OMG! આઠ વર્ષ પછી પતિથી અલગ થઇ ગઇ સિંગર સુનિધિ ચૌહાણ?

યુવા ગાયક સુનિધિ ચૌહાણ પતિથી અલગ, આઠ વર્ષ જૂનાં સંબંધ તૂટ્યા?

image source

સુનિધિની ગણના ઈન્ડસ્ટ્રીના સર્વશ્રેષ્ઠ ગાયકોમાં થાય છે. સુનિધિનો જન્મ ૧૪ઓગસ્ટને દિવસે નવી દિલ્હીના રાજપૂત પરિવારમાં થયો હતો. સુનિધિ માત્ર ૪ વર્ષની હતી જ્યારે તેણે ગાવાનું શરૂ કર્યું હતું અને ૧૨ વર્ષની ઉંમરે તેણે શાસ્ત્ર ફિલ્મ માટે ગાયું હતું. આ પછી સુનિધિ સિંગિંગ રિયાલિટી શો ‘મેરી આવાઝ સુનો’માં જોવા મળી હતી અને તે પછી તેણે મસ્ત ફિલ્મ માટે’ રૂકી રૂકી સી જિંદગી ‘ગાયું હતું.

image source

ત્યારબાદ તેણે ફિલ્મ ફિઝા માટે ‘મહેબૂબ મેરે’ ગીત ગાયું, જે ખૂબ જ સફળ બન્યું. સુનિધિએ તેની કરિયરમાં અનેક આઈટમ નંબર ગાયાં. સુનિધિએ ‘ઘૂમ મચાલે, દિદાર દે, બીડી, સજણા જી વારી, ચોર બજાર, ડાન્સ પે ચાન્સ’ જેવા ગીતો ગાયાં. સુનિધિએ ફિલ્મ ઓમકારાના બીડી જલઇ લે અને તિસ માર ખાનના શીલા કી જવાની ગીતો માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. આ સિંગરે પહેલા ૧૮ વર્ષની ઉંમરે ૨૦૦૨માં લગ્ન કર્યા હતાં. તેના પ્રથમ લગ્ન નૃત્ય નિર્દેશનકાર બોબી ખાન સાથે થયા હતાં. લગ્નના લગભગ એક વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતાં.

image source

હાલમાં બોલિવૂડ સિંગર સુનિધિ ચૌહાણ આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. સમાચાર છે કે તે અને તેનો પતિ હિતેશ સોનિક એક બીજાથી અલગ થઈ ગયા છે એવી અફવાઓ ફેલાઇ રહી છે. તેમના આઠ વર્ષ જુનાં લગ્ન આ લોકડાઉન દરમિયાન સમાપ્ત થયાં એવું સંભળાઇ રહ્યુ છે. હવે જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ અંગે કંઈ પણ કહેવાની ના પાડી. જોકે, આ સમાચારો અંગે હિતેશ સોનિકે પોતાની પ્રતિક્રિયા આપી છે અને તેણે તમામ સમાચારને નકામા ગણાવ્યા છે.

image source

તાજેતરમાં સુનિધિ, હિતેશ અને તેના મિત્રો સાથે ગોવાની સફર પર ગયો હતાં. ત્યાંથી પાછા ફર્યા પછીની આ અફવાઓ ફેલાઇ રહી છે. એક સ્રોત દ્વારા આ બાબતે માહિતી આપવામાં આવી હતી. સુનિધિ અને હિતેશનાં લગ્ન આઠ વર્ષ થયાં છે. એકબીજાને બે વર્ષ ડેટ કર્યા બાદ તેઓએ ૨૦૧૨ માં લગ્ન કર્યાં. લગ્ન ગોવામાં ભવ્ય રિસેપ્શન સાથે થયાં હતાં. સુનિધિએ લગ્નના પાંચ વર્ષ પછી જાન્યુઆરી ૨૦૧૮ માં એક પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ તેણે ટેગ રાખ્યુ છે. તે ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાના દીકરા સાથે ફોટા શેર કરે છે. આ સિવાય તેણી મોટાભાગની પ્રોફેશનલ લાઇફ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરે છે. સુનિધિના આ બીજા લગ્ન છે.

શું સિંગર સુનિધિ પોતાના પતિથી અલગ થઈ રહી છે?

image source

હિતેશે ફેલાયેલી અફવાના જવાબમાં કહ્યું કે “અમે બંને એક સાથે એક જ છત નીચે લોકડાઉનમાં રહેતા હોઈએ છીએ, હું ઘરકામ કરાવવામાં અને અખબારો વાંચવામાં વ્યસ્ત રહું છું, લોકડાઉનને કારણે અમે બંનેએ ઘરનું કામ વહેંચ્યું છે. હિતેશે હસતા હસતા કહ્યું કે કદાચ સુનિધી મારા ઘરકામથી ખુશ નથી, તેથી આ પ્રકારની વાર્તા બની રહી છે કે અમે અલગ થઇ રહ્યા છીએ. પરંતુ સત્ય એ છે કે અમારી વચ્ચે બધુ બરાબર છે”.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ