મિત્રો, આપણા જ્યોતિષશાસ્ત્રમા લવિંગ ખુબ જ વિશેષ મહત્વ ધરાવે છે. તે ફક્ત ભોજનનો સ્વાદ વધારવા અને આયુર્વેદની દ્રષ્ટીએ જ નહિ પરંતુ, અન્ય અનેકવિધ એવા લાભ ધરાવે છે કે, જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકોને ખ્યાલ હશે. તેની સાથે અમુક એવા વિશેષ ઉપાયો સંકળાયેલ છે કે, જે આપણા ઘરમા હાજર કોઈપણ નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે સક્ષમ છે.
આ ઉપાયો તમારા ઘરની તમામ નકારાત્મક શક્તિઓનો નાશ કરીને તેને સકારાત્મક શક્તિમા પરિવર્તિત કરે છે. આ વિશેષ ઉપાય તમારા જીવન અને ભાગ્યને બદલવા માટે વિશેષ સહાયરૂપ સાબિત થઇ શકે છે. આપણે ઘણીવાર અથાગ પરિશ્રમ કરીએ છીએ પરંતુ, તેમછતા પણ તે અથાગ પરિશ્રમનુ આપણને યોગ્ય પરિણામ મળતુ નથી અને આં કારણોસર જ લોકો શાસ્ત્રોમા દર્શાવેલી અમુક એવી વિશેષ યુક્તિઓ અપનાવે છે, જે તમારા પરિશ્રમ મુજબનુ ફળ તમને અપાવવામા મદદરૂપ સાબિત થાય છે.
આજે આ લેખમા આપણે લવિંગ સાથે સંકળાયેલ અમુક એવી યુક્તિઓ વિશે માહિતી મેળવીશુ કે, જે તમારા અધૂરા કાર્યો તો પૂર્ણ કરી દેશે પરંતુ, સાથે-સાથે તે તમને ધનલાભના માર્ગ પણ દેખાડશે. અથાગ પરિશ્રમ કર્યા પછી પણ જો તમને કોઈ રીતે સંપત્તિ ના મળી રહી હોય તો પછી તમે એક લીંબુ ઉપર ચાર લવિંગ ઉમેરો અને “ ઓમ શ્રી હનુમાતે નમ:” મંત્રનો મંત્રોચ્ચાર કરો. આ જાપ નિયમિત ૨૧ વાર કરો અને આ સમય દરમિયાન લીંબુ તમારી સાથે રાખો.
જો તમે કોઈપણ કાર્ય પર તમારુ ધ્યાન યોગ્ય રીતે કેન્દ્રિત કરતા નથી તો તમે હંમેશા દુ:ખી જ રહો છો. આવુ ના થાય તે માટે એક કપૂર અને એક લવિંગ લઈને તેને સળગાવીને બાળી નાખો. ત્યારબાદ બે-ત્રણ દિવસમા એકવાર તેનુ સેવન કરો. આમ, કરવાથી તમારુ મન શાંત રહેશે અને તમે તમારુ કાર્ય પણ યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે.
આના સિવાય આપ પાંચ ગ્રામ હિંગ સાથે પાંચ ગ્રામ કાળા મરી નાખીને પણ મિશ્રણ તૈયાર કરી શકો છો. બાદમાં તેના સરસવના દાણા જેવી ગોળી તૈયાર કરો. આ તમામ ગોળીને ૨ સરખા ભાગોમા વહેચી દયો અને ત્યારબાદ સવારે અને સાંજે તેનુ સેવન કરો. જો તમે આ પ્રયોગને નિરંતર ત્રણ દિવસ અજમાવો તો તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.
આ સિવાય જો તમે કોઈ મહત્વના કામ માટે ઘરની બહાર નીકળતા હોવ તો તે સમયે ઘરના પ્રમુખ દ્વાર પર લવિંગ મૂકો અને ત્યારબાદ તે લવિંગ પર તમારો પગ મૂકીને ઘરની બહાર નીકળો. જો તમે એક અઠવાડિયા સુધી નિરંતર આ ઉપાય અજમાવો છો તો તમારા અધૂરા તમામ કાર્યો તુરંત પૂર્ણ થઇ જશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,