ઘણી વાર આપણે એવી સ્થિતિમાં મુકાઈ જતા હોય કે આપણને કંઇ પણ કરવાનું મન થતું નથી અને આપણા મગજમાં પણ સ્ટ્રેસ વધતો જાય છે.
આવા સમયે જો આપણે સંગીત સાંભળીએ તો સ્ટ્રેસ ધીરેધીરે ઘટી જાય છે.
કેટલીકવાર એવું પણ બને છે કે આપણે સ્ટ્રેસ વચ્ચે સંગીત સાંભળતા હોય અને કોઈ સમસ્યાનું સમાધાન પણ મેળવીએ છીએ. લોકોને અલગ અલગ સંગીત સાંભળવાનો શોખ હોય છે.
કેટલાક લોકો તેમના મિત્રો સાથે સંગીત સાંભળવાનું પસંદ કરે છે, તો તેમના પાર્ટનર સાથે સંગીત સાંભળવાનું પસંદ કરે છે અને ક્યારેક લોકો એકલા રહીને સંગીત માણતા જોવા મળે છે.
આજકાલ લોકો સંગીતને તેમના રોજિંદા જીવનનો એક ભાગ માને છે. લોકોને સંગીત સાંભળતા સાંભળતા કામ કરવું પસંદ છે. સંગીત સાંભળ્યા પછી તેમને સ્ટ્રેસમાંથી રાહત મળે છે. તેના કારણે લોકો સ્વસ્થ પણ રહે છે.
સંગીત સાંભળવાથી આપણું મનોબળ મજબૂત થાય છે. સંશોધન દ્વારા પણ આ વાતને સાબિત કરવામાં આવી છે કે સંગીત સાંભળ્યા પછી આપણી વિચાર શક્તિ સુધરે છે અને સાથે જ શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે છે.
સંગીત સાંભળવાથી મગજની કસરત પણ થાય છે. તેનાથી મગજ સતેજ રહે છે. સંગીત સાંભળવાથી શરીરમાં ડોફામાઇન હોર્મોન્સ રિલીઝ થાય છે જેનાથી આપણો મૂડ સારો થાય છે અને કાર્ય કરવાની ક્ષમતા પણ વધે છે.
સંગીત સાંભળવાથી દોડવાની ગતિ પણ વધે છે. દોડતી વખતે દોડવાની ક્ષમતામાં વધારો સંગીત કરે છે. દોડતી વખતે મોટિવેશનલ સંગીત સાંભળવાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે જેનાથી દોડવા માટે શક્તિ વધે છે.
જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે સંગીત સાંભળો છો તો તે તમારા માટે સારું છે. તેનાથી સ્ટ્રેસ લેવલ વધતું નથી. ઘણા લોકોને ડ્રાઇવિંગ કરતી વખતે સંગીત સાંભળવાની ટેવ હોય છે. આમ કરવાથી ડ્રાઇવિંગ કરતી વખતે કંટાળો આવતો નથી.
જો શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તો તે પેઈનને ઓછું કરવામાં સંગીત અસરકારક છે.જ્યારે તમને પીડા થાય છે, ત્યારે તમે તમારી પસંદનું સંગીત સાંભળવાનું શરૂ કરી દો. તમારી પીડા ઓછી થઈ જશે.
સ્ટ્રેસ માટે સંગીત ખૂબ જ જરૂરી અને સારું માનવામાં આવે છે. સંગીત સાંભળવાથી ડિપ્રેશન જેવી બીમારી પણ દૂર થવા લાગે છે. જે લોકો ડિપ્રેશનથી પીડિત હોય તેમના માટે સંગીત અસરકારક થેરાપી સમાન સાબિત થાય છે.
જો તમે તાણને લીધે વસ્તુઓ કે વાતો ભૂલી જતા હો તો તમે સંગીત સાંભળવાનું તુરંત શરૂ કરો. સંગીત સ્ટ્રેસ ઘટાડે છે અને મગજને ઊર્જા પણ પ્રદાન કરે છે. જે તમારી યાદ રાખવાની ક્ષમતામાં વધારો કરશે.
સંગીત સાંભળવાથી વ્યક્તિના મનમાં સકારાત્મક વિચારો વધે છે. જો મનમાં નકારાત્મક વિચારો વધારે આવતા હોય તો પણ સંગીત સાંભળવાની ટેવ પાડો તેનાથી લાભ થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ