ઘણા સમયથી લોકો આઈશાની આત્મહત્યાના સમાચારમાં ડૂબેલા છે. દરેક ગલી ગામડામાં એ જ વસ્તુ સંભળાઈ રહી છે. તેના માટે એક ખરાબ સમાચાર એ પણ છે કે આઈશાની મોટી બહેનને બ્રેઈન સ્ટોક આવ્યો છે અને આખો પરિવાર આ ઘટનાને ભૂલી શકતો નથી. ત્યારે આ બધાની વચ્ચે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે અને એ ખરેખર ચોંકાવનારો છે. આઈશા આપઘાત કેસમાં આજે એક મોટો વળાંક આવ્યો છે.
આઈશાના પતિને રાજસ્થાનના પાલીથી ધરપકડ કરાયા બાદ અમદાવાદ લવાયો હતો. આજે આઈશાના પતિ આરીફ ખાનને અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આઈશાના પતિના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે આઈશાએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલાં આઈશાએ એક વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ તેના પતિ આરિફ ખાનની ગુજરાત પોલીસે રાજસ્થાનના પાલીથી ઝડપાયો હતો. ત્યારબાદથી આઈશાની આત્મહત્યા બાદ દરરોજ નવા-નવા વળાંક સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ વધુ એક મોટો ખુલાસો થયો છે. હવે આઈશા આત્મહત્યા કેસમાં એક યુવકનું નામ પણ ખુલ્યું છે. પ્રાપ્ત થયેલી પ્રાથમિક જાણકારી પ્રમાણે, જે યુવકનું નામ સામે આવ્યું તે આઈશાનો સંબંધી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને આઈશાના ચારિત્ર્ય પર પતિ આરીફ શંકા કરી રહ્યો હતો અને ત્રાસ પણ આપતો હોવાની વાત સામે આવી હતી.
આ સાથે જ હવે બાળકને લઈને પણ આઈશાના ચરિત્ર ઉપર આરીફે આક્ષેપ કર્યા હોવાનું સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. વિગતે વાત કરીએ તો અમદાવાદની આયશા નામની મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કરતા પહેલા રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ સાથેના અણગમા વિશે અને હું ખુશ છું અલ્લાહ પાસે જઈ રહી છું, તેવુ કહેતી નજરે ચડે છે. બાદમાં મહિલાએ પોતાનો આ અંતિમ વીડિયો પોતાના પતિને મોકલ્યો હતો. તો મહિલાએ આત્મહત્યા પહેલા પોતાના માતા-પિતા સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. ત્યારબાદ હવે પોલીસે દુષ્પ્રેરણાના આરોપમાં પતિ અને સાસરિયાની શોધખોળ હાથ ધરી છે. તેવામાં હવે આઇશાના પરિવારજનો અને વકીલ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આઇશાના પરિવારજનોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાસરિયાએ 3 દિવસ સુધી ભૂખી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે દહેજને લઇને માનસિક ત્રાસ આપવા અને બીજી છોકરી સાથે અનૈતિક સંબંધોના કારણે આઇશાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આરીફ ખાનને ફાંસી આપવાની સતત માંગ કરવામા આવી રહી છે. આરીફ અને તેના માતા સાયરાબાનુ અને પિતા બાબુખાનના આ ઘટનાને લઈને પોલીસની એક ટીમ રાજેસ્થાન પહોચીને તપાસ કરતા આખો પરિવાર ફરાર થઈ ગયો છે. ત્યારે આયશાના પિતા અને વકીલે પોલીસની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યો છે.
આ સાથે જ વાત કરીએ તો ઝાલોર શહેરના રહેવાસી આરિફ બાબૂ ખાનની સાથે વર્ષ 2018માં આઈશાના લગ્ન કરાવ્યા હતા. આઈશાના મામાએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, લગ્ન પછી આરિફ અને તેના સાસરિયાઓ તેને હેરાન પરેશાન કરતા હતા. જેના કારણે આખરે આઈશાએ અમદાવાદની સાબરમતી નદીમાં કૂદીને મોતને વ્હાલૂ કર્યું હતું.
આઈશાના મામાએ વધુમાં જણાવ્યું હતું કે, આઈશાના લગ્ન થયા પછી વર્ષ દોઢ વર્ષમાં જ પ્રેમ નફરતમાં ફેરવાઈ ગયો હતો, ત્યારબાદ પતિ આરિફ અને આઈશા વચ્ચે નાની મોટી વાતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. આઈશાના પતિ આરિફ તેની સાથે મારપીટ કરતો હતો. જેના કારણે આઈશા ઝાલોર છોડીને પોતાના પિયર અમદાવાદમાં રહેવા આવી ગઈ હતી.
પરિવારજનોએ જણાવ્યું કે, આઇશાના આપઘાતનું મુખ્ય કારણ દહેજ અને આરીફના બીજી છોકરી સાથે અનૈતિક સંબંધ છે. આઇશાની પાસે દહેજની માંગણી કરવા માટે તેમના પરિવારજનો સપોર્ટ કરતા હતા. આરિફ આઇશાને વારંવાર ટોર્ચર અને પૈસાની ડિમાન્ડ કરવો હતો. આઇશાનો કોઇ સપોર્ટ નહોતું કરતું. ત્યારે હવે આ ઘટના ભારે વાયરલ થઈ રહી છે અને રોજ કંઈક કંઈક નવા વળાંક સામે આવતા રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!