મિત્રો, તાજેતરના આંકડા મુજબ કોરોનાવાયરસના કારણે એક મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે. સચોટ ડેટાના અભાવને લીધે તે હજી પણ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી થઈ શક્યું કે કોરોના વાયરસ કેટલો જીવલેણ છે ? પરંતુ, કોરોના એ વર્ષ ૨૦૨૦મા વિશ્વમાં સૌથી વધુ મોતનુ કારણ બન્યું નથી પરંતુ, અન્ય એક બીમારી છે કે, જેના કારણે થયા છે લોકોના વધુ પડતા મૃત્યુ. તો ચાલો આજે આ લેખમા જાણીએ કઈ છે આ બીમારી?
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ વર્ષ ૨૦૨૦મા હાર્ટ સ્ટ્રોક, ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ અને હૃદય સંબંધિત અનેક બીમારીઓને કારણે કોરોનાથી વધુ મૃત્યુ નોંધાયા છે. મુંબઇના એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચીફ કાર્ડિયોલોજિસ્ટ ડો. રમકાંત પાંડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી વૈશ્વિક સ્તરે હૃદયરોગ એ મૃત્યુનું એક મુખ્ય કારણ રહ્યું છે. વર્ષ ૨૦૦૦ થી હૃદયરોગથી મરી રહેલા લોકોની સંખ્યા ૨૦ મિલિયનથી પણ વધુ થઈ ગઈ છે.
ડોકટરે જણાવ્યુ કે, વર્ષ ૨૦૧૯મા હૃદયને લગતા રોગોને કારણે ૯૦ મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. વિશ્વભરમાં થયેલા કુલ મૃત્યુમા ૧૯ ટકા જેટલા મૃત્યુ ફક્ત હૃદય સંબંધિત રોગોને કારણે થાય છે. આ મૃત્યુના મુખ્ય કારણોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓનો અભાવ, નબળુ પોષણ, નબળી જીવનશૈલી અને તણાવમાં વધારો વગેરે શામેલ છે. વર્ષ ૨૦૨૦ ના કોરોના સમયગાળામા પણ હૃદયરોગ સૌથી વધુ જીવલેણ રોગ સાબિત થયો છે.
વ્યાયામનો અભાવ, નબળા ફાઇબરની ઉણપ, મીઠાઇઓ અને આલ્કોહોલના વપરાશને અવગણવા જેવા કારણોને લીધે ભારતીયો હૃદયરોગના સૌથી વધુ જોખમમા છે. હૃદયની સમસ્યાવાળા લોકોએ તબીબી સહાયની જરૂર હોય છે પરંતુ, કોરોના યુગમા લોકો પરીક્ષણના ભયથી ડોકટરો પાસે જવાથી ડરતા હોય છે, જેના કારણે તે સમયસર દેખભાળ કરી શકતા નથી. ફેફસા અને હૃદયના બંને કોષો એ.સી.ઇ.-૨ પ્રોટીન નામના પ્રોટીન પરમાણુઓથી ઢંકાયેલ હોય છે.
કોરોના વાયરસ આ પ્રોટીન દ્વારા કોષોમા પ્રવેશ કરે છે અને વિસ્તરણ પામે છે. આ વાયરસ ફેફસામા એર કોથળીઓને નુકસાન પહોંચાડે છે. તેથી લોહીના પ્રવાહમાં ઓછો ઓક્સિજન પહોંચે છે. હૃદયને શરીરમાં લોહી પમ્પ કરવા માટે સખત મહેનત કરવી પડે છે, જે લોકો પહેલાથી હ્રદયરોગથી પીડાય છે તેમના માટે આ બીમારી વધુ ખતરનાક બની શકે છે. વધુ પડતા કામથી હૃદય નિષ્ફળ થઈ શકે છે.
કોરોના વાયરસ એ હૃદયની સ્નાયુપેશીઓને સીધો જ ચેપ લગાડે છે અને આપણા સ્વાસ્થ્યને હાની પહોંચાડે છે. ફ્લૂ એ તણાવ સહિત અન્ય વાયરલ ઇન્ફેક્શનથી પણ શક્ય છે, જે આપણા હૃદયને પણ નુકસાન પહોંચાડે છે. કોરોના સમયગાળામા ડોકટરોએ હૃદયરોગના દર્દીઓને તેમની રોજિંદા કસરત અને આહારની પ્રવૃત્તિઓમા ફેરફાર કરવાની ભલામણ કરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ