લસણને લાંબા સમય સુધી રાખવુ છે? તો વાંચી લો એકવાર આ ટિપ્સ…

લસણના ઔષધીય ગુણો:

એક સમય હતો જ્યારે આજની જેમ દવાની દુકાનો ઉપલબ્ધ ના હતી. તે સમયે લસણનો ઉપયોગ આયુર્વેદિક ઉપચાર તરીકે કરવામાં આવતો હતો.

image source

લસણ એન્ટી ફંગલ, એન્ટી વાઇરલ, એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. લસણમાં એલિસીન અને અન્ય સલ્ફર યૌગિક પણ મળી આવે છે. આ સાથે જ લસણમાં એજોઈન જેવા તત્વો અને એલિન જેવા યૌગિક તત્વો પણ હોય છે.

image source

જે લસણને વધારે અસરદાર ઔષધિ બનાવી દે છે. ખરેખર તો આ તત્વો અને યૌગીકોના કારણે તેનો સ્વાદ કડવો થઈ જાય છે પણ બીજી બાજુ આ જ તત્વો લસણને સંક્રમણ દૂર કરવાની ક્ષમતા આપે છે.

લસણ ખાવાની સાચી રીત અને સમય:

image source

સામાન્ય રીતે લસણનો ઉપયોગ રોજ કરી શકાય છે. પરંતુ સવારના સમયે લસણનું સેવન કરવાથી સૌથી વધારે ફાયદા થાય છે.

લસણ ખાવાની સાચી રીત:

  • – આપ આપના ભોજનમાં રોજ મર્યાદિત પ્રમાણમાં લસણનો ઉપયોગ કરી શકો છો. પણ આ વિશે એકવાર ડોકટરને જરૂર પૂછી લેવું.

    image source
  • – આપ દરરોજ લસણની કાચી કે સૂકી કળીઓ ખાલી પેટે ખાવી જોઈએ. તેના થોડાક સમય પછી હુંફાળા પાણીમાં લીંબુ સરબત બનાવીને પી શકાય છે.
  • -આપ આપની ઈચ્છા મુજબ લસણની એક કે બે કળીઓના ઝીણા ટુકડામાં કાપીને પાલકની ગ્રેવી સાથે ભેળવીને ખાયી શકો છો.
  • -જો આપને આખું લસણ ખાવું પસંદના હોય તો અડધી ચમચીથી પણ ઓછી લસણની પેસ્ટ કે એક લસણની કળીને ઝીણી કાપીને ખાવાના ઉપયોગમાં લેવું.
  • -લસણને રોજ શાક કે સુપમાં નાખીને પણ ખાય શકાય છે.

    image source
  • -ચાના શોખીનો લસણની ચા પણ પી શકે છે.
  • -લસણની કેટલીક કળીઓને ઘીમાં શેકીને પણ ખાઈ શકાય છે.
  • -બે થી ત્રણ લસણની કળીઓને લીલીડુંગળી, બ્રોકલી અને બીટના રસ સાથે ભેળવીને પીવામાં આવે તો જો આપને કોઈપણ પ્રકારની એલર્જી છે તો આ વિશે એકવાર ડોકટરની સલાહ જરૂર લેવી.
  • – એ વાતનું ધ્યાન રાખવું કે જો આપને કોઈ એલર્જી છે તો ભોજનમાં લસણને સામેલ કરતા પહેલા ડોકટરની સલાહ જરૂર લેવી.

    image source
  • – જો આપ કાચું લસણ નથી ખાઈ શકતા અને આપને તેની ગંધ પણ પસંદ નથી તો બજારમાં લસણની કેપસ્યુલ પણ ઉપલબ્ધ છે. આપ આ લસણના રસથી બનેલી કેપસ્યુલનું રોજ સેવન કરી શકો છો.

લસણને લાંબા સમય સુધી કેવીરીતે સાચવવું:

image source

કેટલાક ઘરોમાં આખા વર્ષનું લસણ ભરી રાખવામાં આવે છે. પણ તેઓને લસણને યોગ્ય રીતે ભરવાની રીત ખબર ના હોવાથી ઘણીવાર લસણ બગડી જાય છે અને ફેંકી દેવું પડે છે. આથી આજે આપને લસણને યોગ્ય રીતે ભરી રાખીએ તો તે લાંબા સમય સુધી સારું રહે છે અને તેનો વધારે ઉપયોગ કરી શકાય તે રીત અહીં જણાવીશું:

-લસણને ફ્રીઝમાં રાખવું નહિ. તેને ખુલ્લી જગ્યામાં જ્યાં હવાની અવર જવર થઈ શકે.

-તાજા લસણને પેક કરીને રાખવું નહિ. આમ કરવાથી લસણ અંકુરિત થશે અને ખરાબ થઈ જાય છે.

image source

– જરૂરિયાત મુજબ જ લસણને લસણના કંદ માંથી કળીઓ જુદી કરવી કેમકે આખા લસણ કરતા કળીઓ વહેલી બગડી જાય છે.

-લસણને વ્યવસ્થિત ભર્યા પછી પણ ઉપયોગ કરતા પહેલા એકવાર તપાસી લેવું. જો લસણ નરમ થઈ ગયું હોય કે અંકુરિત થઈ ગયું હોય તો આ લસણનો ઉપયોગ કરવો નહીં. આ સિવાય જો લસનમાંથી ગંધ આવતી હોય તો તેને તરત જ ફેંકી દેવું.

image source

લસણનું સેવન કરતી વખતે આટલી સાવધાની રાખવી:

  • – કોઈપણ વસ્તુ જરૂરિયાતથી વધુ ઉપયોગ કરવાથી તે વસ્તુ આપને નુકસાન પહોંચાડી શકે છે.
  • – જો આપને એસીડીટીની તકલીફ રહેતી હોય તો કાચું લસણ ખાવું જોઈએ નહીં.
image source

લસનથી થતા નુકસાન:

  • – લસણ ખાવાથી આપના મોંમાંથી દુર્ગંધ આવી શકે છે.
  • -જો આપ કાચું લસણ ખાઈ રહ્યા છો તો, આપને ગેસ, ઉલટી, પેટ ખરાબ થવાની કે પેટ ફુલવાની તકલીફ થઈ શકે છે.
  • – વધારે લસણ ખાવાથી આપને રક્તસ્રાવની તકલીફ થઈ શકે છે. જો આપની કોઈ સર્જરી થવાની હોય તો તે પહેલાં લસણ ખાવું જોઈએ નહીં.
  • – જો આપને લસણની એલર્જી હોય તો લસણનું સેવન આપની ત્વચાને લગતી બીમારી હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ