મિત્રો, ભગવતી જગદંબા એ શ્રદ્ધાળુઓના વિવિધ કાર્યોને સિદ્ધ કરે છે અને એ જ સિદ્ધિ અનુસાર નામ ધારણ કરીને જુદા-જુદા નામે પૂજાય છે. આદ્યશક્તિનુ એક આવુ જ સ્વરૂપ એટલે કે તેમનુ માતા ‘આશાપુરી’ સ્વરૂપ. માતા શક્તિનુ આ એ સ્વરૂપ છે કે, જે લોકોની બધી જ આશાઓને પરિપૂર્ણ કરે છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યના નવસારી શહેરમાં દુધિયા તળાવની પાસે દેવી આશાપુરીનુ સુંદર મંદિર વિદ્યમાન છે પરંતુ, આ સ્થાનકની સૌથી મોટી વિશેષતા એ છે, અહી સર્જાયેલો દર્શનનો ત્રિવેણી સંગમ. લગભગ ૪૦૦ વર્ષ પ્રાચીન આ સ્થાનકમા માતા આશાપુરીના અત્યંત દિવ્ય રૂપના દર્શન થઈ રહ્યા છે.
અહી માતાની એક તરફ પ્રભુ શ્રી ગણેશજી અને બીજી તરફ ઋષિ માર્કેંડય પણ બિરાજમાન થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તે ઋષિ માર્કંડેય જ હતા કે, જેમણે આદિશક્તિનો મહિમા ગાઈને તેમની કૃપાને પ્રાપ્ત કરી હતી. આમ, તો અનેકવિધ મંદિરોમા આ રીતે એક કરતા વધારે પ્રતિમાઓના દર્શન થતા હોય છે પરંતુ, આ ‘ત્રિમૂર્તિ’નું રહસ્ય સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દેનારું છે.
માતા આશાપુરીના સ્થાનકમા દર્શન દેતી આ ‘ત્રિમૂર્તિ’ વાસ્તવમા તો એક જ પ્રતિમાનો ભાગ છે એટલે કે એક જ શિલ્પમાં કંડારવામા આવેલા છે આ ત્રણ રૂપ ! સૌથી અગત્યની વાત તો એ છે કે, આ પ્રતિમાઓ સ્વયંભૂ જ મળી આવી હતી. પ્રચલિત કથા મુજબ મલ્હારરાવ ગાયકવાડ સરકારના સમયમાં માતાએ સ્વયં તેમના સ્વપ્નમાં આવી પોતે આ સ્થાન પર હોવાનો નિર્દેશ આપ્યો હતો.
માતાના નિર્દેશ મુજબ ખોદતા અલભ્ય ત્રિમૂર્તિનું પ્રાગટ્ય થયુ. માતાએ સ્વપ્ન નિર્દેશ મુજબ જ પ્રગટ થઈ મલ્હારરાવ ગાયકવાડની આશા પૂરી કરી અને એટલે જ દેવી આશાપુરીના નામે અહી પૂજાયા. અનેક જીર્ણોદ્ધાર બાદ હાલ નવસારીમા માતાનું સુંદર મંદિર શોભાયમાન છે. પરંતુ, સૌથી રોચક વાત એ છે કે આ મૂર્તિને ક્યારેય તેના સ્થાન પરથી ખસેડવામા નથી આવતી.
ગુજરાતમાથી તો મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ અહી દર્શન હેતુસર આવે જ છે પરંતુ, આ સાથે જ વિદેશમા વસતા ગુજરાતીઓ પણ જ્યારે નવસારી આવે ત્યારે માતા આશાપુરીના આશીર્વાદ અવશ્યપણે લે છે. આ સ્થાનકને લઈને એક એવી લોકવાયકા પણ છે કે અહીં આસ્થા સાથે આવનારને ક્યારેય પણ નિરાશ થવાનો વારો નથી આવતો. આ ઉપાંત માતા આશાપુરી નિઃસંતાનને સંતાનની પ્રાપ્તિ કરાવનાર પણ મનાય છે.
આ સિવાય એક જ સ્થાન પર શ્રદ્ધાળુઓ શુભકર્તા દેવ વિનાયક, દીર્ઘ આયુષ્ય અર્પતા ઋષિ માર્કંડેય અને આશાઓને પૂર્ણ કરતા માતા આશાપુરીના દર્શન કરી રહ્યા છે. આ સાથે જ તેમના અહીં હાજરાહજૂર હોવાની અનુભૂતિ પણ કરી રહ્યા છે. ત્યારે સ્થાનકની આ દિવ્યતા જ તો શ્રદ્ધાળુઓને વારંવાર માતા આશાપુરીના મંદિરે ખેંચી લાવે છે. તો એકવાર આ મંદિરની મુલાકાત અવશ્યપણે લેજો, ધન્યવાદ!
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,