ગોળ ચણા – કસરત કર્યા પછી શક્તિ મેળવવા અને રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ નાસ્તો છે, આપ પણ અજમાવી જુઓ…
નાનપણમાં નાસ્તામાં મમ્મી ડબ્બામાં કે વાટકીમાં આપતાં એ ગોડ ચણા યાદ છે? શેકેલા ચણા અને ગોળનું મિશ્રણ એ ઊર્જાનો એક પાવરહાઉસ છે, ગોળ અને ચણા બંનેમાં રહેલ ઝીંક ત્વચાની તંદુરસ્તી સુધારવા માટે ખૂબ ઉપયોગી છે.
એવું કહેવામાં આવે છે જે ચહેરા પર ગ્લો ઉમેરવામાં મદદ કરે છે. ઉપરાંત અન્ય અનેક સ્વાસ્થ્યપ્રદ લાભો મળે છે. એટલા માટે જ આપણને નાનપણમાં એ નાસ્તામાં ખાવા માટે આપવામાં આવતું હતું. જે આપણે મોટાં થઈને ખાવાનું ભૂલી ગયાં છીએ. આવો જાણીએ ગોળ – ચણા કઈ રીતે છે એક ચમત્કારિક નાસ્તો…
આરોગ્ય અને સુખાકારી માટે કામ કરેલા દાદી મા અને નાની માઓના નુસ્કાઓ વિશે આપણે જાણીએ જ છીએ, જે આપણાંમાંથી ઘણા લોકો માટે આશ્ચર્યજનક બાબત નથી.
શેકેલા ચણા અને ગોળનું મિશ્રણ એ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ પ્રાપ્ત કરવાનું પાવરહાઉસ છે જે વ્યક્તિને માત્ર પ્રદૂષણથી સંબંધિત બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે, પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ દાંતના સડાને રોકવામાં પણ મદદ કરી શકે છે.
ગોડ અને ચણાના આ નાસ્તાના આ મિશ્રણના કેટલાક અન્ય ફાયદા છે, જાણો.
શ્વાસના રોગોમાં છે, ફાયદાકારક…
શેકેલા ગ્રામ શ્વસન રોગોની સારવારમાં છે, ફાયદાકારક. તમારે રાત્રે સૂતા પહેલા ફકત એકાદ મૂઠ્ઠી જેટલા શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ અને તે પછી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ. આમ કરવાથી શ્વાસને સંબંધિત રોગોમાં સારી અસર થઈ શકે છે.
રોગપ્રતિકારક શક્તિ
ગોળ અને ચણાનું નિયમિત સેવન કરવાથી શરીરની પ્રતિરક્ષાને પ્રોત્સાહન મળે છે. એટલે કે રોગો સામે લડવાની શક્તિમાં વધારો થાય છે, શરીરની અંદરથી તાકાત વધારવામાં તે ખૂબ જ ગુણકારી છે. તે ચેપી રોગને દૂર કરીને શરીરને નિરોગી રાખવામાં પણ ઉપયોગી છે.
વજન ઘટાડવામાં
ગોળ અને ચણાનું મિશ્રણ બાળકો માટે જ નહીં પણ મોટાં લોકો માટે પણ એક આદર્શ નાસ્તો છે. આ એક લો ફેટ નાસ્તો છે, જેનાથી ચરબી ઓછી થાય છે. જેથી ખોટા સમયે લાગેલી ભૂખના સમયે વાટકી ભરીને ખાઈ લેવાથી વજન પણ ઘટાડવામાં આવે છે.
માસિક સ્ત્રાવ સમયે
જ્યારે સ્ત્રીઓને દર મહિને આવતા માસિક સ્ત્રાવ દરમિયાન શરીરમાંથી વહી જતા લોહીની કમીને પૂરી કરવા માટે પણ ગોળ – ચણાનું મિશ્રણ ખાવું ખૂબ જ ફાયદાકારક છે.
ગોળમાંથી ભરપૂર માત્રામાં આયર્ન મળી રહે છે જેથી તે લોહીની શુદ્ધિ માટે ઉપયોગી છે અને શેકેલ ફોતરાંવાળા ચણામાંથી સારી માત્રામાં પ્રોટીન મળે છે જે શરીરને અંદરથી મજબૂત બનાવવામાં અને અશક્તિ જણાય તો તાકાત ભેગી કરવામાં મદદરૂપ છે. થાક લાગે તો ઇન્સટન્ટ એનર્જી માટે ખૂબ જ લાભદાયક છે.
વિટામિનથી ભરપૂર
ગોળ અને ચણાનું આ કોમ્બીનેશન એટલું અકસીર છે, જેમાંથી શરીરને જોઈતા વિવિધ વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. ગોળમાં સારી માત્રામાં ક્ષાર અને ખનીજ તત્વો મળે છે.
તે મીઠું હોવાથી તેમાંથી નેચરલ ગ્લોકોઝ પણ મળે છે જે લોહીમાં ભળીને તુરંત શક્તિ આપે છે. વળી, ચણામાં પ્રોટીનની સાથે તેમાં વિટામિન મળે છે અને ખાસ કરીને વિટામિન બી૬ મેળવવાનું ઉત્તમ સ્ત્રોત છે.
કસરત કરીને નાસ્તામાં ઉપયોગી
આપણે કસરત કે વર્કઆઉટ કરીએ છીએ ત્યારે આપણાં શરીરમાંથી પરસેવો પાડીએ છીએ, ત્યારે શરીરમાંથી ઘણા પ્રમાણમાં ક્ષારનો વ્યય થઈ જાય છે. શક્તિનો સંચાર ઘટે છે અને થાક લાગે છે.
લોહીનું બ્રહ્મણનું પ્રમાણ વધે છે અને શ્વાસ પણ ઝડપથી ચાલે છે ત્યારે આ ગોળ – ચણાનો નાસ્તો ખૂબ જ લાભદાયી રહે છે. વપરાઈ ગયેલ શક્તિ ભેગી કરવા અને પરસેવાને લીધે લાગતો થાક તેમજ શરીરનું તાપમાનને નિયમન કરવા ખૂબ ફાયદાકારક છે.
દાંતની સારવાર
નિયમિત રીતે ગોળ – ચણા એક સાથે ચાવીને ખાવાથી દાંતમાં પણ ફાયદો થાય છે. ફોતરાંવાળા ચણાં કે દાળિયા ખાવાથી દાંતમાં ભરાયેલ અન્ય કચરો નીકળી જાય છે. પેઢાં મજબૂત થાય છે અને જો દાંતમાં સડો હોય તો આ ખાવાથી મળતું ફોસફરસ તેને સુધારવામાં ઉપયોગી નિવડે છે.
હાર્ટ મજબૂત કરવા
એવું માનવામાં આવે છે કે આ ગોળ અને દાળિયાને એક સાથે ખાવાથી તેમાં પોટેશિયમની માત્રા પણ સારા પ્રમાણમાં મળે છે જે હ્રદયને મજબૂત કરવામાં મદદરૂપ છે. જેને કારણે હાર્ટ એટેક રોકવામાં લાભ થાય છે.
કિડની અને મૂત્રાશયની શુદ્ધિ
ગોળ અને શેકેલ ફોતરાંવાળા ચણાના આ મિશ્રણને નિયમિત ખાવાથી જેમને વારંવાર પેશાબ જવાની ફરિયાદ હોય તેમને માટે પણ તે ગુણકારી છે. કિડનીને પ્યુરીફાય કરીને તેની કામગીરીને સરળ કરવામાં મદદરૂપ થાય છે.
ગોળ ચણાનું સેવન કેવી રીતે કરવું? જાણો તેની રસપ્રદ રીત…
સવારે ખાલી પેટે ખાવ, ગોળ – ચણા
એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠીભર ચણા રાતોરાત પલાળી રાખો. ચણાને પાણીમાંથી કાઢી લો અને તેને ગોળના નાના ટુકડા સાથે ખાલી પેટ પર ખાવા જોઈએ. મિશ્રણને ધીમેથી ચાવીને ખાવાની ટેવ પાડવી જોઈએ.
ગોળ – ચણાના લાડુ
ગોળ ચણાના મિશ્રણમાંથી લાડુ પણ બનાવી શકાય છે. જે બનાવવાની રીત પણ એકદમ સહેલી છે. આવો જાણીએ આ ઇન્સટન્ટ એનર્જી આપતા સૌને ભાવે તેવા મીઠા લાડુ કઈ રીતે બનાવાય છે.
સામગ્રીઃ આમાં માત્ર બે જ મુખ્ય સામગ્રી પરાય છે. 2 કપ – શેકેલા ચણા / દાળિયા અને 3/4 કપ – સમારેલ ગોળ
લાડુ બનાવવાની રીત:
પહેલા શેકેલા ચણાને નોન-સ્ટીક પેનમાં અથવા માઇક્રોવેવમાં શેકી લો અને તેને ઠંડુ થવા દો. હવે ધીમી આંચ પર નોન સ્ટીક પેનમાં ગોળ ઓગાળો અને તેને શેકી લો. તમે જાણતા હશો કે તે એકવાર તે ગરમ થવા લાગે તો તેની પાઈ બની જાય છે.
ગોળની પાઈમાં હવે શેકેલા ચણા નાંખો અને ચણાની ચારે બાજુ ગોળ ચોંટીને લપેટાઈ ન થાય ત્યાં સુધી થોડીવાર મિક્સ કરો. તેના પર થોડું પાણી છંટકાવ કરો જેથી તે વધુ સારી રીતે ચોંટે. પણ વધારે પાણી ના ઉમેરશો.
હવે તેન બળી કે દાઝી ન જાય તે માટે સતત ધીમા ગેસ પર ચલાવ્યા જ કરો. આ મિશ્રણને બરાબર પકાવ્યા બાદ નોન સ્ટીકને ગેસ પરથી ઉતારીને થોડું ઠંડુ પડવા દ્યો.
હવે તેના નાના ગોળા વાળી લો અને ઠંડું પડવા દ્યો. એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો. જ્યારે મન થાય આખા દિવસમાં ત્યારે તેને ખાઈ શકો છો.
સૌથી સરળ રીત છે, ફોતરાંવાળા શેકેલ ચણા કે દાળિયાને ગોળની નાની ગાંગડીઓ સાથે વાટકીમાં લઈને ખાઈ શકાય છે. એવું કહેવાય છે કે આ નાસ્તો ખાધા પછી થોડીવાર સુધી પાણી ન પીવું જોઈએ.
તે એક ઉત્તમ નાસ્તો હોઈ શકે ભોજન નહીં…
ગોળ અને ચણાને નિયમિત રીતે એકસાથે ખાવું જેમને ખૂબ ગમતું હોય તેઓ યાદ રાખશો કે તે એક પ્રકારે ઉત્તમ નાસ્તો હોઈ શકે, જે સવારે, બપોરે કે સાંજે એકાદ વાટકી ભરીને ખાઈ શકાય પરંતુ તેને ભોજનના વિકલ્પ તરીકે ન લેવું જોઈએ.
માત્ર ગોળ અને ચણા ખાઈને સૂઈ જવાની ટેવ ન પાડવી જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ