibhumi) on

આ પહાડ પર આવેલા કુદરતી શિવલિંગની ઉંચાઈ 40 ફૂટ અને પહોળાઈ 16 ફીટ છે. આ જગ્યાને શિવની તપોભૂમિ પણ કહેવાય છે. હીંદુઓની સાથે સાથે બૌદ્ધ શ્રદ્ધાળુઓ પણ અહીં શિવજીની સંપૂર્ણ શ્રદ્ધાથી પુજા કરે છે.

આ શિવલિંગને ચમત્કારી માનવામાં આવે છે કારણ કે તે દિવસ દરમિયાન કેટલીએ વાર રંગ બદલે છે. સૂર્યોદય પહેલાં તે સફેદ હોય છે, સુર્યોદય બાદ પીળું થાય છે અને બપોરે તે લાલ થઈ જાય છે આમ ફરી પાછો રંગ બદલતું રહે છે. કિન્નૌરના લોકો શિવલિંગનો રંગ બદલાવાની વાતને ચમત્કાર જ માને છે. જ્યારે નિષ્ણાતોનું કહેવું છે કે શિવલિંગની સ્ફટિકવાળી રચના અને સૂર્યની કિરણો અલગ અલગ એંગલથી પડવાના કારણે શિવલિંગનો રંગ બદલાતો રહે છે.

 

View this post on Instagram

 

About Shrikhand Mahadev….🌼 . Positioned at an altitude of 5155 meters, Shrikhand Mahadev Peak looks like the Shivling. It is believed that Lord Shiva meditated at this peak and it was visited by Pandavas as well. The peak offers engrossing views of nature. The surrounding snow covered peaks add on to the natural charm of the place.. . Image Courtesy: @manish___sharma_ © . Location: Shrikhand Mahadev | Himachal Pradesh | INDIA. . Keep Sharing Your Stories with #touron2wheelers To Get Featured In @touron2wheelers . #HimachalPradesh #Beautiful #shiva #kinnerkailash #ganges #beautifulplaces #kullumanali #photographers_of_india #trekkinglife #travelrealindia #TravelDiaries #campinglife⛺️ #Travelphotography #wanderlust #landscapephotography #sonyimages #shivalingam #parvativalley #dharamshala #instamountain #delhi_igers #peak #picoftheday #openmyworld #incredibleindia #devbhoomi #jammuandkashmir #uttrakhand #bholenath

A post shared by Tour On 2 Wheelers (@touron2wheelers) on

કીન્નર કૈલાશ સાથે કંઈ કેટલીએ માન્યતાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે આ તે જ જગ્યા છે જ્યાં શિવજી અને અર્જુનનું યુદ્ધ થયું હતું. અને અહીં જ અર્જુનને પાસુપાતાસ્ત્ર મળ્યુ હતું. એવું પણ કહેવાય છે કે પાંડવોએ પોતાના વનવાસનો આખરી સમય અહીં વિતાવ્યો હતો. મહાભારત કાળમાં આ કૈલાશનું નામ ઇન્દ્રકીલપર્વત હતું.

કિન્નર કૈલાશની યાત્રા કેવી રીતે થાય છે

તેના માટે જે કોઈ પણ યાત્રી કિન્નર કૈલાશની યાત્રા કરવા માગે છે તેમણે ઇન્ડો-તિબેટ બોર્ડર પર પોતાની નોંધણી કરાવવાની હોય છે. અને તમને જણાવી દઈએ કે આ પોસ્ટ 8727 ફૂટની ઉંચાઈએ આવેલી છે. નોંધણી કરાવ્યા બાદ લાંબાર માટે યાત્રીઓ રવાના થઈ જાય છે. આ લાંબાર જગ્યા 9678 ફૂટની ઉંચાઈ પર આવેલી છે. આ 10 કીલોમીટરનું અંતર છે જેને યાત્રીઓ ચાલીને અથવા તો ખચ્ચર પર સવારી કરીને કાપી શકે છે.

ત્યાર બાદ બીજો પડાવ 11,319 ફૂટની ઉંચાઈ પર આવેલો છે જેનું નામ ચારાંગ છે. અહીં ચઢાણવાળો રસ્તો છે જેને પાર કરતાં 8 કલાક કરતાં વધારે સમય લાગે છે. ધીમે ધીમે પહાડો ઓછા થતા જાય છે.

 

View this post on Instagram

 

A post shared by EziiTours (@eziitours) on

ચારાંગ ગામ આવતાં જ ત્યાં સિંચાઈ અને હેલ્થ ડીપાર્ટમેન્ટનું ગેસ્ટ હાઉસ આવે છે, જેની આસપાસ યાત્રીઓના આરામ માટે તંબુઓ બાંધવામાં આવ્યા છે. જ્યાં યાત્રીઓ આરામ કરીને ફરી પાછા લલાંતિ પડાવ તરફનું પ્રયાણ કરે છે. જે 14,108 ફૂટની ઉંચાઈ પર આવેલું છે જેનું ચઢાણ કરતાં 6 કલાક કરતાં પણ વધારે સમય જાય છે.

ચારાંગથી 2 કી.મીટરના ચઢાણ બાદ રંગ્રિક તુંગમાનું મંદિર આવે છે એવું કહેવાય છે કે અહીંની યાત્રા આ મંદીરના દર્શન વગર પૂર્ણ નથી કહેવાતી. ત્યાર બાદ યાત્રીએ સતત 14 કલાક સુધી ચઢાણ કરવું પડે છે. આ દિવસે યાત્રીએ ચઢાણ અને ઉતરાણ બન્ને કરવા પડે છે. કારણ કે લલાંતિ થી ચારાંગ સુધી ચડાઈ કરવી પડે છે જ્યારે ચિતકુલ દેવીના દર્શન માટે તેમણે થોડું ખીણમાં ઉતરવું પડે છે.

કન્નર કૈલાશને રોક કૈલાશના નામે પણ ઓળખવામાં આવે છે. આ શિવલિંગની પરિક્રમા ખુબ જ અઘરી છે તેના માટે સ્વસ્થ શરીર તેમજ મજબુત મનોબળની જરૂર પડે છે. આખા કિન્નર પર્વતની પરિક્રમા કરવામાં આઠથી દસ દિવસનો સમય લાગે છે.

યાત્રા દરમિયાન સરકાર તેમજ સ્થાનિક લોકો દ્વારા ઘણી બધી સગવડો પુરી પાડવામાં આવે છે. કીન્નર કૈલાશની યાત્રામાં લગભગ પાંચ દીવસ જેટલો સમય લાગે છે પણ તેની પરિક્રમમા કરવામાં દસ દીવસ સુધીનો સમય લાગે છે.

આ યાત્રા અહીંના સ્થાનિક લોકો માટે એક ઉત્સવ સમાન હોય છે તેના માટે તાંગલિંગ ગામમાં એક સ્વાગત દ્વાર પણ બનાવવામાં આવે છે. અને અહીં જ બેઝકેમ્પ બનાવીને શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. તેમજ સંપૂર્ણ યાત્રા દરમિયાન ખાવાપિવાની સગવડ પણ કરવામા આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ