મિત્રો, શુક્ર ગ્રહને આપણા વૈદિક જ્યોતિષમા એક અત્યંત શુભ ગ્રહ માનવામા આવે છે. આવનાર સમયમા ભાગ્યનુ પરિબળ ગણાતા શુક્ર ગ્રહ એ એકદમ સુષુપ્ત સ્થિતિમા છે, તે વૈદિક જ્યોતિષવિદ્યા હેઠળ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે, તેની આ અસરને કારણે વ્યક્તિને શારીરિક, ભૌતિક અને વૈવાહિક સુખની પણ પ્રાપ્તિ થાય છે.
તેથી જ જ્યોતિષશાસ્ત્રમા આપણા શુક્ર ગ્રહને ભૌતિક આનંદ, વૈવાહિક સુખ, મોહ, સુંદરતા, કળા, પ્રતિભા, પ્રેમ વગેરેનુ પરિબળ માનવામા આવે છે. આવી સ્થિતિમા હાલ શુક્ર એ અસ્ત થવા જઈ રહ્યી છે ત્યારે આપણા જીવનમા આ ગ્રહની કેવી અસરો પડશે? ચાલો જાણીએ.
જ્યારે કોઈપણ ગ્રહ એ સૂર્યની સમીપ આવીને અસ્ત થઇ જાય છે તો તે સમયે શુક્ર ગ્રહ ગોચર કરી રહ્યો હોય છે. તે કોઈ ખાસ સ્થિતિમા સૂર્યની એટલી નજીક આવે છે. તેમની વચ્ચે ૧૦ ડિગ્રી જેટલો તફાવત રહેશે. હાલ, શુક્રના મુખ્ય કારક તત્વોનો અભાવ છે અને તે તમારા જીવન પર પડતા શુભ પરિણામોની અસરોને પણ ઘટાડી શકે છે.
દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવે છે કે, તેના જીવનમા પ્રેમ અને સુખ એ હમેંશા માટે અકબંધ રહે અને લોકોને તમામ પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય. આ માટે શુક્ર ગ્રહ મજબૂત હોવો એ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.
આ ગ્રહ એ એક નરમ ગ્રહ છે અને સૂર્ય એ તમારા માટે એક ક્રૂર ગ્રહ સાબિત થઇ શકે છે. તેથી, જ્યારે પણ શુક્ર અસ્ત થાય છે ત્યારે તેના શુભ પરિણામોનો અભાવ આવે છે અને આવી સ્થિતિમા વ્યક્તિ અનેક પ્રકારના આનંદથી વંચિત રહી શકે છે.
હાલ, શુક્ર ગ્રહ મકર રાશિમા ફેબ્રુઆરી સંવત ૨૦૭૭ માઘ શુક્લ ત્રિતીયા દિવસ રવિવાર, ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ પૂર્વ દિશામા અસ્ત થશે અને સંવત ૨૦૭૮ ચૈત્ર શુક્લ ષષ્ટીએ ૧૮ એપ્રિલ, ૨૦૨૧ના રવિવારના રોજ ફરી ઉદિત થશે. આ સ્થિતિ તમારા જીવનમા અનેકવિધ પ્રકારના પરિવર્તન લાવશે, જેમાંથી અમુક પરિવર્તન તમારા માટે શુભ સાબિત થશે તો અમુક પરિવર્તન તમારા માટે અશુભ સાબિત થશે.
આપણા શાસ્ત્રોમા શુક્ર ગ્રહને લગ્ન માટેના શુભ મુહૂર્તની પસંદગી અને નિર્ધારમા પણ ખૂબ જ મહત્વ આપવામા આવે છે. આ સિવાય શુક્રને પ્રાકૃતિક આનંદ અને વૈભવનુ પણ પરિબળ માનવામા આવે છે. આ સિવાય શાસ્ત્રો મુજબ જો શુક્રનો તારો લગ્ન સમયે અસ્ત હોય તો તેના તમને વિપરીત પરિણામ મળી શકે છે. આનાથી શુક્રને અસ્ત થતાની સાથે જ વિવાહ માટે નીશેધ્ય માનવામાં આવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,