જાણો કઇ તારીખથી મેષ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, અને જાણો કઇ રાશિને વધારે જરૂર છે ધ્યાન રાખવાની

13 એપ્રિલથી મેષ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, જાણો 12 રાશિઓના જાતકોની કેવી થશે દશા…

મેષ સંક્રાતિને મહત્વની ઘટના માનવામાં આવે છે. 13 એપ્રિલ 2020ના દિવસે મેષ રાશિમાં સૂર્યનું ગોચર થશે. આ ગોચર થવાથી મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચનો રહેશે. મેષ રાશિમાં સૂર્ય 14 મે 2020 સુધી રહેશે. મેષ સૂર્યની ઉચ્ચ રાશિ હોવાથી સૂર્ય પ્રબળ થશે અને સારા પરીણાં પણ આપશે. તો ચાલો જાણી લો કે 12 રાશિઓમાંથી કઈ રાશિને સૂર્ય કેવી ફળ આપશે.

મેષ

સૂર્યનું ગોચર તમારા માટે શાનદાર ફળ આપનાર છે. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોને ધાર્યા નહીં હોય એવા લાભ થશે. આ જાતકો પર ચોતરફથી લાભની વર્ષા થશે. માન-સમ્માન અને પ્રતિષ્ઠા વધશે. આ સમય દરમિયાન શુભ સમાચાર પણ પ્રાપ્ત થશે.

વૃષભ

વૃષભ રાશિના જાતકોને સૂર્યના ગોચરથી મિશ્રિત ફળ મળશે. આ સમય દરમિયાન તમારા વ્યય ભાવમાં સૂર્ય પ્રવેશ કરશે તેથી ખર્ચ વધશે. આ સમય તમે તમારા શત્રુ પર વિજય મેળવી શકશો. નોકરીમાં બદલીની શક્યતા છે.

મિથુન

મિથુન રાશિવાળા માટે સૂર્ય પ્રબળ થશે અને શુભ પરિણામ આપશે. સૂર્ય લાભ ભાવમાં પ્રવેશ કરશે તેથી આ સમય દરમિયાન આવક વધશે. તમને ઉચ્ચ પદ પ્રાપ્ત થઈ શકે છે જોકે તમારી અંદર અભિમાનમાં પણ વધારો થઈ શકે છે. સમાજમાં માન-સન્માન વધશે.

કર્ક

કર્ક રાશિ માટે આ સમય અનુકૂળ હશે. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમને સારા પરિણામ મળશે. આ ગોચર દરમિયાન સૂર્ય તમારા કાર્યક્ષેત્રમાં તમારું માન- સન્માન વધારશે જો તમારા કર્મ ક્ષેત્રમાં અત્યાર સુધી સમસ્યા થતી હશે તો તે દૂર થવા લાગશે.

સિંહ

તમારા ભાગ્ય ભાવમાં સૂર્યનું ગોચર થવા જઈ રહ્યું છે. તેનાથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. સામાજિક કાર્યોમાં તમે ઉત્સાહથી ભાગ લેશો અને તમારી માનસિક શક્તિ પ્રબળ થશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય સફળ સાબિત થશે. નોકરીમાં બદલીની શક્યતા છે.

કન્યા

કન્યા રાશિના જાતકો માટે આ સમય સાવધાન રહેવાનો છે. ખાસ કરીને સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. ધન હાનિની શક્યતા પણ છે. તેથી દરેક કામમાં ધ્યાન આપવું. વર્તમાન પરિસ્થિતિમાં મન બેચેન રહેશે. માનસિક તણાવ થાય તો તેને મન પર હાવિ ન થવા દો.

તુલા

સૂર્યના ગોચરથી શુભ પરિણામ મળવાની સંભાવના નથી. આ અવધિમાં સૂર્ય તમારા વિવાહ ભાવમાં પ્રવેશ કરશે જેથી દાંપત્ય જીવનમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. પરંતુ કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

વૃશ્ચિક

આ સમય દરમિયાન દરેક ક્ષેત્રમાં અનુકૂળ પરિણામ મળશે. સરકારી ક્ષેત્રમાં સારું પરિણામ મળશે. શત્રુઓને માત આપી શકો છો. કોર્ટ કેસ ચાલતા હશે તો તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે.

ધન

તમારા સંતાન ભાવમાં સૂર્યનું ગોચર થવા જઈ રહ્યું છે. આ અવધિમાં મિશ્રિત પરિણામ મળશે. પ્રેમ જીવનમાં પરિસ્થિતિઓ વિપરિત દેખાઈ રહી છે. આ સમય દરમિયાન પ્રિયતમ સાથે મતભેદ થઈ શકે છે. તેથી તેમની લાગણીઓને સમજો.

મકર

તમને સમાજમાં માન સન્માન મળશે, પૈતૃક સંપતિમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. સરકારી ક્ષેત્રમાં પણ લાભ થશે. જો નોકરી કરો છો તો સારું ઈક્રીમેન્ટ મળી શકે છે બઢતીના પણ યોગ સર્જાઈ રહ્યા છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

કુંભ

આ અવધિમાં તમે જેટલા પ્રયત્ન કરશો તેટલા સફળ થશો. તમારા જોશ અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે. તમે નીડર થઈ કાર્ય કરશો. તમને નવા લોકોને મળવાની તક મળશે અને વેપારને નવી દિશા મળશે.

મીન

સૂર્યનું ગોચર ધન ભાવમાં થઈ રહ્યું છે. આ સમય દરમિયાન ધનમાં વૃદ્ધિ થાય છે. જો ધન કોઈ જગ્યાએ અટકેલું છે તો તે પરત મળશે. જો કે આ સમય દરમિયાન તમારી વાણીમાં કઠોરતા આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ