આપણા પ્રાચીન ગ્રંથોમાં એવા અનેક મંત્ર અને ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને અમલમાં મુકવાથી જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે. પરંતુ આ ઉપાયો ત્યારે જ ફળ આપે છે જ્યારે તેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે.
નવરાત્રિના આ દિવસો અત્યંત ચમત્કારી હોય છે. આ દિવસોમાં કરેલી પૂજા-અર્ચના તુરંત ફળ આપે છે. તો ચાલો સૌથી પહેલા જ જાણી લો કે નવરાત્રિમાં એવા કયા ઉપાયો કરવા જોઈએ જે ચમત્કારી સાબિત થાય અને જીવનની દશા બદલી શકે છે.
1. નવરાત્રિમાં શુભ મુહૂર્તમાં ધતુરાના મૂળનો એક ટુકડો ઘરમાં લાવી તેની પૂજા કરી અને મંદિરમાં સ્થાપિત કરવો. આ ટુકડાની સ્થાપના કરતાં પહેલા મહાકાળી માતાના બીજમંત્ર ‘ક્રીં’નો 108 વખત જાપ કરવો.
2. નવરાત્રિ દરમિયાન ઘરમાં કેળનું ઝાડ રોપવાથી પણ લાભ થાય છે. પહેલા નોરતાં પર ઘરમાં તેને રોપી અને નવ દિવસ સુધી તેમાં તાંબાના કળશથી જળ ચઢાવવું. ત્યારબાદ દર ગુરુવારે પાણીમાં થોડું કાચું દૂધ ઉમેરી અને કેળમાં ચઢાવવું. આર્થિક તંગીની સમસ્યા દૂર થઈ જશે.
3. નવરાત્રિમાં તુલસીના છોડની પણ નિયમિત પૂજા કરવી. સવારે જળ ચઢાવવું અને સંધ્યા સમયે તુલસી નજીક ઘીનો દીવો કરવો. આ ઉપાયથી પણ ધનની તંગીની સમસ્યા દૂર થશે.
4. નવરાત્રિ દરમિયાન કોઈપણ દિવસે શુભ ચોઘડિયામાં વડલાનું એક પાન તોડી તેને ઘરે લાવી શુદ્ધ જળથી સાફ કરી તેના પર હળદરથી સાથિયો કરી તેને તિજોરીમાં સ્થાપિત કરવું. આ પાન જ્યાં સુધી તિજોરીમાં હશે ત્યાં સુધી તિજોરી ખાલી નહીં થાય.
દરિદ્રતાને દૂર કરશે યંત્ર પૂજા અને આ એક મંત્રનો જાપ
શું તમારી પાસે પણ ધન ટકતું નથી… ઘરમાં આવતું ધન અણધાર્યા ખર્ચામાં વપરાઈ જાય છે તો આ સ્થિતીને બદલવા માટે અને લક્ષ્મીને આકર્ષિત કરવા માટે મંત્ર શક્તિ શ્રેષ્ઠ ઉપાય છે.
સૌથી પહેલા ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવી. શ્રીયંત્ર ઘરમાં રવિપુષ્ય, ગુરુપુષ્ય જેવા શુભ મુહૂર્તમાં લાવવું. ખાસ ધ્યાન રાખવું કે યંત્ર ચાંદી, તાંબા અથવા ભોજપત્ર પર બનેલું હોવું જોઈએ. આ યંત્રની સ્થાપના મંત્ર જાપ કરીને કરવી. કારણ કે યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ જ તેનાથી લાભ પ્રાપ્ત કરી શકાય છે.
યંત્ર સ્થાપના બાદ નીચે આપેલા મંત્રનો જાપ કરવો. મંત્ર જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો અને મંત્રની 5 માળા કરવી.
મંત્ર
ॐ શ્રીં હ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં લીં શ્રીં ॐ મહાલક્ષ્મયે નમઃ
આ મંત્રનો જાપ શ્રીયંત્રની સામે બેસીને કરવો. શ્રીયંત્રની ઘરમાં સ્થાપના કરો ત્યારપછી દિવાળી, નવરાત્રી જેવા તહેવાર પર તેની વિશેષ પૂજા કરવી. આ યંત્ર પૂજા ઘરમાં શરૂ થશે ત્યારબાદ તમે અનુભવશો કે ઘરમાં સુખ-શાંતિ છવાયેલી રહેશે. નિયમિત રીતે ઉપરોક્ત મંત્રનો જાપ શરૂ કરવાથી દરિદ્રતા દૂર થશે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહેશે. યંત્ર પૂજા મનોકામના પૂર્ણ કરનારી પણ છે. શ્રદ્ધા રાખી પૂજા અને મંત્રજાપ કરશો તો તેનું ફળ અચૂક મળશે.
લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક ઉપયોગી જીવનમાં ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ