કોરોનાનો હાહાકાર: અહિંયા કેસ ઘટ્યા, તો અહિંયા જોરદાર વધી ગયા, જાણી લો જલદી ક્યાં કેટલા કેસ વધ્યા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યના 5 જિલ્લામાં શૂન્ય કેસ છે. તેમછતાં છેલ્લા 24 કલાકમાં 555 કેસ નોંધાયા છે. જ્યારે 482 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 4,416 થયો છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી ઘટીને 97.22 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 16 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે.

image source

અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતા સાજા થનારની સંખ્યા વધારે હતી. તેમજ રાજ્યમાં 6 માર્ચે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 3 હજારને પાર થયો હતો અને હાલ 3212 એક્ટિવ કેસ છે. કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 555 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 482 દર્દીઓ સાજા થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત અમદાવાદમાં થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 41 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે.

image source

રાજ્યના 5 જિલ્લામાં શૂન્ય કેસ

બનાસકાંઠા, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ પાંચ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

અત્યાર સુધીમાં કુલ 4416 દર્દીના કોરોનાથી થયા મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,66,313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4416 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે.

હવે 3212 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.22 ટકા થયો છે.

image source

મહાનગરોમાં કેસ ઘટ્યા પરંતુ, જિલ્લાઓમાં કેસ વધ્યા!

કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં સંક્રમણ સૌથી વધુ કોરોના ફેલાયો છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. જોકે વડોદરા સિવાયના મહાનગરોમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસ વધ્યા છે. અમદાવાદ શહેરમાં 126 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 90 કેસ, ગ્રામ્યમાં 10, વડોદરા શહેરમાં 79 કેસ, જ્યારે ગ્રામ્યમાં 14, રાજકોટ શહેરમાં 35 કેસ અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે.

5,01,253​ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

image source

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 15,01,253 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 3,57,654 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા જ શહેરોમાં કોરોનાના કેસ વધ્યા

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી પહેલા જ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હતો. જોકે નેતાઓની સભામાં અને પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો, ભીડ ભેગી કરી અને હવે શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.

કોરોનાની નવી પેટર્નને લઈ ડૉ.વસંત પટેલે વ્યક્ત કરી ચિંતા

ડૉ.વસંત પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ વધી શકે છે.

image source

આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન લોકોને ડૉ.વસંતે અપીલ કરી છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓએ નિયમોનો ભંગ કરતા દેખાયા છે. લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરી.

3212 એક્ટિવ કેસ, 41 દર્દી વેન્ટિલેટર પર

રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 73 હજાર 941ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,416 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 66 હજાર 313 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3212 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 3171 દર્દીની હાલત સ્થિર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!