નસીબમાં બદલાવ લાવવામાં મદદ કરે છે લાલ મરચું, જાણી લો અસરકારક ઉપાયો

ભોજનમાં આપણે સૌ કોઈ અવારનવાર સૂકા લાલ મરચાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આપણે એ જાણતા નથી કે આ લાલ મરચાનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે આપણું નસીબ મજબૂત અને સકારાત્મક બનાવી શકીએ છીએ. આપણે એ જાણીએ છીએ કે નજર લાગી હોય તો લાલ મરચું ઉતારીને તેને દૂર કરી શકાય છે. પણ આજે આપણે અહીં જાણીશું લાલ મરચાના એ ખાસ ઉપાયો જે તમારું નસીબ જલ્દીથી બદલશે અને તમને ફાયદો આપશે.

image source

જો તમને વેપારમાં મુશ્કેલી આવી રહી છે તો તમે માટીના 3 દીવા લો અને તેમાં પીળી રાઈના દાણા, તલ, આખું મીઠું અને આખા ધાણા લો. તેને મિક્સ કરીને વેપારના સ્થળ પર રાખો. આમ કરવાથી તમને વેપારમાં જલ્દી જ સુધારો જોવા મળી શકે છે.

image source

જો કોઈ વ્યક્તિ કે બાળક નજરદોષથી પીડિત છે તો લાલ મરચું તેની મદદ કરી શકે છે. તમે લાલ મરચું લો અને તેની પર 7 વાર ઉંધુ ફેરવી લો. આમ કર્યા પછી તેને ગેસ કે ચૂલ્હામાં સળગાવી લો. ધ્યાન રાખો કે મરચું બળવાથી કોઈ બાળકને પરેશાની ન કરે.

image source

આર્થિક તંગને કારણે તમે પરેશાન રહો છો અને સાથે જ અનેક પ્રયાસ કરવા છતાં પણ તે જવાનું નામ લેતી નથી તો લાલ મરચાનો આ ઉપાય કારગર રહે છે. એક સાફ રૂમાલ લો અને તેમાં 7 નંગ લાલ મરચાં બાંધી લો. તેને એ સ્થાને રાખો જ્યાં તમે રૂપિયા રાખો છો. જેમકે તિજાોરી કે રૂપિયા કે દાગીનાનું સ્થાન. આમ કરવાથી થોડા દિવસોમાં આર્થિક તંગી ખતમ થશે અને નવા માર્ગ પણ ખૂલશે.

image source

જો તમે પોતે કે ઘરમાં કોઈ પણ વ્યક્તિ કોઈ બીમારી કે મહામારીથી પીડાઈ રહ્યું છે તો તમે લાલ મરચાનો આ ખાસ ઉપાય કરો. તેનાથી જે- તે દર્દીને રાહત મળશે. તે એક લાલ કપડું લો અને તેમાં 5 લાલ મરચાં બાંધો. તેને દર્દીના તકિયા કે પથારીની નીચે રાખી લો. અન્ય દિવસે તેને જળમાં પ્રવાહિત કરી આવો. આમ કરવાથી તેના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવશે અને તેની પીડા ઘટશે.

image source

જો તમારા કોઈ કામમાં સતત બાધા આવી રહી છે અને સાથે ખૂબ જ મહેનત બાદ પણ તમારું કામ સફળ થતું નથી તો તમે લાલ મરચાના 21 દાણાને જળમાં નાંખીને 21 દિવસ સુધી રોજ સૂર્યોદયના સમયે સૂર્ય દેવતાને અર્દ્ય આપો તે જરૂરી છે. આ કામ કરતી સમયે તમારે ઓમ તુષ્ટાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે અને સૂર્ય દેવને તમારી મુશ્કેલી રજૂ કરવાની છે. તેઓ તમારી પ્રાર્થના સાંભળશે અને તમને રાહત મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ