વેવાઈ – વેવાણની પ્રેમ કહાની બાદ સુરતનો વધુ એક કિસ્સો જમાઈ-કાકીસાસુને લઈને ફરાર
છેલ્લા થોડા દિવસથી સુરતના એક કિસ્સાએ લોકોને ચકિત કરી મુક્યા છે અને સામાજીક સંબંધોના બધા જ સમિકરણો ખોટા પાડી દીધા છે. અને સોશિયલ મિડિયા પર સુરતના વેવાઈ વેવાણ વચ્ચેના પ્રેમ સંબંધ બાદ બીજો એક કિસ્સો ચર્ચામાં આવ્યો છે.
જે પણ સંબંધોની ગણતરીઓ બહારનો છે. આ કિસ્સામાં જમાઈ કાકી સાસુને લઈને ફરાર થઈ ગયો છે. આ પ્રેમ સંબંધને ન તો સંબંધોની આમાન્ય રાખી કે ન તો ઉંમરના અંતરની આમાન્યા રાખી છે. કારણ કે અહીં જમાઈની ઉંમર 32 વર્ષની છે જ્યારે કાકી સાસુની ઉંમર 45 વર્ષની છે.
પ્રેમાંધ થયેલી આ બન્ને વ્યક્તિ પરિવારનો ત્યાગ કરીને એકબીજાના પ્રેમમાં રત થઈને ભાગી ગયા છે. જો કે આ વિષેની કોઈ ફરિયાદ હજુ સુધી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી. બની શકે કે તેની પાછળ સમાજમાં કુટુંબની આબરુ જવાની ભીતી પરિવારજનોને રહી હોય. પણ આ માહિતી ખાનગી સૂત્રો દ્વારા મળવા પામી છે.
થોડા દિવસ અગાઉ બની ગયેલા વેવાઈ વેવાણનો આ કિસ્સો સુરત શહેરના કતારગામનો હતો અને જોગાનું જોગ આ કિસ્સો પણ કતારગામ વિસ્તારનો જ છે. અહીંની એક સોસાયટીમાં જમાઈ અને કાકીસાસુ એક જ સોસાયટીમાં રહે છે.
છેલ્લા ઘણા સમયથી આ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા પરિવારજનોને રહી હતી. જેના માટે તેમને અગાઉ પણ ચેતવણીઓ મળેલી છે, તેમ છતાં તેઓ પોતાના પ્રેમ આગળ હારી ગયા અને ઘરેથી ભાગી ગયા છે.
તેઓ છેલ્લા ત્રણ દિવસથી ગુમ છે. જો કે તે બાબતે સમાજમાં બદનામી થવાના ભયના કારણે પોલિસમાં કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. કાકી સાસુ સાથે ભાગી જનાર જમાઈ કાપડ માર્કેટમાં ધંધો કરે છે, તેઓ ઘણા લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા અને ચોરી છૂપીથી એકબીજાને મળતા પણ હતા.
અને પહેલાં પણ પરિવારજનોએ તેમને એકબીજા સાથે રંગેહાથ પકડી પણ પાડ્યા હતા. તે વખતે જમાઈને કુટુંબીજનોએ ખૂબ માર માર્યો હતો. અને તે વખતે જમાઈએ કુટુંબીજનોને બાંયધરી આપી હતી કે તે હવે પછી તેવું ક્યારેય નહીં કરે, પણ તેના કહેવાથી તેમની વચ્ચેનો પ્રેમ કંઈ ખતમ થાય તેમ નહોતો. પ્રેમ તો કાયમ જ રહ્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી જમાઈ અને કાકીસાસુ બન્ને ગુમ હોવાથી પરિવારજનોએ તેમની શોધખોળ ખાનગી ધોરણે શરૂ કરી હતી પણ સમાજમાં બદનામીના ભયના કારણે તેમણે કુટુંબમાં બનેલી આ ઘટનાને જાહેર નહોતી કરી અને નહોતી તો કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.
તમને જણાવી દઈએ થોડા દિવસ પહેલાં પણ સુરતના કતારગામ વિસ્તારમાં જ વેવાઈ વેવાણને લઈને ફરાર થઈ ગયો હતો. હજુ તો દીકરા-દીકરીના લગ્ન થાય તે પહેલાં જ તેમના સંબંધો પર પ્રશ્નચિહ્ન લાગી ગયું હતું.
આ મામલામાં યુવકનો પિતા અને યુવતિની માતા ઘણા લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા અને ભૂતકાળમાં એકબીજા સાથે લગ્ન પણ કરવા માગતા હતા. જે સ્વપ્ન ક્યારેય સાકાર નહોતું થઈ શક્યું પણ છેવટે પોતાના દીકરા-દીકરીના સંબંધ કરાવતા કરતાવતા તેઓ ફરી એકવાર એકબીજાના પ્રેમમાં પડી ગયા અને છેવટે દીકરા-દીકરીના લગ્ન થાય તે પહેલાં જ એકબીજા સાથે ભાગી ગયા હતા.
તે વિષે કુટુંબીજનોએ ફરિયાદ પણ નોંધાવી હતી પણ પોલીસ હજુ સુધી તેમને શોધવામાં નિષ્ફળ રહી હતી. સ્વાભાવિક છે આ ઘટના બાદ યુવક – યુવતિના સંબંધો પણ તોડી નાખવામાં આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ