જાણો કેવી રીતે શરીરમાં વધે છે યુરિક એસિડ..

યુરિક એસીડ કેવીરીતે વધે છે.

જયારે શરીર પ્યુરીન નામના પદાર્થને તોડે છે તો યુરિક એસીડ નામના રસાયણનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે શરીરમાં પ્યુરીનનું ઉત્પાદન સ્વાભાવિક રીતે થાય છે અને કેટલાક ખાદ્ય પદાર્થો જેવા કે વટાણા, સુકા બીન્સ, મૈકેરલ, લીવર, બીયર વગેરેમાં પણ મળી આવે છે. મોટાભાગે યુરિક એસીડ રક્તમાં ધોવાઈને લીવરમાં આવે છે અને મૂત્રમાં નિકાલ થાય છે.

image source

જો આપના લોહીમાં યુરિક એસીડ વધારે પ્રમાણમાં છે, તો તેનો અર્થ થાય છે કે, આ મૂત્રમાં ઉત્સર્જીત નથી થઈ રહ્યું. એના કારણે શરીરમાં તેના પ્રમાણમાં વધારો થવા લાગે છે. જો સમયસર તેનો ઉપચાર ના કરાવામાં આવે તો આ ગંભીર બીમારીનું રૂપ ધારણ કરી શકે છે. લોહીમાં યુરિક એસિડના ઉચ્ચ સ્તરને હાઇપરયુરીસીમીયા કહેવામાં આવે છે. યુરિક એસિડનું ઉચ્ચ સ્તર પણ ગાઉટની સાથે જોડાયેલ હોય છે. ગાઉટ, સંધિવાનું એક સ્વરૂપ છે. જે સાંધામાં સોજાનું કારણ બને છે, ખાસ કરીને પગ અને પગની મોટી આંગળીઓમાં. યુરિક એસીડ ટેસ્ટનો ઉપયોગ ગાઉટ, કીડની ફંક્શન, કીડની સ્ટોન કે કીડનીને લગતા રોગોના નિદાન માટે કરવામાં આવે છે.

ઉચ્ચ યુરિક એસીડ સ્તરના કારણો :

  • -પ્રાથમિક હાઇપરયુરીસીમીયા.
  • -પ્યુરીનથી યુરિક એસિડનું ઉત્પાદન વધવાથી.
  • આપની કીડની આપના લોહીના યુરિક એસિડથી છુટકારો નહી મેળવી શકતા, જેનાથી યુરિક એસિડનું સ્તર વધતું જાય છે.
  • -દ્રિતીય હાઇપરયુરીસીમીયા.
  • -કેટલાક કેન્સર કે કીમોથેરપી એજન્ટ સેલની મૃત્યુની વૃદ્ધિ દરનું કારણ બની શકે છે. આવું સામાન્ય રીતે કીમોથેરપીના કારણે થાય છે.
  • -કીમોથેરપી પછી મોટાભાગે સેલુલર નાશ ઝડપથી થાય છે અને ટ્યુમર લસીકા સિન્ડ્રોમ થઈ શકે છે. કેટલાક પ્રકારના લ્યુકેમિયા, લીમ્ફોમા કે પછી મલ્ટીપલ માયલોમા માટે કીમોથેરપી લેવા પર આપને ટ્યુમર લીમ્ફ સિન્ડ્રોમ થવાનો ખતરો બની શકે છે.
  • -કિડનીની બીમારી- આ આપના યુરિક એસીડની આપની સીસ્ટમ માંથી બહાર કાઢવામાં સક્ષમ નહી હોવાના કારણે થઈ શકે છે, જેનાથી હાઇપરયુરીસીમીયા થઈ શકે છે.
  • -દવાઓ, લોહીમાં યુરિક એસિડના સ્તરને વધારી શકે છે.
  • -અંત:સ્ત્રવી કે ચયાપચયની સ્થિતી-એનાથી કેટલાક પ્રકારના ડાયાબીટીસ થઈ શકે છે, કે પછી એસીડોસીસથી હાઇપરયુરીસીમીયા થઈ શકે છે.

યુરિક એસિડના લક્ષણ:

image source

શરીરમાં ઉચ્ચ યુરિક એસીડના સ્તરના ત્રણ સૌથી સામાન્ય લક્ષણ છે.:

-સાંધામાં લક્ષણ:

શરીરમાં ઘણા બધા યુરિક એસીડ ગાઉટના રૂપમાં સયુંકત લક્ષણનું કારણ બને છે, જેમાં અડવાથી દુખાવો, સોજો, લાલાશ અને કોમળતાનો સમાવેશ થાય છે. ગાઉટથી પ્રભાવિત સૌથી સામાન્ય અંગોમાંથી એક પગની મોટી આંગળી છે. આ એડી, ઘુટણ, આંગળીઓ, કલાઈ, કોણી અને પગની ઘુંટી પ્રભાવિત થઈ શકે છે.

લક્ષણ શરુ થયા પછી, સામાન્ય રીતે સાંધામાં તેજ દુખાવો માટે લગભગ ૧૨ થી ૨૪ કલાક લાગે છે, ત્યાર પછી કેટલાક દિવસો કે અઠવાડિયાઓ માટે અસહજ થઈ શકે છે. જો તેનો ઉપચાર કરવામાં ના આવે, તો સાંધાને કાયમી ધોરણે નુકસાન થઈ શકે છે.

-ત્વચાના લક્ષણ:

image source

ઉચ્ચ યુરિક એસીડનું સ્તર અને ગાઉટને કેટલાક વર્ષો પછી, ક્રીસ્ટલીકૃત યુરિક એસીડ ત્વચાની નીચે ગાંઠ બનાવી શકે છે. તેને ટોફી કહેવામાં આવે છે જે સામાન્ય રીતે દર્દનાક નથી હોતી. આ સામાન્ય રીતે આંગળીઓ, પગની આંગળીઓ, કોણી અને હાથમાં બને છે.

-કિડનીના લક્ષણ:

કીડની કે મૂત્રમાર્ગમાં યુરિક એસીડ કિડનીની પથરીમાં વિકસિત થઈ શકે છે. આ સામાન્ય રીતે પુરુષો માટે સામાન્ય છે. ત્યાર પછી પીઠમાં દુખાવો, પેટમાં દુખાવો, કમરના ભાગમાં અસહનીય દુખાવો, તેજ તાવ, ઠંડી લાગવી, ઉબકા આવવા, ઉલટી થવી અને મૂત્રમાં લોહી આવવાની શક્યતા રહે છે.

યુરિક એસિડની તપાસ:

યુરિક એસિડની તપાસ માટે ઉપયોગમાં લેવાતા લોહીમાં રહેલ એસીડ માપવા માટે કરવામાં આવે છે. આ તપાસ એ નક્કી કરવામાં મદદ કરે છે કે, આપના શરીરમાં કેટલી સારી રીતે ઉત્પન્ન કરે છે અને ઉત્સર્જિત કરે છે. જો આપના સાંધામાં દુખાવો, સાંધામાં સોજો, વારંવાર કિડનીમાં પથરી, કીમોથેરપી શરુ કરી રહ્યા છો કે પછી કીમોથેરપી લીધા પહેલાથી જ છે, ગાઉટની હિસ્ટ્રી વગેરે છે, તો આપને આ તપાસ કરાવવા માટે કહેવામાં આવી શકે છે.

image source

તપાસની તૈયારી

પોતાના ડોક્ટરને જાણ કરો કે શું આપ કોઈ દવા લઈ રહ્યા છો, આપને કોઈ એલર્જી છે. યુરિક એસીડ પરીક્ષણની તૈયારી કેવી રીતે કરો, એના વિષયમાં આપની સ્થિતિના આધાર પર આપના ડોક્ટર આપને વિશિષ્ટ નિર્દેશ આપશે. તપાસ કરાવ્યાના ઓછામાં ઓછા ૪ કલાક પહેલા સુધી કોઈ પણ ભોજન કે કઈપણ પીવું નહી. શક્ય છે કે તપાસથી પહેલા લેવામાં આવતી દવાઓને રોકવા માટે પણ કહેવામાં આવી શકે છે. એટલા માટે પરીક્ષણની પહેલા ડોક્ટર કે ટેકનીશીયનને પોતાની વર્તમાન ચિકિત્સા સ્થિતી અને દવાઓના વિષે જાણ કરો.

તપાસના પરિણામોને સમજવા:

યુરિક એસિડના પરીક્ષણના પરિણામ લિંગના આધાર પર અલગ હોઈ શકે છે.

આપના લોહીમાં યુરિક એસિડનું ઉચ્ચ સ્તર ગાઉટ હોવાનો ઈશારો કરી શકે છે, જેનાથી તીવ્ર સંધિવા, ડાયાબીટીસ, એસીડોસીસ, લીડ પોઈઝનીંગ, પોલીસીથેમીયા વેરાની પુનરાવૃત્તિ થઈ શકે છે. યુરિક એસીડ પરીક્ષણ ગાઉટ માટે નિશ્ચિત પરીક્ષણ છે નહી. ગાઉટની પુષ્ટિ કરવા માટે અન્ય પરીક્ષણ છે. લોહીમાં યુરિક એસિડનું નિમ્ન સ્તર વારસાગતમાં મળેલ બીમારીનો ઈશારો આપી શકે છે. જે આપના શરીરના ઉતકોમાં તાંબાનું નિર્માણ કરી શકે છે જેને વિલ્સન રોગ કહેવામાં આવે છે.

સાવધાનીઓ :

image source

યુરિક એસીડ પરીક્ષણના પરિણામને વારસાગત, પ્યુરીન યુક્ત આહાર જેવા કે, સુકા બીન્સ, વટાણા, માછલી, સાર્ડીન, વગેરે. જાડાપણું દારૂ, સોરાયસીસ, હાઈપોથાયરાઈડીઝમ, કિડનીની અપર્યાપ્ત જેવા વિભિન્ન કારકો દ્વારા બદલી શકાય છે, જ્યાં કીડની અપશિષ્ટ ફિલ્ટર કરવામાં અસમર્થ થાય છે.

સંતુલિત આહારની મદદ થી:

શરીરમાં યુરિક એસિડનું ઉચ્ચ સ્તર સંધિવા જેવા વિભિન્ન સ્વાસ્થ્ય મુદ્દાઓનું કારણ બની શકે છે. જયારે આપણું શરીર કચરાને બહાર કાઢવામાં સક્ષમ નથી હોતું, તો આ જ શરીરમાં યુરિક એસિડને વધારે છે, જે સાંધાઓમાં સખ્ત ક્રિસ્ટલ બનાવે છે, જેને ગાઉટ કહેવામાં આવે છે. કોઇપણ અન્ય સ્વાસ્થ્ય મુદ્દાની જેમ, કોઈના સ્વાસ્થ્યને બનાવી રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે. યોગ્ય સંતુલિત આહાર ખાવો ખુબ જ જરૂરી છે જેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, સારા અને સ્વસ્થ ફેટી એસીડ, વિટામીન અને ખનીજ જેવા બધા જરૂરી પોષક તત્વો સામેલ હોય છે. લોહીમાં ઉચ્ચ યુરિક એસીડ સ્તરથી પીડિત લોકોને યોગ્ય અને સ્વસ્થ ખાદ્ય પદાર્થ લેવામાં તકલીફ થાય છે જેને તેઓ પોતાના ભોજનમાં સામેલ કરી શકે છે. એટલા માટે કેટલાક સ્વસ્થ ભોજન વિકલ્પોનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ. જે શરીરમાં યુરિક એસિડને વિનીય્મિત કરવામાં આપની મદદ કરી શકે છે.

-ફાઈબર :

આપે આપના ભોજનમાં ફાઈબરને સામેલ કરવાથી ખુબ મદદ મળી શકે છે. ફાઈબર યુક્ત આહારનું સેવન શરીરમાં યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. યુરિક એસિડનું લેવલમાં ઘટાડો કરવા માટે ઓટ્સ, આખા અનાજ, બ્રોકોલી, કોળું અને અજમાને ભોજનમાં સામેલ કરવા જોઈએ. આવા પ્રકારના ખાદ્ય પદાર્થ ભોજન ફાઈબરથી ભરપુર હોય છે જે યુરિક એસિડનું અવશોષણ કરે છે અને શરીર માંથી યુરિક એસીડ ખતમ કરવા માટે ખુબ ફાયદાકારક થાય છે.

-વિટામીન સી :

image source

સર્વોત્તમ પરિણામ મેળવવા માટે આપે પોતાના ભોજનમાં વિટામીન સી થી ભરપુર સમૃધ્ધ ફળોને સામેલ કરી શકો છો. અધ્ય્ય્નોથી ખબર પડી છે કે, દરરોજ ૫૦૦ એમએલ વિટામીન સીની જરૂરિયાતથી યુરિક એસિડના સ્તરને ઓછા સમયમાં ઘટાડો થઈ શકે છે. સંતરા કે લીંબુનો રસ વિટામીન સીથી ભરપુર હોય છે અને આવી રીતે, આપની વિટામીન સીની જરૂરિયાત પ્રમાણમાં મેળવવામાં ખુબ મદદગાર સાબિત થઈ શકે છે.

-પાણી કે તરલ પદાર્થ :

પાણી એક કુદરતી ક્લીન્ઝર અને તરલ પદાર્થ છે જે શરીર માંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે. એટલા માટે આપે દરરોજ ઓછામાં ઓછું દસથી બાર ગ્લાસ પાણી જરૂરથી પીવું જોઈએ. તરલ પદાર્થ પણ ફાયદાકારક હોય છે, કેમ કે તે ઉત્સર્જનના માધ્યમથી શરીર માંથી યુરિક એસિડને હટાવવામાં મદદ કરે છે. એટલા માટે, વધારે પદાર્થ અને પાણી પીવાથી યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ મળે છે.

આવી જ રીતે ગ્રીન ટી ઉચ્ચ કૈટેચીન સામગ્રીથી સમૃધ્ધ એક શક્તિશાળી એંટી ઓક્સીડેન્ટ છે. કૈટેચીનનો ઉપયોગ શરીરમાં ખાસ પ્રકારના એન્ઝાઈમોના ઉત્પાદનને ધીમા કરવા માટે કરવામાં આવે છે. તે યુરિક એસીડના ગઠનથી સંબંધિત છે અને આવી રીતે, યુરિક એસિડના સ્તરને ઘટાડો કરવામાં ખુબ મદદ કરે છે.

-ફળ અને ટામેટા :

શાકભાજીઓની જેમ ફળ યુરિક એસિડના વધતા સ્તરથી રાહત આપવામાં ખુબ મદદગાર થાય છે. ટામેટા આપના શરીર માટે સારા છે અને એમાં સામેલ ઉચ્ચ વિટામીન સી યુરિક એસિડના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. પોતાના શરીરમાં યુરિક એસીડથી પીડિત લોકો માટે, યોગ્ય પ્રકારના ફળોને પસંદ કરવાથી યુરિક એસિડનું સ્તરને યથાવત રાખવામાં મદદ કરી શકે છે. આ હંમેશા સલાહ આપવામાં આવે છે કે શરીરમાં યુરિક એસીડના વધતા સ્તરથી પીડિત થવા પર કોઇપણ ખાટા ફળને ભોજનમાં સામેલ કરવા જોઈએ નહી. જેવા કે, સ્ટ્રોબેરી, બ્લુબેરી, રાસબેરી વગેરેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જે લોહીમાં યુરિક એસીડને ઘટાડવામાં મદદ કરી શકે છે.

-કાકડી અને ગાજર :

જો આપના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે છે તો ગાજર અને કાકડી સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. ગાજર એંટી ઓક્સીડન્ટના ગુણોથી ભરપુર હોય છે જે એન્ઝાઈમના ઉત્પાદનને નિયંત્રિત કરવા માટે સારું રહે છે. આ એન્ઝાઈમ લોહીમાં યુરિક એસિડના સંશ્લેષણને વધારવામાં મદદ કરે છે. ઉચ્ચ ફાઈબરના કારણે તે યુરિક એસીડ સામગ્રીને શરીર માંથી બહાર કાઢવામાં પણ મદદગાર થાય છે. એક કાકડી એ લોકો માટે પણ એક સૌથી સારો વિકલ્પ છે, જેમના લોહીમાં ઉચ્ચ્યુરિક એસીડ હોય છે.

ક્યાં ખાદ્ય પદાર્થોથી બચવું જોઈએ.:

-બધા ઓર્ગન મીટ :

ઓર્ગન મીટમાં લીવર, કીડની, સ્વીટ બ્રેડ અને બ્રેન સામેલ છે.

-ગેમ મીટ :

તીતર, વીલ અને વેનસન સામેલ છે.

-માછલી :

માછલીમાં હેરિંગ, ટ્રાઉટ, મૈકેરલ, ટુના, સાર્ડીન, એન્કોવીઝ, હૈડોક.

-અન્ય સમુદ્રી ભોજન :

અન્ય સમુદ્રી જીવ જેવા કે, સ્કૈલપ્સ, કરચલા, ઝીંગા અને રો.

-સુંગધિત પેય પદાર્થ :

ખાસ પ્રકારના ફળોના રસ અને શર્કરા યુક્ત સોડા.

-સુગર યુક્ત પેય પદાર્થ :

મધ, એગેવ નેક્ટર અને ઉચ્ચ ફ્રુકટોઝ કોર્ન સીરપ.

યીસ્ટ :

પોષક યીસ્ટ, દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી યીસ્ટ.

આના સિવાય વાઈટ બ્રેડ, કેક અને કુકીઝ જેવા પરિષ્કૃત કાર્બ્સથી બચવું જોઈએ. જો કે, તે પ્યુરીન કે પછી ફ્રુક્ટોઝમાં ઉચ્ચ નથી, પરંતુ તે પોષક તત્વોમાં ઓછા છે અને આપને યુરિક એસીડના સ્તરને વધારી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ