પેટનાં કીડા:-
બાળકોને પેટમાં કીડા (કૃમિ) કેમ થાય છે? પેટના કીડા (કૃમિ)ના લક્ષણો અને તેના ઘરેલું ઉપાય જાણો.
બાળકોમાં પેટના કીડાઓની સમસ્યા થવી એ સામાન્ય બાબત છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે પુખ્ત વયના લોકોમાં પણ આ રોગ થઈ શકે છે. ખાસ કરીને એવું જોવા મળે છે કે બાળકોને ભૂખ ઓછી લાગે છે અને તેમનું પેટ પણ ખરાબ રહેતું હોય છે અને કેટલીકવાર બાળકો પેટમાં દુખાવો થવાની ફરિયાદ પણ હોય છે.
પેટના કૃમિવાળા બાળકોમાં નબળાઇ આવી શકે છે.
સ્ટોરી હાઇલાઇટ્સ:-
* બાળકોના પેટના કીડાના લક્ષણો.
* પેટના કીડાના આ ઘરેલું ઉપાયને અનુસરો.
*બાળકોના પેટમાં કીડા કેમ થાય છે?
પેટના કીડા:-
બાળકોમાં પેટના કીડાઓની સમસ્યા એ એક સામાન્ય બાબત છે, પરંતુ બહુ ઓછા લોકો આ જાણે છે કે પુખ્ત વયના લોકોમાં પણ આ રોગ થઈ શકે છે. ખાસ કરીને એવું જોવા મળે છે કે, બાળકોને ભૂખ ઓછી લાગે છે અને તેમનું પેટ પણ મોટાભાગે ખરાબ રહેતું હોય છે અને કેટલીકવાર બાળકોને પેટમાં દુખાવો થવાની ફરિયાદ પણ રહેતી હોય છે. શું તમે જાણો છો કે આવું કેમ થાય છે?
જો નહીં, તો અમે અહીં જણાવી રહ્યાં છે કે બાળકોમાં પેટનાં કીડા કેમ થાય છે, તેના લક્ષણો શું છે અને તેના ઉપાય શું છે? બાળકોમાં ચીડિયાપણું, ચહેરા પર સફેદ નિશાન અને શરીરની નબળાઇ પેટનાં કીડાનાં ચિન્હો કે લક્ષણો છે.
કીડાઓના કારણે બાળકોમાં એનિમિયા અને કુપોષણ પણ થઈ શકે છે. આ આંતરડાના કૃમિ હોય છે જે બાળકોના શરીરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આ ગંભીર ચેપ લાવી શકે છે. ઘણી વખત પેટના કીડાઓના લક્ષણો જોવા મળતા નથી, જ્યારે બાળકોને તે દરમિયાન પણ આ સમસ્યા હોઇ શકે છે.
પેટમાં કીડા (કૃમિ) કેમ થાય છે?
નાના બાળકોને પેટના કૃમિ થવાની સમસ્યાઓ વધારે થઈ શકે છે, કારણ કે તેઓ જ્યાં-ત્યાં રાખેલી વસ્તુઓ મોંમાં લેતા હોય છે અને ક્યારેક માટી પણ ખાતા હોય છે. પુખ્ત વયના લોકોમાં દૂષિત પાણી અને દૂષિત ખોરાક પેટના કીડા પેદા કરી શકે છે. જે લોકો ખૂબ મીઠાઈ ખાતા હોય છે, ખાધા પછી તરત જ સૂઈ જાય છે, તેમને પેટના કીડા થવાની સંભાવના વધારે હોય છે.
બાળકોના પેટમાં કીડાઓ થવા જોખમી હોઈ શકે છે. તેઓ બાળકોના સ્વાસ્થ્ય પર વધુ અસર કરે છે. બાળકો જે પણ આહાર ખાય છે તેના પોષક તત્વો તેમને મળતા નથી.
બાળકોના પેટના કૃમિના ઘણા કારણો હોઈ શકે છે.
પેટના કીડા હોવાના લક્ષણો:-
– પેટમાં દુખાવો.
– વારંવાર ભૂખ લાગવી.
– વજન ઘટવો.
– જીભ સફેદ હોય.
– મોંમાંથી દુર્ગંધ આવવી.
– ઉલટી આવવી.
– પેટ ફુલવું.
– શરીર પર સોજો આવવો
– ઝાડા થવા.
પેટના કૃમિના લક્ષણોને ઓળખવા ખૂબ મહત્વપૂર્ણ છે.
પેટના કૃમિના થતા આ ઘરેલું ઉપાયને અનુસરો.
– હળદર પેટના કીડાથી રાહત મેળવવા માટે મદદ કરી શકે છે. આ માટે એક તવા પર હળદર શેકી લો અને સુતા સમયે પાણી સાથે પીવો. તેનાથી પેટમાં રહેલા જંતુઓથી રાહત મળે છે.
– છાશમાં મીઠું અને કાળા મરી ઉમેરીને પીવાથી પણ પેટ સાફ થઈ શકે છે.
– દહીં અને મધના મિશ્રણથી પેટના કીડા પણ મરે છે.
– એરંડા તેલ એ પેટના કૃમિઓ માટે અસરકારક ઉપાય છે.
– ગરમ પાણીમાં થોડું તેલ ઉમેર્યા પછી ધીરે ધીરે પીવો.
– ખાલી પેટે લસણ ખાઓ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ