#VaruSha વેડિંગ: વરુણ ધવને લગ્નના બરાબર 2 દિવસ પહેલા જ અલીબાગમાં મોડી રાત સુધી….વાંચો તો ખરા શું થયું આ દિવસે

અભિનેતા વરુણ ધવન તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ પોતાની લોંગ ટાઈમ સુધી રહેલ ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે નતાશા દલાલ અને અભિનેતા વરુણ ધવનના લગ્ન અલીબાગમાં આવેલ ‘ધ મેન્શન હાઉસ’ માં કરવાના છે. જયારે તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સવારના સમયે નતાશા દલાલ અને વરુણ ધવન પોતાના પરિવારની સાથે અલીબાગમાં આવી ગયા હતા. તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ રાતના સમયે વરુણ ધવનએ અલીબાગમાં આવેલ ધ મેન્શન હાઉસ’માં પોતાની બેચલર પાર્ટીની મજા માણી હતી.

એકદમ નજીકના મિત્રોની સાથે બેચલર પાર્ટીની મજા માણી.

image source

અભિનેતા વરુણ ધવને પોતાના લગ્નના બે દિવસ પહેલા જ અલીબાગમાં જ ‘ધ મેન્શન હાઉસ’માં પોતાના નજીકના મિત્રોની સાથે બેચલર પાર્ટીની મજા માણી હતી. ‘ધ મેન્શન હાઉસ’ની પાસે જ આવેલ હોટલ્સમાં અભિનેતા વરુણ ધવનના મિત્રોની સાથે બેચલર પાર્ટીનું આયોજન કરીને મજા માણી હતી. પ્રાપ્ત થયેલ સુત્રોના જણાવ્યા મુજબ, અભિનેતા વરુણ ધવનની બેચલર પાર્ટી વહેલી સવારના સમય સુધી ચાલી રહી હતી.

‘ધ મેન્શન હાઉસ’માં ચાલી રહી છે સંગીત સેરેમનીની તૈયારીઓ.:

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સુત્રો તરફથી પ્રાપ્ત થયેલ માહિતીમાં જણાવ્યા મુજબ, ‘ધ મેન્શન હાઉસ’ માંથી ઘણી મોડી રાતના સમય સુધી મ્યુઝિકનો અવાજ આવતો રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે, નતાશા દલાલના પરિવારના સભ્યો અને વરુણ ધવનના પરિવારના સભ્યો દ્વારા મોદી રાતના સમય સુધી સંગીત સેરેમનીની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

અભિનેતા વરુણ ધવન બપોરના સમયે ‘ધ મેન્શન હાઉસ’ની બહાર જ જોવા મળ્યા હતા.

image source

તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ રાતના સમયે બેચલર પાર્ટીની મજા માણી લીધા બાદ અભિનેતા વરુણ ધવન બીજા દિવસે એટલે કે, તા,૨૩ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ બપોરના સમયે ધ મેન્શન હાઉસની બહાર જોવા મળી આવ્યા હતા. જ્યાં અભિનેતા વરુણ ધવનએ કેટલાક પોઝ પણ આપ્યા હતા.

મહેમાનો હવે આવવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @varunkishaadi

બોલીવુડ અભિનેતા વરુણ ધવનના લગ્નમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, ડાયરેક્ટર શશાંક ખૈતાન, ડાયરેક્ટર કુણાલ કોહલી વરુણ ધવનના અલીબાગમાં આવેલ ‘ધ મેન્શન હાઉસ’માં પહોચી ગયા છે. એવું માનવામાં આવે છે કે, કરણ જૌહર તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ મોડી રાતના સમયે અલીબાગમાં પહોચી જશે. સંગીત સેરેમનીની પૂરી તૈયારીઓ કરણ જૌહર દ્વારા જ કરવામાં આવી હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે.

બેંડ બાજા તથા હેરસ્ટાઈલિસ્ટ અલીબાગ પહોચી ગયા.

 

View this post on Instagram

 

A post shared by @varunkishaadi

‘ધ મેન્શન હાઉસ’ને પૂરી રીતે કપડાની મદદથી ઢાંકી દેવામાં આવ્યું છે જેથી કરીને કોઇપણ ફોટોગ્રાફર્સ ફોટોસ ક્લિક કરી શકે નહી. ‘ધ મેન્શન હાઉસ’ની બહારની તરફ બેંડબાજા વાળા અને વરુણ ધવનનો હેર સ્ટાઈલિસ્ટ અલ્તાફ પણ જોવા મળ્યા હતા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ