ધનાઢ્ય બનવાનું સપનું નહીં રહે અધુંરુ, બસ આ બેમાંથી એક ઉપાય અજમાવી જુઓ એકવાર
તંત્રશાસ્ત્રમાં એવા અનેક ટોટકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને અમલમાં મુકવાથી વ્યક્તિના ધનવાન બનવાના સપનાને પૂર્ણ કરી શકે છે. દરેક વ્યક્તિ ધન કમાવા માટે દોડધામ કરે છે. પરંતુ દરેકની ધનવાન બનવાની ઈચ્છા પૂરી થતી નથી. ઘણા લોકો એવા છે જે દરિદ્રતાથી પીડાય છે. દરિદ્રતાને દૂર કરવા લોકો ભગવાનનો આસરો પણ લેતા હોય છે.
પરંતુ ઘણી વખત ભગવાનનો આસરો પણ યોગ્ય કર્મ કર્યા વિના ફળતો નથી અને અનેક પ્રયત્ન છતાં વ્યક્તિની મહેનતનું ફળ મળતું નથી. લોકો અથાગ પ્રયત્ન કરે છે કે તેમની આવક વધે અને જાવક ઘટે. પરંતુ આવું થતું નથી. જ્યારે ધન કમાવાના અને બચાવવાના દરેક પ્રયત્ન ફળીભૂત ન થાય તો શું કરવું ?
આ પ્રશ્નનો જવાબ આજે તમને અહીં મળશે. અહીં તમને એવા ઉપાયો વિશે જણાવવામાં આવશે જે તમારું ધનવાન બનવાનું સપનું પુર્ણ કરશે. આ પ્રયોગ કરવાથી ઘરમાં ધન લક્ષ્મીનું આગમન થાય છે. આ પ્રયોગમાંથી એક પ્રયોગ સાવરણી સાથે જોડાયેલો છે અને બીજો ઉપાય અડદની દાળ સાથે જોડાયેલો છે.
શાસ્ત્રો અનુસાર કેટલાક એવા દિવસો હોય છે જેમાં સાવરણીનું દાન કરવાથી ઘરમાં લક્ષ્મીનું આગમન જ નહીં પરંતુ ધનની વર્ષા થવા લાગે છે. સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. જો સાવરણી સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં હંમેશા બરકત રહે છે.
તો ચાલો જાણી લો કયા કયા છે આવા ઉપાય વિશે.
– કોઈપણ સોમવારે ત્રણ સાવરણી ખરીદી લેવી અને તે બાદ મંગળવારે બ્રહ્મ મુહૂર્તમાં પથારીનો ત્યાગ કરી અને નિત્યકર્મથી નિવૃત થઈ અને ઘરની આસપાસ આવેલા કોઈપણ મંદિરમાં આ ત્રણ સાવરણી મુકી આવો. પરંતુ ધ્યાન રાખવું કે સાવરણી લઈને તમે જતા હોય ત્યારે કોઈની નજર તમારા પર ન પડે.
આ ઉપાય વિધિ અનુસાર કર્યા બાદ જીવનમાં સર્જાયેલી ધન સંબંધિત દરેક સમસ્યા દૂર થઈ જાય છે. આ ઉપાય કરતી વખતે મનમાં શ્રદ્ધા રાખવી અને મંદિરમાંથી પરત આવતા પહેલા ભગવાનને પ્રાર્થના પણ કરવી. આ સિવાય અન્ય એક ઉપાય છે જેને કરવાથી ધન લાભ પ્રાપ્ત થાય છે. આ ઉપાય શનિવારના રોજ કરવાનો રહે છે. આ ઉપાય પહેલા ઉપાય કરતાં સાવ અલગ જ છે. આ ઉપાય કરવાથી દરિદ્રતા તુરંત દૂર થાય છે. પરંતુ તેના માટે શ્રદ્ધા રાખવી જરૂરી છે.
– ધન લાભ માટે કોઈપણ શનિવારની સાંજે તમારે આ અડદની દાળના થોડા દાણા લેવા તેના પર થોડુ દહીં અને સિંદૂર ઉમેરી આ તમામ સામગ્રીને પીપળાની નીચે મુકી આવવી. પરંતુ જ્યારે તમે ઘરે પરત ફરો ત્યારે પાછળ ફરી અને જોવું નહીં અને અન્ય કોઈ સાથે વાતચીત પણ કરવી નહીં. આ ઉપાય કર્યા બાદ તમારા જીવનમાંથી દરિદ્રતા છૂમંતર થઈ જાશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ