આપને જણાવી દઈએ કે જેમ મીઠા વગર જમવાનો સ્વાદ અધૂરો લાગે છે.પણ શું આપ જાણો છો કે ચપટીભર મીઠુ આપની ઘણી હેલ્થ અને બ્યુટી પ્રોબ્લેમસને દૂર કરવામાં ફાયદાકારક છે.નહાવાનાં પાણીમાં મીઠું મેળવી આપ ઘણી રીતની મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકો છો.આવો જાણીએ.
કેવી રીતે તૈયાર કરવું સોલ્ટ વોટર બાથ
એક બાલ્ટી હળવા ગરમ પાણીમાં બે ચમચી સિંધાલું મીઠું,એક ચમચી નાળિયેર તેલ મેળવીને આ પાણીને નહાવા માટે વાપરો.આ પાણીને આપ સવાર-સાંજ બન્ને ટાઈમ નહાવા માટે વાપરી શકાય છે જેમાથી ઘણી પ્રકારની સ્વાસ્થય સમસ્યાઓ દૂર થશે.
તાવમાં રાહત
તાવ શરદીમાં દવાઓનું સેવન કરવામાં આવે છે પણ આપઈચ્છો તો મીઠાવાળા પાણીમાં નાહીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.આ પાણીથી શરીર ઈન્ફેક્શનથી તો બચીને રહે છે સાથે જ શરદી ઉધરસ અને તાવમાંથી સાજા થવામાં ખૂબ મદદ મળે છે.
માંસપેશીઓનું દર્દ દૂર થશે
જો આપની માંસપેશીઓનો દુખાવો રહે છે તો તમે પણ મીઠાવાળા પાણીથી નહાવાથી ફાયદો મળશે.વાત કંઈક એમ છે કે,સોલ્ટ વોટર બાથ શરીરમાં કેલ્શિયમની કમી દૂર કરે છે અને હાડકા તેમજ નખ મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ખંજવાળની સમસ્યા ગાયબ
ગરમીઓમા અવારનવાર ખંજવાળની સમસ્યા રહે છે.તેવામાં કોઈપણ પ્રકારની ક્રિમ કે લોશન ઉપયોગ કરવાને બદલે મીઠાનાં પાણીથી નહાઈ લો.તેનાથી ખંજવાળની સમસ્યા તો દૂર થશે સાથે જ ઉંઘ પણ સારી આવશે.
સ્ટ્રેસ અને થાક કરે દૂર
મીઠાનાં પાણીથી સ્નાન કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થય પણ સારુ બની રહે છે.જો આપ પણ અવારનવાર સ્ટ્રેસ અને થાક અનુભવો છો તો મીઠાવાળા પાણીથી જ સ્નાન કરવું જોઈએ.તેનાથી તમે આરામ અનુભવશો.
સ્કીનને બનાવે ગ્લોઈંગ
આ પાણીમાં ઘણા મિનરલ્સ અને પોષક તત્વો હોય છે જે આપની ત્વચાને જવાન બનાવે છે.મેગ્નેશિયમ ,કેલ્શિયમ ,બ્રોમાઈડઅ,સોડિયમ જેવા મિનરલ્સ ત્વચાનાં રોમ છિદ્રોમાં પ્રવેશ કરે છે અને ત્વચાને સાફ કરી સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
સ્કીન કરે ડિટોક્સ
મીઠાનાં પાણીથી નહાવાથી ત્વચાથી ઝેરીલા તત્વ બહાર નિકળે છે.વાત કંઈક એ મ છે કે,આ પાણી ત્વચામાં રોમ છિદ્રોને ખોલે છે.તેમા રહેલા મિનરલ્સ ત્વચાની અંદર જઈ તેની ઉંડાણથી સફાઈ કરે છે.ઝેરીલા અને નુક્સાનકારી પદાર્થો અને બેક્ટેરિયાને ત્વચાથી બહાર કાઢવામાં આવે છે જેનાથી સ્કીન જવાન બને છે.
એસીડિટીમાં રાહત
એસીડિટી એક એવી સમસ્યા છે જેનાથી મોટા ભાગનાં લોકો પરેશાન છે.તેનાથી રાહત મેળવવા માટે મોંઘી કે આડઅસરકરતી દવાઓને બદલે મીઠાનાં પાણીમાં નહાવાનો ઉપાય જ બેસ્ટ છે. વાત કંઈક એમ છે કે,ક્ષરિય પ્રકૃતિને કારણે આ અલ્મની માત્રાને ઓછી કરે છે જેનાથી એ સીડિટીની સમસ્યા દૂર રહે છે.
ત્વચાને બનાવે મુલાયમ
સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવી ખૂબ જરૂરી છે કારણ કે તેના વિના ત્વચાની નમી ખોવાઈ જાય છે જેના કારણે તે બેજાન અને શુષ્ક નજર આવે છે.ત્વચા પર નમી બનાવી રાખવા માટે મીઠાનાં પાણીમાં નહાવું બેસ્ટ છે. કારણ કે તેમાં રહેલ મેગ્નેશિયમ ત્વચામાં પાણીને વધારે વાર સુધી રોકી રાખે છે જેનાથી તે મોઈશ્ચરાઈઝ થાય છે અને કોશિકાઓનો ગ્રોથ પણ વધારે થાય છે.
પગને કરે રિલેક્સ
દિવસભર કામ કે ચાલવા ફરવાથી સૌથી વધારે શરીરનો દબાવ પગ પર પડે છે,જેના કારણે પગની માંસપેશીઓ મુલાયમ અને દુખાવો થવા લાગે છે.બુટ અને ચપ્પલ પહેરવામાં પણ તકલીફ અનુભવાય છે.તેવામાં મીઠાનાં પાણીમાં નહાવાથી શરીરને સાથે સાથે પગની માંસપેશીઓ આરામ અનુભવે છે અને દુખાવો અને તેની જકડન પણ દૂર થાય છે.તે સિવાય તેનાથી પગમાંથી આવતી દુર્ગંધ પણ ગાયબ થઈ જાય છે.
સાંધાનાં દુખાવામાં રાહત
મીઠાનાં પાણીમાં નહાવાનો એ ક મોટો ફાયદો એ પણ છે કે હાડકામાં થવાવાળા હલકા ફુલ્કા દુખાવાથી રાહત મળે છે અને આગળ ચાલીને આર્થરાઈટિસની સમસ્યા એટલે કે હાડકાના દુખાવાથી પણ બચાવે છે.