ગુજરાતીઓ માટે સારા અને મહત્વના સમાચાર : આ તારીખથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકશો…

રૂપાણી સરકારનો મોટો નિર્ણય. આ તારીખ પછી તમે ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકશો.

ભારતમાં કોરોનાને કારણે જે લોકડાઉન છે તેના કારણે કેટલા લોકો પોતાના વતન જવા માત્ર તૈયાર છે પરંતુ લોકડાઉનને કારણે જઈ શકતા નથી. પણ આજે રૂપાણી સરકારે નિર્ણય લીધો છે અને એક અરજી કર્યા બાદ તમે પોતાના વતન તરફ પ્રયાણ કરી શકો છો.

આવતી કાલથી એટલે કે તારીખ 6થી વતન જવા માંગતા લોકો જે તર જિલ્લા કલેકટરને વતન જવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. આ પછી પરમદિવસ એટલે કે સાત તારીખથી લોકો મંજૂરી મળ્યા પછી વતન જઈ શકશે.

image source

ગુજરાતની રૂપાણી સરકારે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લાઓમાં ફસાયેલા લોકો માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસ કરવાની છૂટ આપી દીધી છે. આ અંગે ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આવતી કાલથી વતન જવા માંગતા લોકો જે તે જિલ્લા કલેક્ટરને વતન જવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ પછી પરમ દિવસ એટલે કે, સાત તારીખથી લોકો મંજૂરી મળ્યા પછી પ્રવાસ કરી શકશે.

મંત્રી ગણપત વસાવાએ એમ પણ જણાવ્યું હતું કે, હાલ, પૂરતી લક્ઝરી બસોમાં જ પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે. કલેક્ટર જે લોકોને મંજૂરી આપે તે જ લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસ કરી શકશે. આ નિર્ણય આખા ગુજરાતમાં લાગું કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે લોકડાઉન દરમિયાન આ જિલ્લાઓમાં ફસાયેલા લોકો હવે પોતોના વતન પરત જઈ શકશે.

image source

આવતી કાલથી વતન પરત જવા ઇચ્છતા લોકો જે તે જિલ્લાના કલેક્ટરને ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ પરમ દિવસથી લક્ઝરી મારફત વતન જવા માટે મંજૂરી આપવામાં આવશે. શરૂઆતમાં માત્ર લક્ઝરી બસને પરિવહન માટે મંજૂરી આપવામાં આવી છે. તેમજ પરમિશન વગર કોઇ પણ વ્યક્તિ ખાનગી વાહનોમાં પ્રવાસ કરી શકશે નહીં. આ અંગે ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાએ માહિતી આપી હતી.

image source

વતન જવા માંગતા લોકોને કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. વતન પહોંચ્યા બાદ 14 દિવસ હોમ કોરોન્ટાઇન થવાનું રહેશે. વતન જનારા લોકો પછી 1 મહિના સુધી ફરી સુરત પરત ફરી શકશે નહીં. વતનમાં જવા માટે હાલમાં ફક્ત પ્રાઇવેટ બસ સર્વિસને જ પરમિશન આપવામાં આવી છે. લોકો પોતાના વાહન લઈ ને જવા પર હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આગળ જતાં સરકાર બધા નિયમો જાહેર કરશે.

image source

ગુજરાત સરકારના આ નિર્ણયને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં ફસાયેલા લોકોને મોટો ફાયદો થશે. સુરતમાં 12 લાખ રત્નકલાકારો હવે વતન પરત ફરી શકશે. વધુ વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે. વતન જવા માંગતા લોકોએ અન્ય બીજી શરતોનું પાલન કરવાનું રહેશે. જે અંગેની માર્ગદર્શિકા હવે જાહેર કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ