દરેક વ્યક્તિના જીવનમાં ગ્રહો મોટી અસર કરે છે. ખાસ કરીને જો દરેકને કોઈ ગ્રહ નડતો હોય તો તે શનિ છે. તમારી કુંડળીમાં શનિની સાડાસાતી આવી જાય તો તમે અનેક પ્રયાસ કરો તો પણ તમને ઝડપથી સફળતા મળતી નથી. શનિના નામ માત્રથી લોકો ડરવા લાગે છે..
સૂર્યના પૂત્ર ગણાતા એવા શનિ દેવની સાથે અનિષ્ટની શક્યતાઓથી જ લોકો ગભરાઈ જાય છે. જો તમે પણ આ વિનાશ અને શનિ દેવની વિષમ કૃપાથી રાહત મળેવવા ઈચ્છો છો તો અમે આજે કેટલાક ખાસ ઉપાયો લાવ્યા છીએ. જેને તમે ટ્રાય કરી શકો છો અને જલ્દી જ મુશ્કેલ સ્થિતિમાં પણ રાહત મેળવી શકો છો.
કુંડળીમાં શનિ શુભ સ્થાનમાં હોય છે, ત્યારે તે વ્યક્તિને અપાર ધન અને માન પ્રાપ્ત કરે છે. તે જ સમયે, તેઓ અશુભ સ્થાન પર ભારે નુકસાન પહોંચાડે છે. જો શનિ દેવ મારાથી કે તમારા ઘરથી રિસાઈ જાય તો રાજાને રંક અને રંકને પણ રાજા બનાવી દે છે.
શનિના દોષ દૂર કરવા માટે દરરોજ શનિના મંત્ર ”ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम:”નો ઓછામાં ઓછી ત્રણ માળાનો જાપ કરો.
શનિના દોષ અથવા સાડાસાતી ચાલી રહી છે અને તમે શનિ દ્વારા પ્રાપ્ત થતી મુશ્કેલીઓથી તમે પરેશાન છો, તો તમારે કોઈ જ્યોતિષની સલાહ લીધા પછી નીલમ અથવા વાદળી રત્ન પહેરવો. આ કામ કરવાથી તમારી સફળતા નિષ્ચિત રહે છે. અને સાથે જ શનિદેવનું સુખ પણ મળે છે.
શનિદેવની પ્રતિમાને કાળા પુષ્પ, ધુપ, દીપ અને તેલથી બનાવેલ પદાર્થોનો પ્રસાદ ચઢાવો. આ સાથે જ શનિવારે અને ખાસ કરીને શનિદેવની પૂજામાં કાળા કપડાં પહેરવાથી પણ પુણ્ય મળે છે.
શનિવારે કોઈ કાળા કૂતરાને રોટલી ખવડાવવાનો નિયમ લો. આમ કરવાથી તમને શનિદેવનું પુણ્ય અને ચમત્કાર જોવા મળશે.
શનિને લગતી મુશ્કેલીઓ દૂર કરવા માટે કેટલીક ખાસ વસ્તુઓના દાનનું પણ મહત્વ માનવામાં આવી રહ્યું છે. જેમાં તમે લોખંડ, કાળા તલ, કાળા અડદ, કુલથી, કાળા કપડાં, કસ્તુરી અન કાળા ચપ્પલનું દાન કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ