શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત માનવામાં આવે છે. ન્યાય અને દંડના દેવતા શનિને પ્રસન્ન કરવા માટે ભક્તો તૈયાર રહે છે. પણ શનિવારના દિવસે તેમની પૂજા કરાય તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. શનિદેવને લઈને કહેવાયું છે કે તેમની દૃષ્ટિ જેની પર પણ પડે છે તેનો સર્વનાશ થાય છે.
જે રાશિના જાતકો પર શનિની સાડા સાતી કે ઢૈપ્યા ચાલી રહી છે તેઓએ વિશેષ રીતે આ ઉપાયોની મદદથી શનિદેવને પ્રસન્ન કરી લેવા જોઈએ. શનિને મનાવવા માટે વિશેષ પૂજન અર્ચન કરવાનું મહત્વ છે.જ્યોતિષ અનુસાર કુંડળીમાં શનિની સ્થિતિ ઘણું કરીને ખાસ મહત્વ રાખે હોય છે.
શનિદેવ જેની પર પણ પ્રસન્ન થાય છે તેનું ઘર ધન અને ધન્યથી ભરેલું રહે છે. આ સાથે તેઓ જ્યાં ક્રોધિત થાય છે ત્યાં રાજા પણ રંક બની જાય છે. ઘરમાં સુખ અને શાંતિનો વાસ હશે તો માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં નિવાસ કરે છે.
શનિવારે કરી લો આ ખાસ અસરકારક ઉપાયો, અચૂક મળશે ફળ
શનિદેવની પૂજા કરો છો તો આ સમયે કાળા વસ્ત્ર ધારણ કરવા ખૂબ શુભ માનવામાં આવે છે, તેથી તમે કોઈ પણ પૂજા કરો છો તો ખાસ કરીને આ કાળા રંગના વસ્ત્રઓ ધારણ કરો. તમને પૂજાનું ફળ મળશે.
શનિવારના દિવસે લોખંડના વાસણમાં જળ, ગોળ, તલ, ઘી અને દૂધ મિક્સ કરો અને પીપળા પર ચઢાવો. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જ્યોતિષ અનુસાર આવું કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમ ટકે છે. લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવા માટે તમારે ઓછામાં ઓછા 40 શનિવાર સુધી આ ઉપાય કરવાનો રહે છે.
શનિનાં અશુભ પ્રભાવોને ઓછો કરવા માટે શનિવારનાં દિવસે એક કાળા કપડામાં કાળા અડદ, કાળા તલ અને લોખંડની વસ્તુઓ મુકી તેને બાંધી લો. શનિદેવને અર્પણ કરો અને પૂજા કરો. તેના પછી કોઇ બ્રાહ્મણ, કોઇ ગરીબ વ્યક્તિને આ કાળા કપડામાં બાંધેલી ત્રણ ચીજોનું દાન કરી દો.
જે પણ જાતકની કુંજળીમાં રાહુ-કેતુની દશા ખરાબ ચાલી રહી છે તો માન્યતા છે કે શનિવારના દિવસે એક નાનો કાળો પત્થર લો અને સાથે તલના તેલમાં તેને 7 વાર ડુબાડો. હવે આ પત્થરને તમારી પરથી 7 વાર ઉતારી લો. આ પત્થરને આગમાં નાંખી લો. જ્યારે આ પત્થર ઠંડો થાય ત્યારે તને ઘરથી દૂર કોઈ કુવામાં નાંખી આવો. જ્યોતિષનું માનવુ છે કે આમ કરવાથી રાહુ અને કેતુની દશા સારી રહે છે. આ સિવાય પણ તમામ ગ્રહો શાંત થઈ જાયે છે.
આ માટે શનિવારના દિવસેઘરના ઉત્તર પશ્ચિમ કોણમાં સુંદરથી માટીના વાસણમાં સોના ચાંદીના સિક્કાને લાલ કપડામાં બાંદીને રાખો, પછી એક વાસણને ઘઉં કે ચોખાથી ભરો. માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં ધનનો અભાવ રહેતો નથી.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,