બીજી લહેરમાં કોરોના સંક્રમિતોની સતત વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશમાં 19 એપ્રિલ સુધી ઇન્દોર, ઉજ્જૈન સહિતના અનેક શહેરોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. કેટલાક શહેરોમાં શુક્રવારની રાતથી સોમવાર સવાર સુધી લોકડાઉન ચાલુ હતું. હવે તે વધારીને 19 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં શનિવારે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિઓ સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ રોગચાળાને રોકવા માટે નિર્ણય લેવાયો હતો. આ સંદર્ભે, જિલ્લા કલેકટર/મેજિસ્ટ્રેટ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિઓની સંમતિ મુજબ કલમ 144 હેઠળ ઓર્ડર જારી કરશે.
ક્યાં અને ક્યાં સુધી લોકડાઉન રહેશે
Madhya Pradesh | Oxygen demand in Indore has gone up to 60%. We have created a committee that will audit oxygen availability in hospitals. We have extended the lockdown in Indore from Monday to Friday: Shankar Lalwani, Indore MP pic.twitter.com/Ymfx8HZjDt
— ANI (@ANI) April 10, 2021
ઇન્દોર, ઉજ્જૈન, શાજાપુર, બડવાની, રાજગઢ, વિદિશા જિલ્લામાં તા. 19 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી સતત લોકડાઉન ચાલુ રહેશે.
બાલાઘાટ, નરસિંહપુર, સિઓની અને જબલપુર શહેરમાં 12 એપ્રિલની રાતથી અને 22 એપ્રિલની સવારથી લોકડાઉન લાગુ કરવામાં આવશે.
19 એપ્રિલના રોજ સવારના 6 વાગ્યા સુધી ઇન્દોર શહેર, રાઉ નગર, મહુ નગર, શાજાપુર શહેર અને ઉજ્જૈન શહેર (અને ઉજ્જૈન જિલ્લાના તમામ શહેરો) લોકડાઉન રહેશે.
ઈન્દોરમાં ઓક્સિજનની માંગમાં 60 ટકાનો વધારો: લાલવાણી
ઈન્દોરના સાંસદ શંકર લાલવાણીએ જણાવ્યું હતું કે ઈંદોરમાં ઓક્સિજનની માંગમાં 60 ટકાનો વધારો થયો છે. અમે એક સમિતિની રચના કરી છે, જે હોસ્પિટલોમાં આ પ્રાણરક્ષક ગેસના સ્ટોકની સમીક્ષા કરશે. લાલવાણીએ કહ્યું કે 24 કલાક કાર્યરત કોવિડ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જે લોકોને કોરોના રોગચાળા વિશે માહિતગાર કરશે. સાંસદે કહ્યું કે, હોસ્પિટલોમાં બેડ વધારવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ડોકટરોની ટીમ હોસ્પિટલોમાં ભરતી માટેનો પ્રોટોકોલ પણ જારી કરશે.
ભોપાલમાં મોતનું તાંડવ, સ્મશાન અને કબ્રસ્તાનમાં ઓછી પડી જગ્યા
ઝડપથી ફેલાતા ચેપ વચ્ચે રાજધાની ભોપાલમાં સ્થિતિ એવી બની ગઈ છે કે અહીંના સ્મશાન અને કબ્રસ્તાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે જગ્યાની અછત સર્જાય છે. ભોપાલમાં ભદભદા સ્મશાન ઘાટ કોવિડ -19 થી મૃતકોના મૃતદેહને બાળવાની તૈયારી કરી છે, પરંતુ અહીં 41 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા બાદ શુક્રવારે આઠ મૃતદેહો પરત મોકલાવી દેવામા આવ્યા.
તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધીમાં 1 કરોડ 32 લાખ 2 હજારથી વધુ લોકોને આ ચેપ લાગ્યો છે. તેમાંથી 1 કરોડ 19 લાખ 87 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 1 લાખ 68 હજાર 467 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 10 લાખ 40 હજાર 993 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં 9 કરોડ 50 લાખ લોકોને રસી આપવામાં આવી છે. કોરોનાના વધતા જતા પ્રકોપ વચ્ચે એક બીજી ચિંતાની ખબર સામે આવી છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર દિલ્હી એમ્સના અનેક ડોકટરો સહિત 32 આરોગ્ય કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, આ તમામ લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસ અગાઉ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના 37 ડોકટરો ચેપ લાગ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!