દુલ્હનનું ઘર ૨૨ દિવસથી વરઘોડાથી રોકાયેલુ છે, કન્યાના પિતા આગતા સ્વાગતા કરીને કંટાળી ગયા છે
અલીગઢમાં, લોકડાઉનને કારણે, લગ્ન પછી 22 દિવસથી વધુ સમય થયો હોવા છતાં, વરઘોડો કન્યાના ઘરે જ રહ્યો. વરઘોડામાં સામેલ ૧૫ લોકો ફસાયેલા છે.
કન્યાના પિતા આવકાર આપીને કંટાળી ગયા છે. તેમની પાસે પણ હવે પૈસા ઓછા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામનાથ મહતો તેમના પુત્ર વિજય મહતોના વરઘોડા સાથે અલીગઢના અતરૌલી આવ્યા હતા. લગ્ન ૨૧ માર્ચે થયા હતા અને વરઘોડો ૨૩ માર્ચે ઝારખંડ પાછો ફરવાનો હતો.
દરમિયાન, ૨૨ માર્ચે, ‘જનતા કર્ફ્યુ’ અને ત્યારબાદ લોકડાઉન દ્વારા તેમની મુસાફરીની યોજનાઓ રોકી દેવામાં આવી હતી અને ત્યારબાદથી વરઘોડાના ૧૫ મહેમાનો દુલ્હનના ઘરે રોકાયા છે. દુલ્હનના પિતા નરપત રાયે કહ્યું કે હવે તેને વરરાજા અને જાનૈયાઓને સાચવવામાં મુશ્કેલી પડી રહી છે. તેમણે કહ્યું, ‘જિલ્લા વહીવટીતંત્ર તેમને જવા દેતું નથી’.
વહીવટી ટીમ અહીં રોકાતા લોકોને એક સમયનું ભોજન વગેરે પણ આપી રહી છે. જ્યારે એક સમયનો ખોરાક પરિવારના સભ્યો બનાવી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે પણ દરેકની તપાસ કરી હતી અને તમામ સ્વસ્થ હોવાનું જણાવાયું છે.
પરણ્યાં તો ખરાં, પણ પહેલા જનતા કર્ફ્યુને કારણે વિદાય કરી શક્યા નહીં. હવે તેઓ લોકડાઉન ખુલવાની રાહ જોઇ રહ્યા છે. પરંતુ ગરીબ દુલ્હનનો પરિવાર કોઈક રીતે તેમના ભોજનની વ્યવસ્થા કરી રહ્યો છે.
૨૧ માર્ચે સાંજે ૮:૦૦ કલાકે, વડાપ્રધાને તેમના સંબોધનમાં ૧ દિવસ માટે કર્ફ્યુ લગાવી દીધો. આ લોકોને આશા હતી કે ૨૩ માર્ચે કર્ફ્યુ ખુલશે. દુલ્હન સહિત તમામ ૧૫ લોકોનું રીઝર્વેશન ૨૩ માર્ચે કરાવ્યું હતું, પરંતુ તે પછી ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન થઈ ગયું હતું અને ત્યારબાદથી તમામ વાહનો પણ બંધ છે. બધા રસ્તા બંધ છે, ટ્રેનો પણ બંધ છે. હવે તમામ જાનૈયાઓ એક જ ગામમાં અટવાઈ ગયા છે. આ લોકો વહીવટ સાથે સતત સંપર્કમાં રહે છે. જેથી તેઓ ઝારખંડમાં તેમના ગામોમાં પરત જઈ શકે.
વરઘોડો લોકડાઉનમાં અટવાયો
યુવતીના પિતા નરપતભાઇ કહે છે કે ૨૧ મીએ રાત્રે ૯:૦૦ વાગ્યે વરઘોડો આવ્યો હતો. અમારે ૨૨ માર્ચે લગ્ન હતાં, પરંતુ ૨૧ મીની રાત્રે મોદીજીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જેમાં જાહેર કર્ફ્યુ લગાડવામાં આવ્યો હતો. તે પછી ફરીથી લોકડાઉન જાહેર કરાયું હતું.
જેના કારણે લોકો અહીંથી નીકળી શક્યા નથી. તેઓનું ૨૩મીને સવારે ૮:૦૦ વાગ્યે વળવાના હતાં. પરંતુ લોકડાઉનને કારણે તે જઈ શક્યા નહીં. તે જ દિવસથી કન્યાના ઘરે ગોઠવણી કરવામાં આવી છે. અમે પ્રશાસનને પણ જાણ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમ ત્યાંથી આવી હતી. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી જવાની કોઈ વ્યવસ્થા નથી. આ જાનૈયાઓ ઝારખંડથી આવ્યા છે.
કોરોનાને કારણે આવેલી મહામારીને કારણે કેટલીયે દુલ્હનોએ આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે. આવા લોકોને ખરેખર ધીરજના રાજા કહી શકાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ