આજકાલ બોલિવૂડ હોય કે હોલિવૂડ દિન પ્રતિદિન આપણને તેમાં કોઇ નવા સમાચાર સાંભળવા મળતા હોય છે. જો કે થોડા દિવસ પહેલા જ બોલિવૂડમાં કુશલ પંજાબીના સ્યુસાઇડના સમાચારથી બોલિવૂડ જગતમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી ત્યારે તાજેતરમાં જ પ્રખ્યાત અભિનેત્રી સાથે જોડાયેલ ચોંકાવનારો એક મામલો સામે આવ્યો છે. આ અભિનેત્રી પર પોતાની જ માતાની હત્યાનો ગંભીર આરોપ લાગી રહ્યો છે. આ અભિનેત્રી બીજૂ કોઇ નહીં પણ હોલિવૂડ ફિલ્મ ‘કેપ્ટન અમેરિકા’માં નજર આવેલ મોલી ફિટ્જગેરાલ્ડ (Mollie Fitzgerald)છે.
તમને જણાવી દઇએ કે, મોલી ફિટ્જગેરાલ્ડ વિરૂદ્ધ ઓલાથ પોલીસ ડિપાર્ટમેન્ટ એક્શન લેતા તેની ધરપકડ પણ કરી લીધી છે. ઓથાલ પોલીસ ડિપાર્ટમેન્ટએ આ અંગેની જાણકારી ટ્વીટર પર પણ આપી છે. આ સાથે જ‘કેપ્ટન અમેરિકા: ધ ફર્સ્ટ એવેન્જર’માં નાનકડી ભૂમિકા અદા કરનાર એક્ટ્રેલ મોલી ફિટ્જગેરાલ્ડ પર પોતાની માતાને કથિત રૂપથી ચાકૂ મારવાનો આરોપ છે.
જેના કારણે યૂએસના મિસૌરી પોલીસે મોલી ફિટ્જગેરાલ્ડને હિરાસતમાં લઇ લીધી છે. એક અહેવાલ અનુસાર પોલીસને એક સૂત્ર મોલીની માતા પૈટ્રિશિયા ઇ ફિટ્જગેરાલ્ડના ઘરે કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓની જાણાકારી મળી હતી. જેના પછી તરત જ એક્શન લેતા જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો પૈટ્રિશિયાને મૃત હાલમાં મળી અને તેમના શરીર પર છરીના ઘા મળી આવ્યા હતાં. જેના પછી તેમને ઘટનાસ્થળે જ મૃત ઘોષિત કરવામાં આવ્યા.
મોલી ફિટ્જગેરાલ્ડ ક્રિસ ઇવાંસની ફિલ્મ ‘કેપ્ટન અમેરિકા: ધ ફર્સ્ટ એવેન્જર’ સિવાય પણ ગણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણે ફિલ્મ ડાયરેક્ટર જો જોનસન સાથે આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે. ત્યાં જ મોલી ફિટ્જગેરાલ્ડ એક સફળ મોડલ પણ રહી ચૂકી છે. આ સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, પૈટ્રિશિયાની ઓળખીતી મહિલા સાથે પણ વાતચીત કરવામાં આવી છે. ત્યાં જ પોલીસ ડિપાર્ટમેન્ટ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર તપાસ બાદ પોલીસે મોલી પર સેકન્ડ ડીગ્રી મર્ડરનો ચાર્જ લગાવ્યો છે અને ધરપકડની સાથે-સાથે તેના પર 500,000 યૂએસ ડોલર્સનો દંડ પણ ફટાકાર્યો છે.
બોલિવૂડ એક્ટર કુશલ પંજાબીએ આત્મહત્યા કરી લેતા ચકચાર
તમને જણાવી દઇએ કે, ટીવી અને બોલિવુડ એમ બન્નેમાં જાણીતો અભિનેતા કુશલ પંજાબીએ 27 ડિસેમ્બરના રોજ આત્મહત્યા કરી લીધી હતી. આ ચોંકાવનારા સમાચારે ઇન્ડસ્ટ્રીને હલાવી દીધી હતી. ત્યાં જ કુશલના માતાપિતા તો એકદમ તૂટી જ ગયા છે.
નજીકના મિત્રોને પણ ભરોસો ના થયો કે હમેંશા હસતો જોવા મળતો કુશલ આવું પગલું પણ ભરી શકે છે. કુશલ પંજાબીની મૃત્યુ પછી તેની સાથે જોડાયેલી કેટલીક વાતો સામે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે કુશલ પંજાબીના લગ્ન જીવનમાં તકલીફ હોવાથી તે પરેશાન રહેતો હતો. ત્યાં જ કુશલ પંજાબીના પિતાએ જણાવ્યું કે આત્મહત્યાથી એક રાત પહેલા શુ થયું હતું?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ