હળાહળ કળિયુગનો કિસ્સો, ભાઈ સાથે જ પરણી ગઈ આ યુવતી, પિતાએ લાલઘૂમ થઈને જીવતા જ કર્યા અંતિમ સંસ્કાર

તાજેતરમાં ઝારખંડના રામગઢ વિસ્તારમાં આશ્વર્જનક ઘટના સામે આવી છે. ભાઈ-બહેનના સંબંધોને શરમજનક બનાવતી આ ઘટનાની ચારે તરફ ખુબ જ નિંદા થઈ રહી છે. રજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રપુરમાં એક યુવતી ઘરેથી ભાગી ગઈ હોવાની વાત સામે આવી હતી. આ વિશે વિગતે વાત કરીએ તો આ યુવતી તેના પોતાના જ પિતરાઇ ભાઇ સાથે લગ્ન કરી ભાગી ગઇ હોવાની વાત સામે આવી રહી છે.

image source

કહેવામા આવી રહ્યુ છે કે, આ યુવતીના લગ્ન પણ નક્કી થઇ ચૂક્યા હતા. પરંતુ તિલક સમારોહના એક દિવસ પહેલા જ તે ઘરેથી ભાગી ગઇ હતી અને તેના પિતરાઇ ભાઇ સાથે લગ્ન કરી લીધા હતા. આ વાત બહાર આવતા આખા પરિવાર સાથે ગામમાં અરાજકતા ફેલાઈ ગઇ હતી. દીકરીના આ ઘૃણાસ્પદ કારનામા વિશે પિતાએ તેના જીવતા જ અંતિમ સંસ્કાર કરી દીધા હતા. પિતાએ પુત્રીનું પુતળું બનાવીને તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો આ મામલો ચિત્રપુર બ્લોકના લારી ગામનો છે. અહીં વિષ્ણુ વિસ્તારમા રહેતા યુવકે પોતાના કઝીન સાથે લગ્ન કર્યા. આ કારણે પરિવારની આખા ગામમા થુ-થુ થઇ રહી છે. આ બન્નેના ભાગી ગયા પછી બુધવારે ગુસ્સે ભરાયેલા પિતા અને યુવતીના પરિવારજનોએ યુવતીનું પુતળું દહન કર્યું હતું અને સિમરા ઘાટ ખાતે જીવતા જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. છોકરીના આ કૃત્યથી પિતા ખુબ શોકમાં છે. યુવતીના પિતા કહે છે કે, પુત્રીએ બધાની સામે તેનુ નાક કપાવી નાખ્યુ છે. હવે તેઓ સમાજમાં કોઈને પોતાનો ચહેરો બતાવી શકશે નહીં.

image source

મળતી માહિતી મુજબ, આ યુવતીનો પોતાના પિતરાઇ ભાઇ સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ પરિવારે રાંચીમા તેના લગ્ન કરવાનું નક્કી કર્યા હતા. પરંતુ તે પહેલા, 28 ફેબ્રુઆરીએ જ આ યુવતી ઘરેથી ભાગી ગઈ હતી અને તેના કઝીન સાથે લગ્ન કર્યા હતા. આ કેસમાં યુવતીના પિતાએ રાજરપ્પા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. જીતેન્દ્રકુમાર અને મિથિલેશ કુમાર પર દીકરીને બળજબરીથી ઘરની બહાર લઇ જવાનો આરોપ હતો.

image source

રામગઢ પોલીસને ઘણી મથામણ બાદ આ પ્રેમી પંખીડા મળી ગયા હતા. જ્યારે પોલીસે આ બાબતે તે બન્નેને સાથે પુછપરછ કરી ત્યારે, પોલીસ સ્ટેશનમાં યુવતી અને તેના પિતરાઇ ભાઇએ એકબીજા સાથે લગ્નની કર્યાની વાતની કબૂલાત પણ કરી લીધી હતી. યુવતીના પરિવારે તેને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેના પ્રેમી સાથે રહેવા પર અડગ હતી. પુત્રીના ઇનકારથી ગુસ્સે થતાં પિતાએ સ્મશાનમાં ચીતા બનાવી દિકરીના જીવતા જ તેના માટે હવે મરેલ જાહેર કરીને અંતિમ સંસ્કાર આપ્યા હતા.

image source

આ મુદ્દે પરિવારના સભ્યોનું કહેવું છે કે, યુવતી હવે તેમના માટે મરી ગઈ છે. તેણે આજીવન કુટુંબની ઇજ્જ્ત ધુળ કરી નાખી છે. તેથી તે હવે જીવે કે મરે અમને કઇ ફરક નહી પડે, જેથી અમે તેના અંતિમ સંસ્કાર કરી હવે તેને ભુલી જવા માંગીએ છીએ. વધારે માહિતી આપતા રજરપ્પા પોલીસ સ્ટેશનના એસએચઓ વિપિન કુમારે જણાવ્યું કે, યુવક અને યુવતી બંને પુખ્ત વયના છે. આવી સ્થિતિમાં, તેમના પર કાયદાકીય રીતે પણ કોઈ દબાણ બનાવી શકાતું નથી. તેઓએ પરસ્પર સંમતિથી જ લગ્ન કર્યા છે. જેથી હવે આ મામલે તેઓ પણ આ બન્નેને કઈ સજા કરી ન શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!