લગ્નજીવનમાં તણાવના કારણે ચર્ચામાં રહ્યા આ કલાકારો, ઋત્વિક રોશનથી લઈને નવાઝુદ્દીન સિદ્દીકીનું આ લિસ્ટમાં છે નામ

લગ્નજીવનમાં તણાવના કારણે ચર્ચામાં રહ્યા આ કલાકારો, ઋત્વિક રોશનથી લઈને નવાઝુદ્દીન સિદ્દીકીનું છે આ લિસ્ટમાં નામ.

હાલમાં જ ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાના કારણે નિધન થયું છે. એક્ટ્રેસ ઘણા દિવસથી ન્યુમોનિયા અને હાઇપરટેંશનના કારણે વેન્ટિલેટર પર હતી પણ સાત ડિસેમ્બરે એમને દુનિયાને અલવિદા કહી દીધું. આ દરમિયાન સમાચાર આવ્યા કે દિવ્યા અને એમના પતિ વચ્ચે સારા સંબંધ નહોતા એટલે દિવ્યા સ્ટ્રેસમાં હતી. આ ઇન્ડસ્ટ્રીમાં દિવ્યા એકલી એવી એક્ટ્રેસ નહોતી જેમના પોતાના પતિ સાથે સારા સંબંધ નહોતા. બૉલીવુડ અને ટીવીમાં ઘણી એવી જોડીઓ છે જે પોતાના બગડતા સંબંધોને લઈને ચર્ચામાં રહ્યા છે તો ચાલો જોઈ લઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં.

image source

નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયા.

બોલીવુડમાં વર્ષો સુધી મહેનત કર્યા પછી જાણીતા થયેલા નવાઝુદ્દીન પોતાના અભિનયના કારણે ચર્ચામાં રહે છે પણ પોતાની પત્ની સાથે સંબંધો સારા ન હોવાના કારણે પણ નવાઝુદ્દીન ચર્ચામાં રહ્યા છે. આલિયાએ નવાઝુદ્દીન સિદ્દીકીને છૂટાછેડાની કાનૂની નોટિસ આપવાની સાથે સાથે એમના પર અને એમના ભાઈ મીનહાઝુદ્દીન પર ગંભીર આરોપ લગાવ્યા છે.

image source

આલિયાનું કહેવું છે કે વર્ષ 2012માં મીનહાએ એમની સાથે છેડતી કરી હતી પણ નવાઝે એના પર કોઈ કાર્યવાહી નહોતી કરી અને પોતાના ભાઈનો સાથ આપ્યો. એ સિવાય પણ આલિયાએ નવાઝ સાથે ફાઇનાન્સ અને અંગત જિંદગી સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા અને એને સોશિયલ મીડિયા પર શેર કર્યા.

આમિર અલી અને સંજીદા શેખ.

image source

એક સમયે ટેલિવિઝનના સૌથી પોપ્યુલર કપલમાંથી એક હતા આમિર અલી અને સંજીદા શેખ. જો કે હવે આ બંને એક વર્ષથી અલગ રહી રહ્યા છે પણ હજી સુધી અલગ થવાને લઈને કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું. ગયા વર્ષે જ આમિર અને સંજીદા માતાપિતા બન્યા હતા અને એ જ વર્ષથી સંજીદાએ પોતાની માતા સાથે રહેવાનું શરૂ કરી દીધું હતું. સંજીદાએ એકવાર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હવે એમની દીકરી જ એમના જીવવાનો સહારો છે.

રાજીવ સેન અને ચારુ અસોપા.

image source

સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને વર્ષ 2019માં ચારુ અસોપા સાથે લગ્ન કર્યા હતા. પણ લગ્નના એક મહિના પછી જ ચારુ મુંબઇમાં એકલી રહેવા લાગી હતી અને રાજીવ એમને મુંબઈમાં એકલા મૂકીને દિલ્લી આવી ગયા હતા. એ પછી ચારુએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નજીવનમાં ચાલી રહેલી નોક્ઝોકને લઈને કઈક પોસ્ટ કરી. જો કે થોડા મહિના પછી બંને ફરી એકવાર સાથે રહેવા લાગ્યા હતા.

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન.

image source

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ વર્ષ 2017માં અરબાઝ ખાન સાથે છૂટાછેડા લઈ લીધા હતા. આજ સુધી બંનેના અલગ થવા પાછળનું કોઈ ઓફિશિયલ કારણ તો ખબર નથી પડી પણ લોકો એ અંદાજો લગાવી રહ્યા છે કે મલાઈકા અરબાઝના સતત અસફળ રહેવાના કારણે પરેશાન હતી. એ સિવાય મલાઈકાનું સલમાન ખાન અને એમના પરિવાર સાથે પણ ખાસ બનતું નહોતું. સલમાન ઘણીવાર મલાઈકાની લાઇફસ્ટાઇલ પર સવાલ ઉઠાવી ચુક્યા હતા.

ઋત્વિક રોશન અને સુઝેન ખાન.

image source

વર્ષ 2002માં ઋત્વિક રોશન અને સુઝેન ખાને લગ્ન કર્યા હતા પણ લગ્નના 14 વર્ષ પછી બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા. ખબરોનું માનીએ તો કાઈટ ફિલ્મ પછી બારબરા મોરી અને ક્રિશ 3માં કંગના રનૌત સાથે વધતી નજદિકીઓ પછી ઋત્વિક અને સુઝેન ખાનના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી. જો કે છૂટાછેડા પછી બંને ખૂબ જ સારા મિત્રો છે. કોરોનાને કારણે ચાલતા લોકડાઉનમાં સુઝેન બાળકો સાથે રહેવા માટે ઋત્વિકના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી.

રશ્મિ દેસાઈ અને નંદીશ સિંહ સિંધુ.

image source

ટેલિવિઝન એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ પોતાના કોસ્ટાર નંદીશ સિંહ સિંધુ સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. એ સમયે આ બંને લોકપ્રિય સિરિયલ ઉતરનમાં સાથે કામ કરતા હતા. લગ્નના થોડા સમય પછી જ બંને વચ્ચે અણબનાવ થવાનું શરૂ થઈ ગયું. એવું જણાવવામાં આવે છે કે રશ્મિને નંદીશના ઘણી છોકરીઓ સાથે સંબંધ હોવાથી તકલીફ થવા લાગી હતી. બંનેએ પોતાના લગ્નને વધુ એક તક આપવા માટે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે પણ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ