તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં દયાબેનની માતાની પધરામણી દ્વારા આવી શકે છે ટ્વિસ્ટ.
પાછલા ઘણાં લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલ નાના પડદા ઉપર રાજ કરી રહી છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ઘણો ઉચ્ચો ટીઆરપી દર્શાવે છે.
આ સીરિયલ ઘણી લોકપ્રિય સિરિયલ નીવડી છે સિરિયલના પાત્રો દયાબેન ,જેઠાલાલ ,ચંપકલાલ, ટપ્પુ સેના, ભીડે, બબીતા ઘર ઘરમાં ગુંજી રહ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલની હાર્દ સમી દયાનાં ગરબા, દયા નો વીરો સુંદર અને દયાની માતા પણ સારી લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે.ખાસ વિશેષતા એ છે કે દયા હંમેશાં પોતાની મા સાથે ફોન પર જ વાત કરે છે.
પરંતુ ક્યારેય હજી દયા ની માતા અસલી કિરદાર ના સ્વાંગમાં ટચૂકડા પડદે દેખાઇ નથી. સિરિયલમાં આવતા વળાંક મુજબ લાગે છે કે હવે તેની આવશ્યકતા ઉભી થઇ છે ,અને મળતા સમાચાર મુજબ દયાની માતાની એન્ટ્રી સિરિયલમાં થઈ શકે છે.
દયાની માતાની સીરીયલ માં એન્ટ્રી દ્વારા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં નવો વળાંક આવી શકશે.
વારંવાર દયાબેન ને સમસ્યાઓના નિવારણ ફોન ઉપર જણાવતા દયાબેન ના માતા તેમની ધમાકેદાર એન્ટ્રી દ્વારા આ વખતે જેઠાલાલની મદદે આવી શકે તેવી સંભાવના છે.
જોવાનું એ રહે છે કે ફરી એકવાર નિર્માતા માત્ર ફોન દ્વારા જ સમસ્યાનું સમાધાન લાવે છે કે પછી દયાબેન ની માતા ને ટચૂકડા પડદા ઉપર લઈને આવે છે?
જાણવા મળ્યા મુજબ આવનારા એપિસોડમાં જેઠાલાલના પિતા ચંપકલાલ લાંબા સમયથી ખોવાય છે અને પિતાની શોધ કરતાં કરતાં થાકી ચૂકેલા જેઠાલાલ પોતાને લાચાર મહેસૂસ કરે છે.
જેઠાલાલ ની ચિંતા છે કે ચંપકલાલ પાસે એમના ચશ્મા પણ નથી આવી અવસ્થામાં જો ચંપકલાલને દેખાવાનું બંધ થઈ જાય તો તે વધુ મુસીબતમાં ફસાઈ શકે છે.
ખોવાઈ ચૂકેલા ચંપકલાલને ગોકુલધામ સોસાયટી ત્રીપલ ચિત્ર એક અજાણી વ્યક્તિ મદદ કરે છે પરંતુ તે ભૂલથી ચંપકલાલને અન્ય વિસ્તારની ગોકુલધામ સોસાયટી ની બસમાં બેસાડી દે છે.
દરમિયાનમાં જેઠાલાલ અને સોસાયટીના કેટલાક સભ્યો ચંપકલાલના ખોવાઇ ગયાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે, જ્યાંથી જેઠાલાલ પોતાની સાસુને એટલે કે દયાબેન ની માતા ને ફોન કરે છે અને પોતાના પિતાને શોધવા અંગે સલાહ માંગે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકવર્ગમાં ચર્ચાએ ચાલે છે કે શું આ વખતે જેઠાલાલ ની મદદ દયાબેન ની માતા ઉપસ્થિત થશે તે માત્ર ફોન ઉપર જેઠાલાલને ટિપ્સ આપશે?
ખોવાઈ ચૂકેલા ચંપકલાલ ને નડતી સમસ્યાઓ દ્વારા ચાહક વર્ગને ખરા હસાવવામાં પણ નિર્માતા સફળ થયા છે. ખોવાઈ ગયેલા ચંપકલાલ પહેલા તો એક શરાબી નો સામનો કરે છે
ત્યાર બાદ એક વિદ્યાર્થી પણ ચંપકલાલ મૂર્ખ બનાવી છટકી જાય છે.કોઈએ માંડ માંડ મદદ કરીને જ્યાં એમને ગોકુલધામની બસમાં બેસાડયા ત્યાં બસમાં બોમ્બ હોવાની અફવાથી પણ અફડાતફડી મચે છે.
જેમાં ચંપકલાલે પહેરેલું ધોતિયું પણ ફસાઈ જાય છે. મહામુશ્કેલીએ ગોકુલધામ સોસાયટીમાં પહોંચતા ચંપકલાલ ને ખબર પડે છે કે તેઓ અન્ય ગોકુલધામ સોસાયટી માં પહોંચી ચુક્યા છે.
જ્યાં એક બાજુ ચંપકલાલ પરેશાન છે ત્યાં બીજી બાજુ જેઠાલાલ પણ ચંપકલાલ ના ખોવાઇ જવાથી અત્યંત પરેશાન છે અને જેઠાલાલ ને દયા બેનને વારંવાર સમસ્યાનો ફોન પર સમાધાન બતાવતી પોતાની સાસુ યાદ આવે છે અને તેને જેઠાલાલ ફોન જોડી દે છે.
હંમેશા ફોન ઉપર જેઠાલાલ ની સાસુ નો અવાજ સાંભળનાર અને તેમણે બતાવેલા અવનવા ઉપાયોથી ખડખડાટ હસીને સીરીયલ નો આનંદ ઉઠાવનાર સમગ્ર દર્શક વર્ગ દયાબેન ની માતા એટલે કે જેઠાલાલ સાસુની ટચૂકડા પડદા ઉપર પધરામણી ના સમાચાર થી અતિશય રોમાંચિત છે.
દર્શકોની આ મહેચ્છા પૂરી પાડવામાં નિર્માતા કેટલાક સફળ રહે છે તે હવે સમય જ બતાવી શકશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ