મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા અનિયમિત જીવનશૈલી અને ખાણીપીણીના કારણે પેટની એસિડિટી, અપચો અને ગેસ જેવી બીમારીઓ સાવ સામાન્ય બની ચુકી છે. પેટમાં ગેસ થવો એ આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. પેટમા ગેસ થવો એ આપણી પાચકશક્તિનુ પ્રાકૃતિક કાર્ય છે પરંતુ, આજે લગભગ ૮૦ ટકા જેટલી બીમારીઓનુ મૂળ કારણ પેટમા ગેસની સમસ્યા છે.
પેટમા ગેસ થવો એ કોઈપણ પ્રકારની બીમારી નથી પરંતુ, પેટ તેમજ આંતરડા અને યકૃતના કાર્યોને લીધે ઉભી થયેલી તકલીફો છે. એસિડિટી કારણે પેટ, છાતી અથવા ક્યારેક માથામા પણ તીવ્ર પીડાનો અનુભવ થાય છે. તે સમયે એવુ લાગે છે કે, શક્ય તેટલુ જલ્દીથી આ પીડાથી રાહત મળે છે. પેટમા ઉત્પન્ન થતા ગેસને દૂર કરવાના ઘણા ઘરેલુ ઉપાય છે, જેના વિશે આપણે આજે માહિતી મેળવીશુ.
આપણે સૌ જાણીએ છીએ કે, હિંગ એ પેટનો ગેસ દૂર કરવા માટેનો એક શ્રેષ્ઠ ઉપાય છે. જો તમે એક ગ્લાસ ગરમ પાણીમા અડધી ચમચી હીંગ ઉમેરીને તેનુ સેવન કરો તો તમારી પેટ સાથે સંકળાયેલી ગેસની સમસ્યા દૂર થાય છે. આ વસ્તુ એ એન્ટી-ફ્લેટ્યુલેન્ટનુ કામ કરે છે અને ગેસની સમસ્યામા ઉત્પન્ન થતા બેક્ટેરિયાને પેટમા આગળ વધતા અટકાવે છે.
જો તમે તજને પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ કરો અને સવારે ભૂખ્યા પેટે પીવો અને મધની સાથે મિક્સ કરીને તેનુ સેવન કરો તો તે તમારી આ ગેસની સમસ્યાને તુરંત દૂર કરી દેશે. આ સિવાય લાસૂન પણ ગેસની સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. જો તમે લસણને જીરુ, કોથમીર સાથે ઉકાળીને તેનો ઉકાળો પીવાથી તેને દિવસમા બે વખત તેનુ સેવન કરી શકો છો.
પેટમાં ગેસની સમસ્યાને દૂર કરવા માટે તમારે હળદર , સફેદ નમક અને પાણીની આવશ્યકતા પડશે, તે પછી તમે એક ચમચી હળદર અને થોડુ નમક ગરમ પાણી સાથે લો અને તમને તુરંત રાહત મળશે. ગેસની સમસ્યાને દૂર કરવા માટે તમારે કાળા નમક અને પાણીની જરૂર પડશે, આ પછી તમે તેમા થોડું સેલરિ અને થોડુ કાળુ નમક મિક્સ કરો તો તમારા ભોજનને ખાધા પછી તેને ગરમ પાણીમાં ભેળવી લો તો ગેસની સમસ્યા દૂર થશે.
ગેસની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકાય છે. બેકિંગ સોડાને સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવામા આવે છે. તે એન્ટાસિડની જેમ કાર્ય કરે છે. તેના સેવનને કારણે પેટમાં એસિડનું સ્તર તમારા પેટમા સામાન્ય હોઈ શકે છે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત