ટીવી શો બાલિકા વધુમાં લીડ રોલ કરનારી દિવંગત ટીવી એક્ટ્રેસ પ્રત્યુશા બેનર્જીના માતા પિતા દીકરીના ચાલ્યા ગયા બાદ આર્થિક તકલીફનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ એમને એ વિશે ખુલીને વાત કરી છે. પ્રત્યુશાના પિતા શંકર બેનર્જીએ જણાવ્યું કે એમને 1 બીએચકે હાઉસમાં રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા કારણ કે એ પોતાની દીકરીને અવસાન પછી એક રીતે બધું જ ગુમાવી ચુક્યા હતા.
આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છે પેરેન્ટ્સ.

એક રિપોર્ટ અનુસાર પ્રત્યુશા બેનર્જીના પિતા શંકર બેનર્જીએ કહ્યું કે આ દુર્ઘટના પછી એવી લાગે છે કે એક તોફાન આવ્યો અને અમારી પાસેથી જાણે બધું જ છીનવીને લઈ ગયું. અમારી પાસે એક ફુટેલી કોડી પણ નથી બચી. બીજી કે કેસ લડવા દરમિયાન અમે અમારું જે પણ કઈ બચ્યું હતું એ પણ ગુમાવી દીધું.
દીકરીના ગયા પછી રોડ પર આવી ગયા માતા પિતા.

એમને કહ્યું કે અમારી પાસે પ્રત્યુશા સિવાય અન્ય કોઈ સ્પોર્ટ નહોતો. એ અમને આસમાનની ઊંચાઈઓ સુધી લઈ ગઈ હતી અને હવે એની મોત પછી અમે અહીંયા જમીન પર આવી ગયા છે. અમે હવે 1 બીએચકે ઘરમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ કેસે અમારી પાસેથી અમારું બધું જ છીનવી લીધું. અમને ઘણીવાર કરજ લેવા માટે પણ ઉશ્કેરવામાં આવ્યા.
આ રીતે ચાલી રહ્યો છે પરિવારનો ખર્ચો.

શંકર બેનર્જીએ કહ્યું કે એમની પત્ની હાલના દિવસોમાં એક ચાઈલ્ડ કેર સેન્ટરમાં કામ કરી રહી છે અને વાર્તાઓ લખી રહી છે જેથી કંઈક કમાણી થઈ શકે. પ્રત્યુશા બેનર્જીના પિતાએ જણાવ્યું કે અમે ખૂબ જ વધુ આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છે પણ અમે હિંમત નથી હારી. હું મારા છેલ્લા શ્વાસ સુધી મારી દીકરી પ્રત્યુશા માટે લડતો રહીશ અને એના માટે ન્યાય મેળવીને જ રહીશ.

તમને જણાવી દઈએ કે નાના પડદા પર ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક અલગ ઓળખ બનાવનારી એક્ટ્રેસ પ્રત્યુશા બેનર્જીએ ફક્ત 25 વર્ષની ઉંમરમાં જ આ દુનિયાને અલવિદા કહી દીધું. વર્ષ 2016માં એમને આત્મહત્યા કરી લીધી પણ એમની પાછળ ઘણા સવાલ મૂકતી ગઈ જેના જવાબ આજે પણ લોકો જાણવાની કોશિશ કરી રહ્યા છે. પ્રત્યુશાના બોયફ્રેન્ડ રાહુલ રાજ પર એમને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે. અને આ મામલે હજી કેસ ચાલી રહ્યો છે.