“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”એ સબ ટી.વી પર આવતો શો છે જે ઘણા લાંબા સમયથી ટેલિવિઝન પર રાજ કરે છે.
આ શોમાં એક ગોકુલધામ સોસાયટીમાં રહેતા અલગ અલગ કોમના લોકો વચ્ચે થતી રકઝક ,તકલીફ, એકબીજાનું માન-સન્માન,પરંપરા વગેરે જેવા કિસ્સા બતાવીને પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડે છે.
દરેક તહેવાર પ્રંસગે સંપીને એક પરિવારની જેમ રહેતા લોકોનું પાત્ર ભજવતા આ કલાકારો સમાજમાં એક અલગ જ છાપ ઊભી કરી છે.
આમ, તાજેતરમાં જ આ સિરિયલમાં ભીડેનું પાત્ર ભજવતા કલાકાર મંદાર ચાંદવડકરે અને ડાયરેક્ટર માલવ રાજડા એ સાથે મળીને સેટ પરના હાજર લોકો માટે મસાલેદાર ખિચડી બનાવી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.
View this post on Instagram
આ સાથે જ ફોટો શેર કરીને મંદારે લખ્યું છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર અમે મસાલા ખીચડી બનાવી’.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી પ્રિયા આહુજા એ માલવ રાજડાસિરિયલ ડાયરેક્ટર સાથે લગ્ન કર્યા અને એમને ત્યાં થોડા સમય પહેલા જ દીકરાનો જન્મ થયો.
View this post on Instagram
દંપતી એ સોશિયલ મીડિયામાં બાળકની તસવીર શેર કરી આની માહિતી આપી અને આ નવા મહેમાનનું નામ અરદાસ પાડયું છે.
આમ, સિરિયલના હાલના પ્લોટની મળતી માહિતી મુજબ ભીડે એ સોસાયટીના બોર્ડ પર નોટિસ લખીને અબ્દુલને ઘરે ઘરે જઈને ગોકુળ ધામમાં કોઈ સ્પેશિયલ ગેસ્ટ આવવના છે એવી વાત કરવા પણ કહ્યું છે.
જો કે અબ્દુલે જેઠાલાલને સ્પેશિયલ ગેસ્ટની વાત કરી તો એમને કહ્યું આટલું બધુ શું સીક્રેટ રાખવાનું. તમને જણાવી દઇએ કે સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ગોકુલધામ સોસાયટી અને તેમાં રહેતા લોકોના જીવન વિશે છે.
શોના પાત્ર ભીડેની સાથે, જેઠાલાલ, દયાબેન, બબીતા જી, બાબુજી અને ટપ્પુ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ