આ કારણે ઘરના મંદિરોમાં નથી રખાતી શનિદેવની મૂર્તિ, મંદિરોમાં કરાય છે પૂજા

જ્યારે શનિદેવની વાત આવે છે તો અનેક લોકો તેમનું નામ સાંભળીને ડરી જાય છે. કોઈના ઘરમાં તમે શનિદેવની મૂર્તિ કે તસવીર જોઈ નહીં હોય. પણ શું તમે તેનું કારણ જાણો છો.

image source

આપણા ઘરોના મંદિરોમાં શિવલિંગથી લઈને દેવી માતાની મૂર્તિ સુધી અને હનુમાનજીથી લઈને વિષ્ણુ ભગવાન અને ગણેશજીની મૂર્તિ પણ રાખવામાં આવે છે. પરંતુ ક્યાંય પણ તમે શનિદેવની મૂર્તિની તસવીર નહીં જોઈ હોય અનેક વાર તમને સવાલ પણ થતો હશે કે શું કારણ છે કે ઘરમાં અન્ય દેવી દેવતાની મૂર્તિઓ કે ફોટો તો હોય છે તો શનિદેવની કેમ નહીં.

શનિદેવને મળ્યો હતો શ્રાપ

image source

ધર્મ શાસ્ત્રોની માનીએ તો શનિદેવની મૂર્તિ કે ફોટોને ઘરના મંદિરમાં રાખવાની મનાઈ છે. શનિદેવની પૂજા ઘરની બહાર કોઈ મંદિરમાં કરવાનું વિધાન છે. આ પાછળની માન્યતા છે કે શનિદેવને શ્રાપ મળ્યો હતો કે તે જેને પણ જોશે તેનું ખરાબ થશે. આ કારણ છે કે શનિદેવની દૃષ્ટિ સીધી તમારા જીવન પર ન પડે આ માટે શનિદેવની ફોટો કે મૂર્તિને ઘરના મંદિર કે પૂજા ઘરમાં રાખવાનું યોગ્ય માનવામાં આવતું નથી.

શનિદેવની આંખમાં ન જુઓ

image source

જો તમે મંદિરમાં શનિદેવના દર્શન કરવા જાઓ છો તો પણ તેમના પગની તરફ જુઓ. તેમની આંખમાં આંખ મિલાવીને ન જુઓ અને દર્શન ન કરો. તમે ઘરમાં શનિદેવની પૂજા કરવા ઈચ્છો છો તો તેમના મનમાં સ્મરણ કરો. સાથે જ શનિવારના દિવસે શનિદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવની સાથે હનુમાનજીની પૂજા પણ કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

આ મૂર્તિઓ પણ મંદિરમાં ન રાખો

image source

શનિદેવના સિવાય રાહુ અને કેતુની મૂર્તિ કે ફોટોને પણ મંદિરમાં ન રાખો. ભગવાન શિવના નટરાજના રૂપની મૂર્તિ કે ફોટો અને ભૈરવની મૂર્તિ કે ફોટોને પણ મંદિરમાં રાખવાની મનાઈ કરાઈ છે.

હનુમાનજીની પૂજાથી શાંત રહે છે શનિદેવ

image source

હનુમાનજી શિવનો અવતાર માનવામાં આવે છે. એવામાં આખરે હનુમાનજીની પૂજાથી શનિદેવ શાંત રહે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે હનુમાનજી માતા સીતાને શોધવા લંકા પહોંચ્યા તો તેમની નજર શનિદેવ પર પડી હતી. હનુમાનજીને શનિદેવથી લંકામાં હોવાનું કારણ પૂછ્યું અને શનિદેવને જણાવ્યું કે રાવણે પોતાના બળથી તેમને કેદ કરી લીધા. આ સાંભળીને હનુમાનજીને શનિદેવને રાવણની કેદથી આઝાદ કરાવ્યા. તેનાથી પ્રસન્ન થઈને શનિદેવને હનુમાનજીને વરદાન માંગવા કહ્યું ત્યારે બજરંગબલીએ કહ્યું કે કળિયુગમાં મારી પૂજા અને આરાધના કરનરા અને મારી ભક્તિ કરનારાને તમે ક્યારેય અશુભ ફળ ન આપશો. આ માટે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવને કૃપા પ્રાપ્ત થાય છે.