ભોજનમાં આપણે સૌ કોઈ અવારનવાર સૂકા લાલ મરચાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આપણે એ જાણતા નથી કે આ લાલ મરચાનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે આપણું નસીબ મજબૂત અને સકારાત્મક બનાવી શકીએ છીએ. આપણે એ જાણીએ છીએ કે નજર લાગી હોય તો લાલ મરચું ઉતારીને તેને દૂર કરી શકાય છે. પણ આજે આપણે અહીં જાણીશું લાલ મરચાના એ ખાસ ઉપાયો જે તમારું નસીબ જલ્દીથી બદલશે અને તમને ફાયદો આપશે.
જો તમને વેપારમાં મુશ્કેલી આવી રહી છે તો તમે માટીના 3 દીવા લો અને તેમાં પીળી રાઈના દાણા, તલ, આખું મીઠું અને આખા ધાણા લો. તેને મિક્સ કરીને વેપારના સ્થળ પર રાખો. આમ કરવાથી તમને વેપારમાં જલ્દી જ સુધારો જોવા મળી શકે છે.
જો કોઈ વ્યક્તિ કે બાળક નજરદોષથી પીડિત છે તો લાલ મરચું તેની મદદ કરી શકે છે. તમે લાલ મરચું લો અને તેની પર 7 વાર ઉંધુ ફેરવી લો. આમ કર્યા પછી તેને ગેસ કે ચૂલ્હામાં સળગાવી લો. ધ્યાન રાખો કે મરચું બળવાથી કોઈ બાળકને પરેશાની ન કરે.
આર્થિક તંગને કારણે તમે પરેશાન રહો છો અને સાથે જ અનેક પ્રયાસ કરવા છતાં પણ તે જવાનું નામ લેતી નથી તો લાલ મરચાનો આ ઉપાય કારગર રહે છે. એક સાફ રૂમાલ લો અને તેમાં 7 નંગ લાલ મરચાં બાંધી લો. તેને એ સ્થાને રાખો જ્યાં તમે રૂપિયા રાખો છો. જેમકે તિજાોરી કે રૂપિયા કે દાગીનાનું સ્થાન. આમ કરવાથી થોડા દિવસોમાં આર્થિક તંગી ખતમ થશે અને નવા માર્ગ પણ ખૂલશે.
જો તમે પોતે કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ કોઈ બીમારી કે મહામારીથી પીડાઈ રહ્યું છે તો તમે લાલ મરચાનો આ ખાસ ઉપાય કરો. તેનાથી જે- તે દર્દીને રાહત મળશે. તે એક લાલ કપડું લો અને તેમાં 5 લાલ મરચાં બાંધો. તેને દર્દીના તકિયા કે પથારીની નીચે રાખી લો. અન્ય દિવસે તેને જળમાં પ્રવાહિત કરી આવો. આમ કરવાથી તેના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવશે અને તેની પીડા ઘટશે.
જો તમારા કોઈ કામમાં સતત બાધા આવી રહી છે અને સાથે ખૂબ જ મહેનત બાદ પણ તમારું કામ સફળ થતું નથી તો તમે લાલ મરચાના 21 દાણાને જળમાં નાંખીને 21 દિવસ સુધી રોજ સૂર્યોદયના સમયે સૂર્ય દેવતાને અર્દ્ય આપો તે જરૂરી છે. આ કામ કરતી સમયે તમારે ઓમ તુષ્ટાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે અને સૂર્ય દેવને તમારી મુશ્કેલી રજૂ કરવાની છે. તેઓ તમારી પ્રાર્થના સાંભળશે અને તમને રાહત મળશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,