શરીર પર અચાનક સોજા થવા પાછળના કારણો જાણી લો, તેને રસોડાની ઔષદીઓથી સરળતાથી મટાડી શકાય છે…

તમને વારંવાર સોજા ચડી જવાની ફરિયાદ રહે છે? તો શરીર પર અવારનવાર આવતા સોજા મટાડવાના ઘરેલૂ ઉપાય જાણો… જરૂર થશે ફાયદો… શરીર પર અચાનક સોજા થવા પાછળના કારણો જાણી લો, તેને રસોડાની ઔષદીઓથી સરળતાથી મટાડી શકાય છે…

શરીર પર કોઈ ઇજા થઈ હોય તો શરીરનું કોઈ અંગ ફૂલી જાય કે પછી તેની પર સોજા ચડ્યા છે તેમ કહેવાય. તે સિવાય પણ શરીરમાં નમકનું પ્રમાણ વધવાથી એટલે કે બોડીમાં સોડિયમ રેશિયો વધી જવાથી પણ સોજા ચડે છે. કોઈ એલર્જિક વસ્તુઓને કારણે કે સ્કીન ડિસીઝમાં પણ સોજા ચડતા હોય છે. ગર્ભવતી સ્ત્રીઓને પણ પગમાં સોજા ચડી જવાની ફરિયાદ રહેતી હોય છે.

તેમજ જેમને કિડનીને લગતી કોઈ સમસ્યા હોય તો પણ એક લક્ષણ રૂપે દર્દીને સોજા ચડતા હોય છે. કેટલીક વાર દવાઓની આડઅસરને કારણે પણ ચહેરા પર કે હાથ – પગના પંજા પર સોજા નજરે પડતા હોય છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી પણ સોજા ચડે છે. એટલે જ લોજોને ટ્રાવેલ કર્યા પછી પગમાં સોજા ચડે છે.

આપણાં શરીરમાં કોઈને કોઈ ફેરફાર જણાય ત્યારે આપણને તરત ખ્યાલ આવી જાય છે. તેમાં પણ શરીરમાં સોજા ચડે તો આપણું શરીર ભારી થઈ જાય અને બેચેની અનુભવાય છે. એક રીતે જોઈએ તો શરીર પર સોજા ચડવાનું મૂખ્ય કારણ એ છે કે જો કોઈને હાડકાંમાં ફ્રેક્ચર આવી જાય તો ત્યાં તરત જ સોજો ચડેલો દેખાવા લાગે છે. આ સિવાય પણ અનેક કારણો હોઈ શકે જેમાં હાથના પંજા આંગળાં, ખભ્ભા કે કોણી, પગના પંજા, પીંડી કે થાપા પર સોજા આવતા હોય છે કોઈને તો ચહેરા પર કે પછી આંખનાં પોપચાં પર પણ સોજા ચડી જતા હોય છે.

એવા અનેક લક્ષણો હોય છે જેને કારણે શરીરમાં અચાનકથી સોજા ચડી જાય અને એ સ્નાયુઓની આસપાસની માસપેશીઓ ફૂલી જઈને દરદ કરવા લાગતી હોય છે. કેટલાક એવા સરળ અને ઘરના રસોડાંમાંથી જ મળી જતી ઔષધિઓથી આ સોજાઓને મટાડવાના નુસ્ખાઓ અજમાવી જુઓ, જરૂર થશે ફાયદો…

અનાનસનો રસ

શરીરમાં જો અકારણ સોજો ચડેલો દેખાય, સૂસ્તી લાગવી કે શરરીમાં સ્નાયુમાં ભાર વર્તાય તો અનાનસનો રસ પીવાનું સલાહ ભર્યું છે. એક પાકું પાઈનેપલ લઈને તેના ટૂકડા કરી લો, મીક્ષરમાં ગ્રાઈન્ડ કરી તેને ગાળી લઈ તેમાં પાણી ઉમેરીને જ્યુસ બનાવીને પી શકાય. એ સમયે તેમાં ખાંડ કે નમક ન નાખવું. નેચરલ જ્યુસ દિવસમાં એકવાર પી લેવાથી ફ્રેશ ફિલ થશે અને સોજો ઉતારવામાં પણ મદદરૂપ થશે. તેમાં ઉત્તમ પ્રકારનું એન્ટિ ઓક્સીડન્ટ રહેલું છે.

હળદર

તેનામાં એક ખાસ પ્રકારનું કુદરતી એન્ટિ બાયોટિક ઔષધ રહેલું હોય છે. હળદરનો ઉપયોગ હૂંફાળા દૂધ સાથે અક્સીર અસર કરે છે. જેમને દૂધ ન ભાવતું હોય કે ન પચતું હોય તો તેમણે હળદરને ગરમ નવસેકાં પાણીમાં ડોળીને પી શકાય છે. લોહીની શુદ્ધતા વધારવા, લોહીનું બ્રહ્મણ નિયમિત કરવા હળદર ઉપયોગી છે. તેને કારણે તે સોજા ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. તે એક ઉત્તમ ડિટોક્સિન છે. જેને કારણે શરીરનો ખરાબો નીકળી જાય છે અને શરીરનું શુદ્ધિકરણ થાય છે.

સરસિયાંનું તેલ

સરસિયાંનું તેલ ગરમ કરો અને તે હૂંફાળું થાય ત્યારે જ્યાં સોજો કે દુખાવો હોય તે જગ્યાએ હળવા હાથે માલિશ કરવી. જો વધારે તકલીફ હોય તો દિવસમાં બે વખત આ રીતે માલિશ કરવી જોઈએ. જેનાથી રક્ત સંચાર નિયમિત થશે અને સોજા ઉતરી જશે.

અળસી

એક ચમચી અળસીને એક ગ્લાસ ગરમ પાણીમાં લઈને પીસી લો. આ મિશ્રણને ગાળ્યા વિનાજ પી લો. અળસીના બીજમાં ભરપૂર માત્રામાં ઓમેગા ફેટ – ૩ રહેલ હોય છે. જે શરીરમાં જણાતા વિટામીન અને મિનર્લ્સની ખામીને ઓછી કરે છે. જેને કારણે ટોક્સીક્સ પણ નીકળી જાય છે. તેનાથી પાચનમાં પણ મદદ રહે છે. જો પેટને લગતી સમસ્યાને કારણે પગમાં સોજો હશે તો તુરંત રાહત મળશે.

નમક ન ખાવું

જો તમને અવારનવાર સોજા રહેવાની ફરિયાદ રહેતી હોય તો તમને નમક લેવા પર કંટ્રોલ કરવો જોઈએ. સલાડમાં કે રોટલી, રાયતું કે ભાતમાં ઉપરથી મીઠું છાંટીને ખાવાની ટેવ મૂકવી જોઈએ. નમકને બદલે સિંધવ મીઠું કે સંચળનો પણ ઉપયોગ કરી શકાય છે. કેમ કે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાથી કે પછી સોડિયમનું પ્રમાણ વધી જવાથી પણ ચહેરા પર સોજાના થર જોવા મળે છે કે પગમાં ગોટલા ચડેલા નજરે પડતા હોય છે.

વિટામીન્સની ઉણપ

શરીરમાં જો કોઈ ગંભીર બીમારી ન હોય તેમ છતાં પણ જો સોજા રહેતા હોય તો સમજાય છે કે શરીરમાં સામાન્ય વિટામીન્સની ખામી છે. તમારે બી, ઈ, ડી અને સી ધરાવતાં વિટામીનવાળો ખોરાખ ભરપૂર માત્રામાં લેવો જોઈએ. તાજા ખાટાં અને મીઠાં દળવાળાં ફળો અને તેમનો રસ લેવો જોઈએ. દિવસમાં થોડા પ્રમાણમાં સૂકો મેવો પણ ખાવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ