મોબાઈલ નંબર ખોલી દેશે તમારી લાઈફમાં કેટલા છે સીક્રેટ!
વ્યક્તિત્વ, ભવિષ્યમાં સફળતા મળવાની સંભાવના કેટલી છે, લગ્ન ક્યારે થશે, નોકરી કરશો કે બિઝનેસ આ તમામ પ્રશ્નોના જવાબ અંકશાસ્ત્રમાંથી મળી શકે છે.
સામાન્ય રીતે જન્મ તારીખનો સરવાળો કરી જે અંક આવે તેના આધારે ફળકથન કરવામાં આવે છે.
પરંતુ આજે તમને જણાવીએ કે મોબાઈલ નંબરના અંક પરથી કેવી રીતે જીવનના સીક્રેટ વિશે જાણી શકાય?
મોબાઈલ આપણા દરેકના જીવનનો અગત્યનો ભાગ બની ચુક્યા છે. તેવામાં મોબાઈલ આપણા જીવનને અસર કરે તે સ્વાભાવિક છે. મોબાઈલ નંબર કેવી રીતે જીવન વિશે જણાવી શકે છે ચાલો જાણીએ.
સૌથી પહેલા તો તમારા મોબાઇલ નંબરના દરેક આંકડાનો સરવાળો કરો. આ સરવાળો ત્યાં સુધી કરવો જ્યાં સુધી જવાબ એકી સંખ્યામાં ન આવે.
છેલ્લે જે નંબર મળે તે તમારી પર્સનાલીટી માટેનો નંબર હશે, હવે જાણો આ નંબર માટેનું ફળકથન.
1. આ સૌથી મજબૂત અંક માનવામાં આવે છે. તે ઊર્જા વધારવાની સાથે અન્યને પ્રભાવિત કરવામાં પણ મદદ કરે છે. તમને અચાનક ખુશી પ્રાપ્ત થઈ શકે છે પરંતુ થોડી સાવધાની પણ રાખવી. બિઝનેસમેન અને બિલ્ડર્સ માટે એકથી વધારે વખત 1 અંકનું મોબાઈલ નંબરમાં આવવું શુભ સાબિત થાય છે.
2. આ અંક રોમાંટિક હોવાનો સંકેત કરે છે. જે લોકો પ્રેમ પામવા ઈચ્છતા હોય તેમની મદદ કરે છે આ અંક. આ અંક તેમના માટે પણ યોગ્ય સાબિત થાય છે જે પોતાના વિચારો પર ચાલતા હોય છે અને સાથે જ સેલ્સ સાથે જોડાયેલું કામ કરતાં હોય.
3. જે લોકોના મોબાઈલના અંકોને જોડવાથી 3 આવે તે લોકો ક્રિએટિવ હોય છે અને તે અન્ય લોકોને સાથે રાખી જીવનની મજા માણે છે. આ અંક આર્ટિસ્ટ, સંગીતકાર અને યુવા લોકો માટે શુભ ગણાય છે. આ અંક લેખન સાથે જોડાયેલા લોકો માટે ઉપયુક્ત છે.
4. આ અંક સ્થિર અને વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે તે બેકિંગ, લો ફર્મ જેવા વ્યવસાયોમાં હોય તે વ્યક્તિ માટે યોગ્ય રહે છે. જો તમારો પરીવાર મોટો હોય તો પણ 4 નંબરને પસંદ કરો. જો તમે એકલા હોય તો આ અંક રાખવો નહીં.
5. કોઈપણ વ્યક્તિના જીવનમાં રોમાંચ અને ફેરફાર લાવી શકે છે. આ નંબર તેમના માટે પરફેક્ટ સાબિત થાય છે જે આઝાદી, હરવા-ફરવાનું પસંદ કરે છે. પરીવાર સાથે રહેનાર અને માનસિક તાણ હોય તેવા લોકો માટે આ નંબર ઠીક નથી.
6. પરિવારનું વિચારતા લોકો માટે આ નંબર બેસ્ટ છે. આ નંબર વ્યક્તિમાં સંભાળ અને સુરક્ષાની લાગણી લાવે છે. સાથે જ પરીવારના સંબંધો અને મિત્રતાને મજબૂત કરે છે. જે લોકો પ્રેમની શોધમાં હોય તેમણે આ નંબર પસંદ ન કરવો.
7. આ અંક પણ મજબૂતી દર્શાવે છે. વિદ્યાર્થીઓ અને ચિંતન કરનાર લોકો માટે આ નંબર બેસ્ટ છે. આ નંબર સંબંધોમાં સ્થિરતા આપે છે અને સંતુલિત જીવન આપે છે.
8. આ અંક તેવા લોકો માટે બેસ્ટ છે જે પોતાનો વ્યવસાય ચલાવે છે. આ નંબર ધન આકર્ષિત કરે છે અને આત્મવિશ્વાસ પણ વધારે છે. આ નંબર જાતક પર સકારાત્મક પ્રભાવ પાડે છે.
9. આ અંકની બે વિશેષતા છે. આદર્શ અને દયા ભાવ. આ સૌથી વધારે ભાગ્યશાળી નંબર છે. કારણ કે તેને રાખનાર વ્યક્તિને દરેક કામમાં ભાગ્યનો સાથ મળે છે. પરંતુ આ અંક તેમના માટે શુભ નથી જેમને સ્વાસ્થ્યલક્ષી સમસ્યાઓ રહેતી હોય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ