ત્વચાને સુંદર અને ત્વચામાં મોઈશ્ચર બનાવી રાખવા માટે સામાન્ય રીતે લોકો સંતરા ખાય છે.
આજે અમે આપને એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને આપને નવાઈ લાગશે પરંતુ આ વાત આપના માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સંતરાના બીજ આપના માટે ખૂબ જ કામના છે. સંતરાના બીજ આપની ત્વચામાં નિખાર અને સુંદરતા તો લાવે જ છે ઉપરાંત સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી બધી તકલીફોને પણ દૂર કરે છે. હવે જાણીશું કે આ સંતરાના નાના બીજ આપના માટે કેટલા લાભકારી છે અને સંતરાના બીજનો કેવીરીતે ઉપયોગ કરી શકાય છે તે વિષે જણાવીશું.
-બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.:
સંતરાના બીજથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. સંતરાના બીજમાં વિટામિન બી૬ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે અને સંતરામાં મૈગ્નેશિયમ કન્ટેન્ટ હોવાના કારણે આ સંતરાના બીજ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
-મહેકી ઉઠશે ઘર:
સંતરાના બીજમાંથી બનેલ એસેન્શિયલ ઓઇલને એક બાલ્ટીમાં નાખીને તેનો પ્રયોગ કરવાથી ઘરમાંથી દુર્ગંધ દૂર થઈ જાય છે ઉપરાંત આની સાથે જ આપનુ ઘર એક મનમોહક સુગંધથી મહેકી ઉઠે છે.
-વાળની સંભાળ રાખવા માટે:
જો આપ આપના શુષ્ક વાળની તકલીફ થી હેરાન થઈ રહ્યા છો તો હવે આપની તકલીફનો ઉપાય મળી ગયો છે. સંતરાના બીજમાંથી નીકળતું ઓઇલ વાળના ગ્રોથ માટે એક સારું કન્ડિશનર માનવામાં આવે છે. સંતરાના બીજમાં વિટામિન સી અને બાયો-ફ્લેવનોઈડ હોય છે જે રક્ત પ્રવાહને સુધારો કરવામાં મદદ કરે છે, જેના કારણે વાળ મજબૂત અને સુંદર બને છે. આ સિવાય સંતરાના બીજમાં રહેલ ફોલિક એસિડ વાળના મૂળને મજબૂત બનાવે છે.
-એસેન્શિયલ ઓઈલના રૂપમાં પ્રયોગ કરો.:
સંતરાના બીજોમાંથી નીકળવાવાળું એસેન્શિયલ ઓઇલ પાણી, કેક અને કેટલાક પ્રકારના ફૂડને ફ્લેવર આપવાના પણ કામમાં આવે છે.
-ઇમ્યુનિટીને ઇમ્પ્રુવ કરવામાં મદદ કરે છે.
સંતરાના બીજમાં એંટીઓક્સિડેંટ ભરપૂર મળી આવે છે જેના કારણે આ ઇમ્યુનિટીને સારી બનાવવામાં મદદ કરે છે. સંતરાના બીજમાં મળી આવતું વિટામિન સી આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ