કુમાર વિશ્વાસ કવિ જગતમાં એક જાણીતું નામ છે. સોશ્યલ મિડીયા પર સતત એક્ટિવ રહેનારા કુમાર વિશ્વાસનું વ્યક્તિત્વ જેટલું ખાસ છે તેટલું જ તેમનું જીવન અને તેમનું ઘર પણ ખાસ છે. સતત હસતા અને હસાવતા રહેતા કુમાર વિશ્વાસ સામાજિક મુદ્દાઓ પર પોતાના વિચારોને ખૂલીને જણાવે છે.
ક્યારેક તે તેમના ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘરના ફોટો પણ શેર કરતા રહે છે. હાલમાં જ આવા કેટલાક ફોટો પણ તેઓએ શેર કર્યા હતા અને તેમાંથી જાણવા મળ્યું છે કે તેમનું ઘર છાણ, માટી, દાળનો ભૂકો જેવી કુદરતી વસ્તુઓમાંથી બન્યું છે.
કુમાર વિશ્વાસે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના ઘરનો એક વીડિયો શેર કર્યો છે. કુદરતના ખોળે બનેલા આ મકાનનો વીડિયો તેમણે શેર કર્યો છે. તેમના ઘરમાં એક ગઝલ વીડિયોમાં વાગતી હોય તેવું સંભળાઈ રહ્યું છે. ઘરની બહાર નજર કરતાં જ ક્લિઅર આકાશ દેખાય છે અને સાથે જ પક્ષીઓ ઉડતા હોય તેવું જોવા મળે છે. સૂરજની સાથે વાતો કરતા કુમાર વિશ્વાસ પોતાની ખાસ પળો વીતાવે છે.
જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે તેમના ફેન્સે પૂછ્યું કે કે તેમના ઘરની દિવાલો ખાસ અને અલગ લૂક આપી રહી છે. તો તે શેમાંથી બની છે. આ કોઈ ખાસ પ્રકારની બનાવટ છે, ત્યારે કુમાર વિશ્વાસે તેનો ખાસ જવાબ પણ ફેન્સને આપ્યો હતો. તેઓએ કહ્યું કે તેમનું ઘર ખાસ રીતે બનાવવામાં આવ્યું છે. આ રીતે ઘર બનાવવા માટે કુમાર વિશ્વાસે ખાસ કારણ પણ આપ્યું હતું.
रोज सुबह उठना “जागना” नहीं है ! अगर सच में जाग गए हो तो सोते हुए भी स्थितप्रज्ञ रहोगे ! सूरज यही तो सिखाता है ! आप सब की आत्मा-मन व मस्तिष्क के उर्ध्वमुखी जागरण की आकांक्षा के साथ बेहद प्यार भरा प्रणाम ❤️🙏 @kvKutir pic.twitter.com/WcoXlygekP
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) November 29, 2020
કુમાર વિશ્વાસે પોતાના ઘર વિશે અને તેની ખાસિયત વિશે વાત કરતાં લખ્યું છે કે તેમનું ઘર વૈદિક પ્લાસ્ટરથી તૈયાર થયું છે.
प्रियवर कोई “कम्पनी” नहीं बल्कि “सत्संग” का परिणाम है ! बहुत पहले भारतीय वास्तुकला पर ई०बी०हॉवेल की एक किताब पढ़ी थी ! उससे जाना था देसी कौशल,तभी से मन था कि साधारण राजमिस्त्रि को समझा-समझा कर बनावाऊँगा ! कल्पनाशीलता और धैर्य रखेंगे तो सरलतापूर्वक कर लेंगे ! मेरी शुभकामनाएँ ❤️🇮🇳 https://t.co/FnUd4WDP3o
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) November 29, 2020
તેમાં સીમેન્ટનો નહીં પણ પીળી માટી, બાલૂ, ગોબર, બિનઉપયોગી દલહનોનો ભૂકો, ચૂનોનો ઉપયોગ કરીને બનાવાયું છે. કુમારે વધુમાં કહ્યું છે કે તેમનું ઘર સંપૂર્ણ રીતે એન્ટી બેક્ટેરિયલ છે અને સાથે જ તમામ પ્રકારના તાપમાનને નિયંત્રણમાં રાખનારું છે.
એક યૂઝરે કુમાર વિશ્વાસને એમ પમ પૂછ્યું કે શું કોઈ કંપની છે જે આ પ્રકારની ખાસ રીતે ઘર બનાવી આપે છે. ત્યારે કુમાર વિશ્વાસે કહ્યું કે મિત્ર કોઈ કંપની આ પ્રકારના ઘર બનાવતી નથી.
આ એક ખાસ કલ્પના, ધૈર્ય અને સરળતાથી બનાવેલું સુંદર અને ખાસ ઘર છે. આ એક દેશી વિચાર અને દેશી રીતે બનાવાયું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ